આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
લોગીન
રજિસ્ટર
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગુન્હાખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
લાઈફ સ્ટાઇલ
ધર્મ જ્યોતિષ
વિડિઓઝ
લેખક
મેગેઝિન
લાઈફ સ્ટાઇલ
×
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
સિનેમા
×
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
લેખક
×
સંજય શાહ
આજનું ઇ-પેપર:
વડોદરા
અમદાવાદ
સુરત
રજિસ્ટર
/
લોગીન
આપણું ગુજરાત
ભારત
વિશ્વ
રાજકીય
ગુન્હા ખોરી
વેપાર
રમત ગમત
સિનેમા
હોલીવુડ
બોલીવુડ
ટેલિવુડ
વેબ સિરીઝ
લાઈફ સ્ટાઇલ
ફેશન એન્ડ બ્યુટી
હેલ્થ એન્ડ ફિટનેસ
ફૂડ એન્ડ રેસિપી
ટ્રાવેલ
ટેક્નોલોજી
ધર્મ જ્યોતિષ
ધાર્મિક સમાચાર
રાશી ફળ
આજનું પંચાંગ
વિડિઓઝ
લેખક
સંજય શાહ
કચ્છ-સૌરાષ્ટ્ર
રાજકોટ
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
જૂનાગઢ
મોરબી
પોરબંદર
ગીર સોમનાથ
દેવભૂમિ દ્વારકા
બોટાદ
અમરેલી
મધ્ય ગુજરાત
વડોદરા
આણંદ
ભરૂચ
પંચમહાલ
દાહોદ
મહીસાગર
ખેડા
છોટા ઉદયપુર
નર્મદા
નડીયાદ
ઉત્તર ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
દક્ષિણ ગુજરાત
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
આપણું ગુજરાત
ગુજરાત સમાચાર
બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર
વધુ વાંચો
ગુજરાત
26, માર્ચ 2025
રાજકોટમાં હરિભક્ત સામે સગર સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું
રાજકોટ મુંબઈના ઘાટકોપરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક કાર્યક્રમમાં એક હરિભક્ત દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ સગર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હરિભક્તે આપેલા નિવેદનમાં તેઓ બોલે છે કે, ‘મહાકુંભમાં પવિત્ર ગંગા નદીના પ્રવાહને પવિત્રતા આપનારા સ્વામિનારાયણ સંત પ્રબોધ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે’. વિવાદીત નિવેદનને લઈ આજે રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જાેશીની ગેરહાજરીમાં અધિક કલેક્ટર એ.કે. ગૌતમને સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો હતો. ગંગામૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદા હોવાનું જણાવી હરિભક્ત સગર સમાજની માફી માગે તેવી માગ કરવામાં આવી છે. રાજકોટના સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના ચેરમેન આણંદ કરથીયા સહિતના દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, પવિત્ર ગંગામૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદાની હજારો વર્ષની તપસ્યા બાદ લોક કલ્યાણ અર્થે લાવ્યા છે અને સમગ્ર લોક કલ્યાણ જાતિ માતા ગંગા મૈયાના શરણે આવી પવિત્ર બની રહ્યા છે એવી માન્યતા છે. ત્યારે આ વીડિયોમાં ગંગાજીને પવિત્રતા અપાવનાર પ્રબોધ સ્વામી સંતને બતાવે છે. જે તદ્દન ખોટી વાત છે અને બફાટ છે. કારણ કે ગંગાજીને પૃથ્વી ઉપર લાવી પવિત્રતા લાવનાર સગર વંશજ રાજા ભગીરથ છે. જેનો રામાયણ, મહાભારત અને રામચરિત માનસમાં ઉલ્લેખ છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના આ હરિભક્તના એક વાઇરલ વીડિયોમાં શું બફાટ કરી રહ્યો છે તે કંઈ સમજાતું નથી, અમારા સગર સમાજને આ વાઇરલ વીડિયોમાં બફાટ કરતા સ્વામીનારાયણ સંપ્રદાયના હરી પ્રબોધ ગ્રુપના ભક્તની વાણીથી ખુબ દુ:ખ થયું છે અને અમારા સગર સમાજને કોઈ સંપ્રદાય સાથે કોઈ વાંધો નથી પરંતુ અમારા સગર સમાજને આ બફાટ કરનાર એકમાત્ર પ્રબોધ ગ્રુપના હરિભક્ત સામે વાંધો છે તે વ્યકિત જે બફાટ કરે છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જ જાેઈએ. જલદ આંદોલન પર ઉતરવાની ચીમકી સાથે જણાવામાં આવ્યુ છે કે, અમે આ બાબતે માફી ચલાવી લેશું નહીં અને આ નફ્ફટ પ્રબોધ ગ્રુપના ભક્તે વીડિયોમાં જે જણાવે છે ત્યારે તેમને શું ખબર નથી કે તે પણ ગંગામૈયાના શરણે જાય ત્યારે પવિત્ર બને છે અને અમારા ગંગામૈયા વિશે જાે કોઈપણ બફાટ કરશે તો અમારો સગર સમાજ કયારેય સાંખી લેશે નહીં. આવા બફાટ કરનાર વ્યકિત પર કડકમાં કડક કાર્યવાહી થવી જ જાેઇએ.
ગુજરાત
23, માર્ચ 2025
‘ગોંડલની બેઠક માટે કોઈએ લાળ ટપકાવી નહીં, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે’
ગાંધીનગર, સતત વિવાદમાં રહેતું ગોંડલ વધુ એક વખત વિવાદમાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા નિવેદન કરાયું છે કે, ગોંડલ ની ટિકિટ માટે કોઈએ લાળ પાડવી નહીં. કારણ કે, ગોંડલ ની ટિકિટ ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા ને જ મળશે માટે કોઈએ ગોંડલની ટિકિટ માટે મહેનત કરવી નહીં. ગુજરાતના ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવાને લઈને મામલો ગરમાયો હતો. રાજકોટમાં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે તણાવ ઊભો થયો હતો. જાેકે, મામલો વકરતા બંને સમાજના આગેવાનોએ સર્વ સમાજની બેઠક યોજીને સમાધાન કર્યું હતું. આવા સંજાેગોમાં ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ મોટું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેમાં અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું છે કે, ‘કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની જરૂર નથી, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા સામે અનેક આરોપો ગુના હોવા છતાં ભાજપ તેને ભવિષ્યમાં ધારાસભ્ય બનાવવા માગે છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના આ નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે, ગુનાખોરી એ હવે નેતા બનવા માટેની એક લાયકાત બની ગઈ છે. આ મુદ્દે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, ‘પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. જે લોકો બહારના લુખ્ખાઓ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવી રહ્યા છે, એ લોકો જાણી લે કે, અહીંયા ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. સૌરાષ્ટ્ર બહારના જે લોકો ગોંડલને અલગ નજરે જુએ છે અને ગોંડલને મિરઝાપુર કહે છે, તેવા ટપોરી અને લુખ્ખા તત્ત્વોને જવાબ આપવા માંગુ છું કે, ગોંડલ ગોકુળિયું ગોંડલ છે અને ભગવતસિંહનું ગોંડલ છે.’ અલ્પેશ ઢોલરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ગોંડલમાં તમામ સમાજના લોકો એક થઈને રહે છે. ૫૦૦ કિલોમીટર દૂરથી અને ૨૦૦ કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને તેવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે, પાટીદાર અને ક્ષત્રિયોને અથડાવવાના તમારા જે સપના છે એ સપના પુરા નહીં થાય.’ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા એ નિવેદન કરીને ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા તૈયારી કરવી રહેલા અનિરુદ્ધસિંહ રીબડાના પૌત્રને આડકતરો સંદેશો આપ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે.
ગુજરાત
23, માર્ચ 2025
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગવા શરૂ : પહેલો ઘા આમ આદમી પાર્ટીનો
ગાંધીનગર, વિસાવદર વિધાનસભા ચૂંટણી સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી પરત ખેંચવામાં આવતા હવે ગમે તે સમયે વિસાવદરની ઘેટાં ચૂંટણી જાહેર થઈ શકે તેવી સંભાવના વધી ગઈ છે. આ સંજાેગોમાં આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર ની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલીયા ને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાનારી વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, વિસાવદર બેઠકે ભાજપને પ્રથમ મુખ્યમંત્રી, સત્તા અને સ્થિર સરકાર ઘણું આપ્યું છે. ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.વિસાવદર પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે.ગુજરાતમાં એક સમયે ભારે રાજકીય રસાકસી હતી. અનેક વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યા હતા. તેવા સંજાેગોમાં ગુજરાતને સ્થિર સરકારની સખત જરૂર હતી. તેવા સંજાેગોમાં વર્ષ ૧૯૯૫ માં ગુજરાતમાં પ્રથમ વખત સત્તા પર ભાજપ સરકાર આવી હતી. ભાજપ સરકાર પ્રથમ વખત સત્તામાં આવી હતી ત્યારે આ વિસાવદર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઇ પટેલે ૧૪ માર્ચ ૧૯૯૫ ના રોજ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જનતા દળની સરકાર આવી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સ્વતંત્ર સરકાર તરીકે ૧૯૯૫ માં શરૂઆત થઈ હતી. ત્યાર બાદ અસ્થિર ગુજરાતને સ્થિર સરકાર મળવાનો પ્રારંભ થયો હતો. કેશુબાપાની સરકાર આવ્યા બાદ માત્ર એક જ વાર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. પછી તો ગુજરાતને ન માત્ર સ્થિર પરંતુ કાયમી સરકાર મળી હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. અને ૧૯૯૮ થી સતત ભાજપની સરકાર આવી તે આજ સુધી શાસનમાં છે. હવે વિસાવદર બેઠકની પેટાચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવા સંજાેગોમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. આ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કન્વીનર રહી ચુક્ય છે. હાલમાં તેઓ પાર્ટીના રાષ્ટ્રીયસંયુક્ત મહામંત્રી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ગોપાલ ઇટાલિયા પોતાના આખાબોલા સ્વભાવના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. અગાઉ અનેક મામલાઓમાં તેઓ વિવાદમાં રહે છે.વિસાવદર બેઠક પાટિદાર મતદારોનો ગઢ વિસાવદર બેઠક પ્રારંભથી જ પોતાના મિજાજના કારણે ચર્ચામાં રહેલી છે. પાટીદાર બહુમતી ધરાવતી આ બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ રહી ચુકી છે. આ બેઠક પર આશરે ૧.૫૦ લાખ કરતા વધારે પાટીદાર મતદારો છે. આ બેઠક પર કુલ ૨.૫૮ લાખ મતદાતાઓ છે. જેમાં આશરે ૧.૫૦ લાખથી વધારે પાટીદાર મતદારો છે. ૨૧ હજાર જેટલા દલિત મત, ૨૦ હજાર કોળી અને ૧૨ હજાર મુસ્લિમ મતદાતાઓ છે. બેઠક પરથી ચૂંટાયેલા મુખ્યમંત્રી બન્યા છતાં વિકાસનો અભાવ વિસાવદર બેઠક પાટીદારોનો ગઢ હોવા અને વર્ષો સુધી અહીંથી જીતનારા કેશુબાપા મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેમ છતા પણ વિસાવદરમાં વિકાસ મામલે જનતામાં ભારે અસંતોષ જાેવા મળી રહ્યો છે. સામાન્ય સારવાર માટે પણ રાજકોટ કે અમદાવાદ ખાતે જવું પડે છે. આ ઉપરાંત અહીં જનાવરોનો પણ ત્રાસ છે. રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાનો પણ અભાવ હોવાનું સ્થાનિક લોકો માંગ કરતા રહ્યા છે. ૨૦૨૨ માં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો વર્ષ ૨૦૨૨ માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થયો હતો. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ઉમેદવાર તરીકે હર્ષદ રીબડીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભુપત ભાયાણી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કરસનભાઇ વાળદોરીયા વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો. ચૂંટણીમાં આપના ઉમેદવારનો વિજય થયા હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને વિસાવદર બેઠક કબ્જે કરી હતી. જાે કે અચાનક ૧૩ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જાેડાયા હતા. આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી રાજીનામું આપી ભાજપમાં જાેડાયા હતા વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થયા બાદ ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયા દ્વારા હાઇકોર્ટમાં પીટીશન થઇ હતી. જેમાં જણાવાયું હતું કે, ભુપત ભાયાણીની ઉમેદવારી રદ્દ કરવામાં આવે કારણ કે તેમના ફોર્મમાં ક્ષતિ છે. જાે કે ભુપત ભાયાણી ભાજપમાં જાેડાઇ જતા આખરે આ કેસકરનાર હર્ષદ રિબડિયાએ પરત ખેંચી લીધો હતો. ત્યાર બાદ હવે ચૂંટણી જાહેર થઇ ચુકી છે. વિસાવદર બેઠક પર અત્યાર સુધીમાં કોણ કોણ જિત્યું? વર્ષ ૧૯૬૨ માં કોંગ્રેસના મદીનાબેન નાગોરી વર્ષ ૧૯૬૭ માં એસડબલ્યુએ પક્ષના કે ડી ભેસાણીયા વર્ષ ૧૯૭૨ માં કોંગ્રેસના રામજીભાઇ કરકર વર્ષ ૧૯૭૫ માં કેએલપીના કુરજીભાઇ ભેસાણીયા વર્ષ ૧૯૮૦ માં જેએનપીના ધીરજલાલ રિબડીયા વર્ષ ૧૯૮૫ માં કોંગ્રેસના પોપટભાઇ રામાણી વર્ષ ૧૯૯૦ માં જેડીના કુરજીભાઇ ભેસાણીયા વર્ષ ૧૯૯૫ માં ભાજપના કેશુભાઇ પટેલ (પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સીએમ કેશુભાઇ પટેલ) વર્ષ ૧૯૯૮ માં ભાજપના કેશુભાઇ પટેલ વર્ષ ૨૦૦૨માં ભાજપના કનુભાઇ ભાલાળા વર્ષ ૨૦૦૭ માં ભાજપના કનુભાઇ ભાલાળા વર્ષ ૨૦૧૨ માં જીપીપીના કેશુભાઇ પટેલ વર્ષ ૨૦૧૭ માં કોંગ્રેસના હર્ષદભાઇ રિબડીયા વર્ષ ૨૦૨૨ માં આપના ભૂપત ભાયાણી
ગુજરાત
20, માર્ચ 2025
સચિનનાં વકતાણા ગામે વેપારીની જમીન ઉપર કબજાે કરનાર પિતા-પૂત્રની ધરપકડ
સુરત, હાર્ડવેરના વેપારીએ ખરીદેલી વક્તાણા ગામની જમીન ઉપર ગેરકાયદે કબજાે જમાવી દેનારા વેસુના શાહ પિતા-પૂત્રની પોલીસે લેન્ડ ગ્રેબિંગના ગુના હેઠળ ધરપકડ કરી હતી.સચિન પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વરાછામાં યોગીચોક પાસે શિવધારા હાઇટ્સમાં રહેતા જીગ્નેશકુમાર જમનાદાસ ખાંટ હાર્ડવેરના વેપારી છે. જુનાગઢના વંથલી તાલુકાના વતની જીગ્નેશ ખાંટ વરાછા યોગીનગર ખાતેમાં ઉમિયા ટ્રેડીંગ નામથી દુકાન ધરાવે છે. વક્તાણા ગામે આવેલી રઘુભાઈ પરભુભાઈ રાઠોડ વિગેરેની માલિકીની બ્લોક નંબર : ૨૪૦ પૈકીની ૨૦,૦૩૨ ચોરસ મીટર જમીન ખાંટે ખરીદવી હતી. જેથી જમીનના માલીકોએ કલમ-૭૩(એ)(એ) ની વેચાણ પરવાનગી મેળવવા કલેકટર કચેરીમાં અરજી કરી હતી, કલેક્ટરે ૦૭/૧૧/૨૦૨૩ થી ગુજરાત જમીન મહેસુલ ની કલમ ૭૩-એએ ની જાેગવાઈઓ શરતો ને આધીન કશ્વી કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી. ના મુખ્ય પ્રયોજક એટલે કે જીગ્નેશકુમાર જમનાદાસ ખાંટને વેચાણ કરવા પરવાનગી આપી હતી. ખાંટે માલિકોને ૮,૦૧,૨૮,૦૦૦ રૂપિયા અવેજ ચૂકવી ફેબ્રુઆરી ૨૦૨૪માં જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. ખાંટે જમીન લેવલ કરાવી અને કશ્વી કો-ઓપ હાઉસીંગ સોસાયટી લીમીટેડના નામે મકાનો બનાવવા તૈયારી કરી હતી. જેમાં તેઓ પ્લોટીંગની માપણી માટે ૨૨ ઓગસ્ટે સ્થળ પર ગયા હતાં. એ સમયે તેમને કેટલાક વ્યક્તિઓ જમીન ઉપર કબજાે જમાવી બેઠેલા દેખાયા હતાં. અહીં ગિરેન્દ્ર રમણીકલાલ શાહે ખાંટને જણાવ્યું હતું કે, આ જમીન અમારી માલીકીની છે અને અમોએ ખરીદ કરેલ છે. શાહ અને તેની સાથેના દસેક માણસોએ ખાંટને જમીન માપણી કરવા નહીં દઇ ધાક ધમકી આપી ત્યાંથી હાંકી કાઢ્યા હતા. વેસુ, ટી. ઍમ. પટેલ સ્કૂલ પાસે, રીટ્રીટ હાઈટ્સ ખાતે રહેતા ગિરેન્દ્ર રમણીકલાલ શાહ અને તેનો પુત્ર નિલેશ ગિરેન્દ્ર શાહે આ જમીન ઉપર ગેરકાયદે કબજાે કરવા સાથે તેમની માલિકીનું બોર્ડ પણ લગાવી દીધું હતું. જીગ્નેશ ખાંટે આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી માટે અરજી કરી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના ગુના બાબતે જિલ્લા કલેકટરના અધ્યક્ષતામાં રચવામાં આવેલ કમિટી દ્વારા આ અરજી અંગે તપાસ કરાયા બાદ શાહ પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો હતો. કલેક્ટરાયલના હુકમના આધારે ઇન્સપેકટર પી. એન. વાઘેલાએ ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરતાં શાહ પિતા પૂત્રની ધરપકડ કરી હતી.
ગુજરાત
16, માર્ચ 2025
રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી પર રૂપિયા લઈને ટિકિટ વેચવાનો આક્ષેપ
ગાંધીનગર ભાજપમાં ચાલી રહેલો આંતરિક ખટરાગ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. તેમાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ એક પત્ર વાયરલ થતાં સામે આવ્યો છે. આ પત્રમાં રૂપિયાથી ટિકિટ વેચવાનો આરોપ લગાવાયો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી સામે ખનીજ માફિયાઓના ભાગીદાર હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટે એક તરફ તારીખો પર તારીખો પડી રહી છે તેવા સંજાેગોમાં ભાજપના સંગઠનમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ કે ખટરાગ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના મહત્વના એવા રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલી રહેલો અંદરો અંદરનો ખટરાગ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લા મહામંત્રી રવિ માંકડિયા વિરૂદ્ધનો પત્ર સોશિયલ મીડિયામાં વહેતો થયો છે જેના કારણે રાજકોટ જિલ્લા ભાજપમાં અનેક જાતની ચર્ચાઓ વહેતી થઇ છે. રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલતા ખટરાગને આ પત્રમાં ખૂલ્લો પાડવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ પત્રમાં ઉપલેટા નગરપાલિકાની તેમજ તાલુકા પંચાયતની ડુમિયાણીની પેટાચૂંટણીમાં રૂપિયા લઈને ટિકિટો વેચવાનો જિલ્લા મહામંત્રી રવિ માંકડિયા પર કરવામાં આવ્યો છે. આ પત્રમાં એવું પણ લખાયું છે કે, રવિ માંકડિયાને ભાજપ પક્ષ કે ભાજપની વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ કેટલાક આગેવાનોની ખુશામતખોરીથી જિલ્લા ભાજપનો મહત્વનો હોદ્દો મેળવ્યો છે. આ વ્યક્તિ સામે લોકો પાસેથી તોડ કરતો હોવાના, બુટલેગરોને સેટિંગ કરાવી હપ્તા ઉઘરાવવા સહિતના આક્ષેપો છે. આ ઉપરાંત આ પત્રમાં હિન્દુ તબીબની પુત્રવધૂને વિધર્મી નબીરા સાથે ભગાડવામાં મદદ કરી હોવાનો તેમજ આ વિધર્મીને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ચાર કોરા મેન્ડેટ આપ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ સાથે આ વ્યક્તિના ધોરાજી-ઉપલેટા વિસ્તારના ખનીજ માફિયાઓ સાથે ભાગીદારી હોવાનો આક્ષેપ કરાયો છે. રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી વિરુદ્ધનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દ્વારા ભાજપના આગેવાન અશોક લાડાણી સહિતનાની અટકાયત કરાઇ હોવાનું તેમજ તેમને ટોર્ચર કરાયા હોવાનો આક્ષેપ ભાજપના આગેવાન અશોક લાડાણી દ્વારા કરાયો છે.મોબાઇલમાં આવેલો પત્ર મેં મારા મિત્રને મોકલ્યો હતો : અશોક લાડાણી આ મામલે ભાજપનાં અગ્રણી અશોક લાડાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, મારા મોબાઈલમાં એક લેટર આવ્યો હતો, જે મે મારા મિત્રને મોકલ્યો હતો. ત્યારબાદ મને જાણ કર્યા વિના પોલીસ મારી ઉલટ તપાસ કરવા માટે પોલીસ મારા ઘરે પહોંચી હતી. ત્યારબાદ મને પોલીસ મથકે લઈ જવાયો હતો અને મને માનસિક ટોર્ચર કર્યો હતો. ઉપલેટા અને રાજકોટનાં કહેવાતા આગેવાનોનાં કહેવાથી મને બઉ હેરાન-પરેશાન કર્યો છે. આ પછી પોલીસ દ્વારા અમને આશ્વાસન અપાયું હતું કે, આની તપાસ પૂર્ણ કરશું. પરંતુ મારી નીચે રાજભાઈ વાઢેર, કરશનભાઈ, લખીરાજ બાપુ આ તમામ મિત્રોનું નિવેદન લેવામાં આવ્યું છે. આજે ઘટનાને સાત દિવસ પૂરા થવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે.
મધ્ય ગુજરાત
વધુ વાંચો
ગુજરાત
30, માર્ચ 2025
આંખ મારે વો લડકી...ગીત પર એસ.પી. યુનિ.ના વીસી અને રજિસ્ટ્રારે ડાન્સ કર્યો
આણંદ, વિદ્યાનગર ખાતે બોલીવુડના રાજદીપ ચેટર્જીની મ્યુઝિક કોન્સર્ટમાં એસપીયુનિવર્સિટીના વીસી નિરંજન પટેલ અને રજિસ્ટ્રાર ભાઇલાલ પટેલ સહિત ડોકટરોને સંચાલકે સ્ટેજ પર બોલાવીને વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકો સામે આંખ મારે વો લડકી આંખ મારે ગીત પર ડાન્સ કરાવતો વીડિયો વાયરલ થતા વિવાદે જાેર પકડ્યું છે. વિદ્યાનગર ખાતે બોલીવુડના રાજદીપ ચેટર્જીની મ્યુઝિક કોન્સર્ટ ૨૫મી માર્ચે યોજાઇ હતી. કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી કોન્સર્ટમાં બોલીવુડના ગાયક કલાકાર રાજદીપ ચેટર્જીએ વીસી સહિતના આગેવાનો સ્ટેજ પર બોલાવીને તેઓને એક સાથે ડાન્સ કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતી હતા. ત્યારે ગાયક કલાકારે રાજદીપ ચેટર્જીની રજૂ કરેલા “આંખ મારે વો લડકી આંખ મારે” સોન્ગ પર વીસી નિરંજન પટેલ, રજિસ્ટ્રાર ભાઇલાલ પટેલ સહિત આગેવાનો ડાન્સ કરતાં સૌ વિદ્યાર્થી મુંઝાઇ ગયા હતા. જેને લઇને વિદ્યાનગર વિવાદ વકર્યો છે. એ તો વોર્મઅપ જેવું હતું જેમાં માત્ર હાથ ઉંચા નીંચા કર્યા હતા એસ.પી.યુનિવર્સિટીના વીસી નિરંજન પટેલ જણાવ્યું હતું કે, કલા સંગીત અને સાહિત્યના પ્રચાર માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ તો વોર્મઅપ જેવું હતું જેમાં ગાયક કલાકારે સ્ટેજ પર બોલાવીને હાથ ઉંચા નીંચા કરાવ્યાં હતા. અમે માત્ર હાથ ઉંચાનીંચા કરીને તાલી પાડીને ગાયકને પ્રોત્સાહન આપતાં હતા તેમાં ખોટુ શું છે.
બિઝનેસ
30, માર્ચ 2025
અમદાવાદ એરપોર્ટ પર ફૂડ પછી હવે લાઈવ ક્રિકેટ જોઈ શકાય એવી વ્યવસ્થા!! પહેલાં ખાણી-પીણી સાથે, પાર્કિંગ અને માલ સામાનની પર ભરપૂર ડિસ્કાઉન્ટ ઑફર્સ શરૂ કરાઈ હતી!
વડોદરા : સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (એસવીપીઆઇ) એરપોર્ટ પર ક્રિકેટ રસીયાઓ માટે અદભૂત મનોરંજન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એરો ફેન બોક્સના લોન્ચ સાથે મુસાફરો અને અમદાવાદીઓ હવે હવાઈ અડ્ડા - T1 આગમન પર મેચ-ડે વાતાવરણનો અનુભવ જીવંત માણી રહ્યા છે. એસવીપીઆઇ એરપોર્ટ પર એરો ફેન બોક્સની મજા ક્રિકેટ સીઝન 25 મે સુધી દરરોજ માણી શકાશે. આ ઉપરાંત આઇપીએલ ઇવેન્ટ દરમિયાન વિશિષ્ટઈનામો પણ રાખવામાં આવ્યા છે.મનોરંજક રમતો અને પ્રવૃત્તિઓથી લોકોની ઉત્સુકતા જળવાઈ રહે તવો હેતુ છે, ખાસ કરીને ગુજરાત ટાઇટન્સના મેચના દિવસો અને સપ્તાહના અંતે.હવે તો એરપોર્ટ પર કેન્ટિન પણ શરૂ કરવામાં આવી હોવાથી સસ્તા ભાવે વિવિધ ફૂડ પણ માણી શકાય છે. એક અનોખા અને અદભૂત મનોરંજનથી એરપોર્ટ ક્રિકેટ ફીવરથી ગુંજી ઉઠશે.
ગુજરાત
28, માર્ચ 2025
આણંદના બેડવા ગામમાંથી બોગસ મેડિકલ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું
આણંદ, આણંદ એસ.ઓ.જી પોલીસે બેડવા ગામ નજીક આવેલી નવી આરટીઓ કચેરી બહારથી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ પકડ્યું છે. પોલીસે સામરખા ગામના રિઝવાન મુસ્તુફાભાઈ વ્હોરા અને તેના પુત્ર રાહીલની ધરપકડ કરી છે.આરોપીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માટે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવતા હતા. તેઓ મેડિકલ ઓફિસરના બનાવટી સહી-સિક્કા કરીને આ સર્ટિફિકેટ જરૂરિયાતમંદ લોકોને વેચતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ અલગ-અલગ તબીબોના બનાવટી સિક્કા અને ૨૪ બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. આ ઉપરાંત એક્સપ્રેસ મોટર ટ્રેનિંગ સ્કૂલનો રબર સ્ટેમ્પ, લેપટોપ, પ્રિન્ટર, ઇન્વર્ટર, બે મોબાઇલ અને ઓમની કાર મળી કુલ ૮૫ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આણંદ હેડક્વાર્ટરના ડી.વાય.એસ.પી રિદ્ધિ ગુપ્તાના જણાવ્યા મુજબ, આ કૌભાંડમાં ઇ્ર્ં એજન્ટ કે કચેરીના અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાત
28, માર્ચ 2025
નડિયાદના સલુણ તળપદમાંથી ૩૧૦૦ કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત
નડિયાદ, નડિયાદના સલુણ તળપદ ગામની ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ ખાતેથી ૩૧૦૦ કિગ્રાથી વધુ ભેળસેળીયા ઘી નો જથ્થો મળી આવતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભગ નડિયાદે અગાઉ આ ફેક્ટરીને ચકાસણી કરી વિવિધ ક્ષતીઓ બાબતે ગયા ફેબ્રુઆરી માસમાં નોટીસ પાઠવી હતી. જેનો જવાબ ફેક્ટરીના માલિક દ્વારા અયોગ્ય રીતે અપાતા જે બાદ શંકાના આધારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે બુધવારે ઓચિંતો દરોડો પાડ્યો હતો. ફુડ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ‘પહેલી નજરે જાેયું તો, ફેક્ટરી બંધ જેવી લાગતી પરંતુ જેવો ગેટ ખોલ્યો અને ભેળસેળીયા ઘી નો બનાવવાની કામગીરી જાેઈ અમારી આંખો પહોળી થઈ ગઈ હતી’. આ ઘી નું પ્રોડ્ક્શન અહીંયા થતુ અને તેને જિલ્લા બહાર વેંચાણ અર્થે મોકલી આપવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે.પેઢીનું લાઈસન્સ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ દ્વારા બુધવારના રોજ નડિયાદના સલુણ તળપદ ગામે આવેલ શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ, બ્લોક ૮૯૩-૧-૨, ગોડાઉન નં. ૩ ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાં પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીના જવાબદાર દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીને હાજર રાખી સ્થળ પર રહેલ જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર કરેલ ઘી (શ્રી કલ્યાણી બ્રાન્ડ), ઘી માં ઉમેરવા માટે બટર ઓઈલ તેમજ ઘીની ફલેવરની ભેળસેળની શંકા જતા તંત્ર દ્રારા કાયદા હેઠળની કાર્યવાહી કરતા દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં શ્રી કલ્યાણી બ્રાન્ડ ૧૫ કિગ્રાના ડબ્બામાંથી ઘીનો નમુનો લેવામાં આવેલ. પ્રાથમિક તપાસમાં ભેળસેળીયા ઘી હોવાનું સામે આવતા તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પેઢીનું એફ.એસ.એસ.એ. લાઈસન્સ પણ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દીધું છે . ત્રણ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા તેમજ તેમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ અને ઘીની ફલેવરનો પણ નમુના લેવામાં આવેલ. વધુમાં ઉક્ત ઘીનો નમુનો લીધા બાદ બાકીનો આશરે ૧૫૦૦ કિગ્રા જથ્થો (કિંમત: રૂ. ૫.૨૫ લાખ), બટર ઓઈલનો ૧૬૦૦ કિગ્રા જથ્થો (કિંમત: રૂ. ૩.૫ લાખ) અને ઘી ની ફ્લેવર નો ૧ લીટર જથ્થો (કિંમત: રૂ. ૩૬૦૦) એમ કૂલ ૩૧૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૮.૭૫ લાખ જેટલી થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત લીધેલ તમામ ત્રણ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. આ સાથે આ પેઢી દ્વારા અન્ય ગુનાહીત પ્રવૃતિ ફરી ન આચરી શકે તે અર્થે પેઢીને એફ.એસ.એસ.એ. લાઈસન્સ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તે નમૂનાઓને પૃથકકરણ માટે મોકલાવ્યા છે અને અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત
27, માર્ચ 2025
આણંદમાં દેશની પ્રથમ સહકારી યુનિ. સ્થપાશે
આણંદ, આણંદમાં દેશનું પ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય સ્થાપવાના માર્ગ મોકળા થયા છે. બુધવારે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ-૨૦૨૫ને મંજૂરી મળી છે. આ યુનિવર્સિટી દેશભરની સહકારી મંડળીઓ માટે કુશળ માનવબળ તૈયાર કરશે. યુનિવર્સિટીનું નામકરણ ભારતીય સહકારી આંદોલનના અગ્રણી અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલના નામ પરથી કરવામાં આવ્યું છે. સહકાર મંત્રી અમિત શાહે આ અંગેની જાહેરાત કરી હતી. આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે સંસદમાં જણાવ્યું કે આ વિશ્વવિદ્યાલય “સહ: સમૃદ્ધિ”ના સિદ્ધાંત પર કાર્ય કરશે. તેમણે આ ઐતિહાસિક ર્નિણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. વિશ્વવિદ્યાલયમાં ડેરી, મત્સ્યપાલન અને બેન્કિંગ જેવા વિષયોનું શિક્ષણ અપાશે. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવામાં આવશે. ત્રિભુવનદાસ પટેલે ૧૯૪૬માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કરી હતી, જે આજે અમૂલ તરીકે જાણીતું છે. તેમણે “એક વ્યક્તિ, એક મત”ના સિદ્ધાંત દ્વારા ખેડૂતોને સમાન અધિકાર આપ્યા. તેમના કાર્યની કદરરૂપે તેમને રેમન મેગ્સેસે એવોર્ડ અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉત્તર ગુજરાત
વધુ વાંચો
ગુજરાત
30, માર્ચ 2025
શાળામાં બાળકોની સુરક્ષા અને શિક્ષણ મામલે કોઇની લાલિયાવાડી નહીં ચાલે : શિક્ષણ મંત્રી
ગાંધીનગર, જૂનાગઢના ખજૂરી હડમતીયા ગામની પ્રાથમિક શાળાના સ્લેબની કામગીરી નબળી હોવાની ફરિયાદ મળતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તાત્કાલિક આ સ્લેબને તોડી પાડીને નવો સ્લેબ બાંધવા માટે આદેશો કરીને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહીની સૂચના આપી હતી. ગુજરાતમાં આજે બાળકો ભણી ગણીને આગળ વધી રહ્યા છે, ત્યારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર હરહંમેશ એક્શન મોડમાં કામગીરી કરી રહી છે. ત્યારે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે, ગુજરાતની કોઈ પણ શાળામાં બાળકોની સુરક્ષા અને શિક્ષણ બાબતે કોઈ પણ પ્રકારની લાપરવાહી કે લાલિયાવાડી ચલાવવામાં નહીં આવે તેમજ ગુજરાત રાજ્યની શિક્ષણની અંદર ગેરવહીવટ કે ગેરરીતિ ચલાવી લેવાશે નહિ. જાે કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે તેમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું.જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામના અનુસંધાને તા. ૧૯ માર્ચ ૨૦૨૫ના રોજ ગ્રાઉન્ડ ફલોરના સ્લેબનું કાસ્ટીંગના બીજા દિવસે બાંધકામની ગુણવત્તા વિશેની ફરિયાદ ગ્રામવાસીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાને કરાઇ હતી. આ ફરિયાદને ધ્યાને રાખીને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તાત્કાલિક પગલાં લેવા સમગ્ર શિક્ષા કચેરી અને સંબધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. શિક્ષણ રાજ્ય મંત્રીના ટેલિફોનિક આદેશ પર જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, થર્ડ પાર્ટી ઇજનેર, ટીઆરપી, એજન્સીના પ્રતિનિધિઓએ તેજ દિવસે રાત્રે ૮:૩૦ કલાકે સ્થાનિક આગેવાનો સાથે શાળાના વર્ગખંડની સ્થિતિની સમીક્ષા કરી હતી. તપાસ દરમિયાન બાંધકામ ની ગુણવત્તા અસંતોષકારક જણાઈ હતી. જે અંગેની જાણ શિક્ષણ રાજ્ય મંત્રીને કરાઇ હતી. જેથી શિક્ષણ રાજ્ય મંત્રીએ ઉક્ત શાળાના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટીંગ તોડી નાખવાનો અને નવું બાંધકામ શુરુ કરવા માટેનો આદેશ આપ્યો હતો. આ સાથે જ એજન્સી અને સંબધિત અધિકારીને નોટિસની સૂચના આપી હતી, જ્યારે ઇજનેરને બરતરફ કરવામાં આવ્યો છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના ત્વરિત અને કડક કાર્યવાહીને પગલે એજન્સીને ૭ દિવસની અંદર સ્લેબ તોડવાની પ્રક્રિયા શરૂ કરવા તેમજ તોડફોડ દરમિયાન સલામતીની સંપૂર્ણ તકેદારી રાખવા અને કામગીરીની ફોટોગ્રાફ્સ સાથે અહેવાલની નોંધ લઈ ગાંધીનગર કચેરીમાં રજૂ કરવા જણાવ્યું હતું.શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરિયાએ શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પારદર્શિતા અને જવાબદારી નો સંદેશો આપતા જણાવ્યું કે, રાજ્યમાં જે સ્થળોએ શાળાનું કામ નબળું થશે, ત્યાં આ જ પ્રકારે બાંધકામ તોડીને પાડવામાં આવશે તેમજ તે કિસ્સાઓમાં જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. આજે શિક્ષણ રાજ્ય મંત્રીની સૂચના પ્રમાણે જૂનાગઢની ખજુરી હડમતીયા શાળાના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટીંગ તોડી નવેસરથી બાંધવાનું કામ શાળા સંચાલન સમિતિ અને સ્થાનિક તંત્રની દેખરેખ હેઠળ આ કામગીરી ઝડપભેર શરૂ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામની સરકારી પ્રાથમિક શાળા તેમજ કામરેજ વિધાનસભાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે બાંધકામ ની ગુણવત્તા નબળી જણાતા ત્વરિત એક્શન લઈને બાંધકામ તોડાવીને ગુણવત્તાસભર બાંધકામના આદેશ આપ્યા હતા.
ગુજરાત
30, માર્ચ 2025
ગુજરાતમાં જી-૨૦ અને વાઈબ્રન્ટ ગુજરાત પાછળ રૂ.૧૬૨,૭૫,૨૩,૭૬૯ ખર્ચ થયો
ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન જી-૨૦ સમિટ અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પાછળ કુલ મળીને રૂ. ૧૬૨,૭૫,૨૩,૭૬૯/ની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં એકરાર કરાયો છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસની બેઠકમાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન આમ આદમી પાર્ટીના જામજાેધપુરના ધારાસભ્ય હેમંત હરદાસભાઈ ખવાએ સવાલ ઉઠાવ્યો હતો. જેમાં તેમણે તા. ૩૧-૦૧-૨૦૨૫ની સ્થિતિએ રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ઉદ્યોગ પ્રભાગ તાબા હેઠળ ઇન્ડેક્સ-બી દ્વારા કેટલા મહોત્સવો, સમિટ અને શો યોજવામાં આવ્યા હતા? ઉક્ત મહોત્સવ, સમિટ અને શો વાર ક્યાં હેતુ માટે કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો? તેની માહિતી માંગી હતી. ધારાસભ્ય હેમંત ખવાના સવાલના પ્રત્યુત્તરમાં રાજ્યના ઉદ્યોગ મંત્રીએ લેખિતમાં માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ઉક્ત સ્થિતિ છેલ્લા બે વર્ષમાં જી-૨૦ દેશોની ભારતની અધ્યક્ષતા દરમિયાન ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ બેઠકો/મિટિંગો યોજાઇ હતી. તેમજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નું આયોજન કરાયું હતું.આ આયોજન અંતર્ગત જી-૨૦ દેશોની ભારતની અધ્યક્ષતા દરમિયાન ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ બેઠકો અને મિટિંગોનું આયોજન કરાયું હતું. જે અંગે રૂ. ૪૮,૨૧,૯૩,૮૯૩/ની રકમનો ખર્ચ થયો હતો. જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના આયોજન પાછળ કુલ મળીને રૂ. ૧૧૪,૫૩,૨૯,૮૭૬/ની રકમનો ખર્ચ થયો હતો. આમ છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારના ઉદ્યોગ પ્રભાગના તાબા હેઠળના ઇન્ડેક્સ-બી દ્વારા કુલ મળીને રૂ. ૧૬૨,૭૫,૨૩,૭૬૯/ની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત
30, માર્ચ 2025
અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
અંબાજી, આજ થી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી નો યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ કરાયો છે. જેને લઇ માતાજી નાં મંદિરમા વહેલા સવાર થી જ યાત્રીકો નો ભારે ધસારો જાેવા મળ્યો હતો,ચૈત્રી નવરાત્રી ના પગલે મંદીર ના સભા મંડપ માં ઘટસ્થાપન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્યમંત્રી ના ધર્મપત્ની હેતલ બેન , તેમના બહેન તેમજ પરિવાર જનો ખાસ આજની ઘટ સ્થાપન વિધિ માં જાેડાયા હતા અને ઘટ સ્થાપન વિધિ કરી હતી આજે આ ઘટ સ્થાપન માં સાત પ્રકાર ના અનાજ મિશ્રીત અનાજ ના જવેરા વાવવામાં આવ્યાહતા આમ તો આસો અને ચૈત્ર માસ ની બન્ને નવરાત્રી નો વિશેષ મહત્વ સમાયેલું છે. આજે શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી દરમીયાન શુભ મુહર્ત માં મંદિર નાં મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજ અને અધિક કલેકટર કૌશિક મોદી, ની ઉપસ્થીતી માં આ ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી. જાેકે આ ઘટસ્થાપન માં વાવવા માં આવતા જવેરા નવમાં દિવસે ઉગતાં જાેઇ ને ખેડુતો માટે નો વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે. અને જેટલાં જવેરાં મોટા થાય તેટલો મોટો વિકાસ થવા ની માન્યતાં આ ઘટસ્થાપન માં સમાયેલી છે.એટલુજ નહી આ નવરાત્રી માં પુજા અર્ચન ને મંત્ર નો વિશેષ મહત્વ સમાય્લુ છે ને હિન્દુઓ માટે નુ આજથી નવા વર્ષ ની પણ શરુઆત થાય છે જ્યારે આજે અંબાજી માં આજે પ્રથમ નોરતે દુરદુર થી આવેલા શ્રધ્ધાળુઓ એ સવાર ની મંગળા આરતી કરીને ધન્યતા પણ અનુભવી હતી અને સાથે વિશ્વ કલ્યાણ માટે સંકલ્પ કર્યો હતો.અંબાજી મંદિરના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂન શરૂ કરવામાં આવી આજ થી ચૈત્રી નવરાત્રી નો અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ થયો છે. જેને લઇ યાત્રીકો માં પણ ભારે ઘસારો જાેવા મળી રહ્યો છે. આમ તો આશો માસ ની નવરાત્રી માં નવ દિવસ ગરબા ની રમઝટ જામતી હોય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રી માં આજ થી માતાજી નાં ચાચર ચોક માં માં અંબા ના નામ ની અખંડ ધુન ની શરૂઆત કરવામાં આવી છે ને આ અખંડ ધુન નવે દિવસ રાત અને દિવસ ૨૪ કલાક ઉભા પગે કરવામાં આવશે. અંબાજી મંદિર માં ચૈત્રી નવરાત્રી દરમીયાન થતી આ અખંડ ધુન ભારતદેશ ની આઝાદી પુર્વે ૧૯૪૧ માં પ્રજા ઉપર આવી પડેલી આપત્તીઓ નાં નિવારણ અર્થે શરૂ કરવામાં આવી હતી જે અખંડ ધુન આજે પણ મહેસાણાં જીલ્લા નાં ૧૫૦ ઉપરાંત નાં શ્રધ્ધાળું ઓ નાં સંગઠન દ્વારા આ પરંપરા ને ૮૩ વર્ષ થી જાળવી રાખવામાં આવી છે ને આગામી સમય માં પણ આ અખંડ ધુન પરંપરા મુજબ ચાલુ રખાશે તેમ આયોજકો નું માનવું છે.અંબાજી અખંડ ધુન માં આવતા આ યાત્રીકો ૯ દિવસ તેલ થી બનાવેલુ ભોજન જમતા નથી એટલુજ નહી આ અખંડધુન માં મહીલાઓને સામેત કરવામાં આવતી નથી.
ગુજરાત
30, માર્ચ 2025
માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ લાગી,૧૦૦ હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં
અંબાજી, સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં આબુ રોડ પર શનિવારે બપોરે લાગેલી આગ રાત્રે ભયંકર બની ગઈ અને બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ. ગંભીરી નાળા અને રસ્તાથી બે કિલોમીટરથી વધુ દૂર શરૂ થયેલી આગ સાંજ સુધીમાં રસ્તાની કિનારે પહોંચી ગઈ હતી. આગ રસ્તાની કિનારે પહોંચતાની સાથે જ વન વિભાગ અને વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું. આગને રસ્તા પર ફેલાતી અટકાવવા માટે મ્યુનિસિપલ ડિઝાસ્ટર ટીમ અને ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ તરફથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, પરંતુ શનિવારે સાંજે પવન ફૂંકાતા આગ સતત ફેલાઈ રહી હતી. વાયુસેનાના કર્મચારીઓ અને એર સ્ટેશનની ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ રસ્તાની નજીક પહોંચેલી આગ પર કાબુ મેળવ્યો. રસ્તા પાસે લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ હતો. રાત્રિ દરમિયાન, વન વિભાગના ૨૦ કર્મચારીઓ અને ૬૦ થી વધુ કામદારો જંગલમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતા રહ્યા. સવાર સુધીમાં અડધાથી વધુ વિસ્તારમાં આગ કાબુમાં આવી ગઈ હતી. રેન્જર ગજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે શનિવારે બપોરે લાગેલી આગ રાત્રે ભયંકર બની હતી અને જંગલમાં આગ ઓલવવા માટે ફક્ત પરંપરાગત પદ્ધતિઓ જ અપનાવી શકાય છે. રસ્તાની બાજુમાં આગ લાગી ત્યારે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ, વાયુસેના, સેનાના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મદદ પૂરી પાડી હતી. રાત્રિ દરમિયાન, વન વિભાગે જંગલમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યાં આગ લાગી હતી અને લગભગ ૮૦ ટકા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. હાલમાં ગંભીરી ડ્રેઇન પાસે આગ લાગી છે અને ડ્રેઇનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે, જેના કારણે કેટલીક સમસ્યાઓ થઈ રહી છે. હાલમાં, વન વિભાગના ૮ કર્મચારીઓ અને ૩૦ મજૂરો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ કોઈ અજ્ઞાત કારણોસર લાગી હતી જેની તપાસ ચાલી રહી છે. આગને કારણે જમીન પર રહેતા પ્રાણીઓને ઘણું નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં વૃક્ષો અને છોડ પણ બળીને રાખ થઈ ગયા છે.
ગુજરાત
29, માર્ચ 2025
સોનીની ચાલી પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા ડિલિવરી બોયનું સારવાર દરમ્યાન મોત
અમદાવાદ, સોનીની ચાલી પાસે ડિલિવરી બોયની બાઇકને ટ્રકે ટક્કર મારતા યુવક ફંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં તેનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ઠક્કરનગરમાં રહેતા ઘેવરદાસ વૈષ્ણવ ખોખરા કાપડની દુકાનમાં નોકરી કરતા તેમજ ઝોમેટોમાં ડિલીવરી બોય તરીકે કામ કરતા હતા. ગત ૧ માર્ચે ઘેવરદાસ તેઓ બાઇક લઇને ઝોમેટોની ડિલિવરી કરવા માટે સોનીની ચાલીથી રાજેન્દ્ર પાર્ક તરફ જતા હતા ત્યારે હનુમાનનગરની સામે પહોચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલ આઇસર ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા ઘેવરદાસ ફંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત કર્યા બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. ત્યારે આસપાસના લોકોએ ભેગા થઇને ઘેવરદાસને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ઘેવરદાસનું મોત નિપજ્યુ હતુ. આ અંગે ઘેવરદાસની પત્નીએ આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ગુનો નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
દક્ષિણ ગુજરાત
વધુ વાંચો
ગુજરાત
30, માર્ચ 2025
આરટીઆઇ એક્ટિવિસ્ટનાં નામે આતંક મચાવનાર મનીષ ઘંટીવાલા સામે ખંડણીની ચોથી ફરિયાદ
સુરત, આરટીઆઇ એક્ટિવિસ્ટ હોવાનો રોફ ઝાડી બિલ્ડરો પાસે ખંડણી વસૂલતી ટોળકી સામે થઇ રહેલી ફોજદારી કાર્યવાહીમાં મનીષ ઘંટીવાલા સામે ચોથો ગુનો નોંધાયો છે. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર લક્ષ્મણનગરમાં રહેતા જનક પોપટભાઇ કાકડીયા કાપડના વેપારી છે. તેઓએ ઉધના નવસારી રોડ ઉપર દક્ષેશ્વર મહાદેવ મંદિર સામે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં આઈ-૧૧૩ નંબરના પ્લોટ ઉપર બાંધકામ શરૂ કર્યું હતું, આ દરમિયાન ત્યાં મનીષ ઘંટીવાલા પહોંચી ગયો હતો. પોતે આરટીઆઇ એક્ટિવિસ્ટ હોવાનું જણાવી તેણે કાકડીયાને કહ્યું હતું કે, તમે અહીં ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છો એમ કહી પૈસા માંગ્યા હતાં. કાકડીયાએ પૈસા આપવાની ના પાડી તો મનીષે તેની ધમકીને અનુસરતાં સાઉથ ઝોન ઉધનામાં અરજી કરી હતી. ત્યારબાદ તેણે ફરી કાકડીયાનો સંપર્ક કર્યો અને પોતે અરજી કરી છે, જો એક લાખ રૂપિયા આપવામાં નહીં આવે તો બાંધકામ તોડાવી નાંખશે એમ કહ્યું હતું. આ રીતે ડરાવી ધમકાવી ઘંટીવાલાએ કાકડીયા પાસેથી બળબજરી પૂર્વક ૫૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતાં. આ મનીષ ઘંટીવાલા સામે પાલનપુરમાં રહેતા જીતેન્દ્ર શંકરભાઈ વસાવાએ પણ ફરિયાદ નોંધાવી હતી. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં પ્લોટ નંબર સી ૧૨૮માં તેઓ બાંધકામ કરી રહ્યા હતા ત્યારે ઘંટીવાલા એ ત્યાં આવી બાંધકામનાં ફોટા પાડ્યા હતા. ત્યારબાદ જીતેન્દ્ર પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી જો પૈસા નહીં આપે તો કલેક્ટર કચેરીમાં અરજી કરી આ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ પરંતુ મનીષે જણાવ્યું હતું કે હું ઉધના વિસ્તારમાં જ રહું છું અને તારા શેઠના ટાંટિયા તોડાવી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વેસુ વિસ્તારમાં જીવરાજ સર્કલ પાસે રાજહંસ જીવનમાં રહેતા ૪૭ વર્ષીય અશોક મહાવીર પ્રસાદ અગ્રવાલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કરી રહ્યા હતા. ત્યાં પહોંચી ગયેલા મનીષ ઘંટીવાળાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં ખોટી અરજીઓ કરી બાંધકામ તોડાવી નાખ્યું હતું. અશોકે મનીષ ઘંટીવાળાનો સંપર્ક કર્યો તો તેણે ૫૦,૦૦૦ ની માંગણી કરી હતી. જેથી અશોકભાએ ઘંટીવાલા સામે ગુનો નોંધાવ્યો હતો. ડિંડોલીના ઓમ નગરમાં રહેતા સંજય જસવંતકુમાર પટેલે ઓગસ્ટ ૨૦૨૨માં ઉધના મેઇન રોડ ઉપર બીઆરસી કંમ્પાઉન્ડ, લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કમાં પ્લોટ નંબર જી-૭૨ ઉપર બાંધકામનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. દરમ્યાન ફેબ્રુઆરી-૨૦૨૩ માં ઉધના વિસ્તારમાં રહેતા મનિષ ઘંટીવાલા (રાણા) એ સંજય પટેલને કોલ કરી ધમકી આપી હતી. ત્યારબાદ માર્ચ-૨૦૨૩માં આ મનિષ ઘંટીવાળા બાંધકામ સ્થળે ગયો અને ફોટા પાડવા માંડ્યો હતો. સંજયે તેને રોક્યો તો તેણે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા માંગવા સાથે મનિષે ધમકી આપી હતી કે, જો નહીં આપો તો આ ફોટા સાથે કલેકટર કચેરીએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજીઓ કરી તમારું બાંધકામનું ડીમોલિશન કરાવી નાખીશ. મનીષ ખોટી રીતે અરજીઓ કરી હેરાન પરેશાન કરી ધંધો બગાડશે એવી ભીતિ લાગતાં સંજય પટેલે મીટિંગ કરી ૭૦,૦૦૦ રૂપિયા આપી દીધા હતા.
ગુજરાત
30, માર્ચ 2025
અમેરિકા રહેતા ભાણોદ્રાનાં ચાર ભાઇઓ દ્વારા જમીન વેચાણમાં ૨.૬૦ કરોડનું ચીટિંગ
સુરત, સેન્ટ્રલ અમેરિકાનાં પનામા ખાતે રહેતા ભાણોદ્રા ગામના ચાર ભાઇઓએ અગાઉ વેચી દીધી હતી એ જમીન પાંડેસરામાં પેટ્રોલપંપ ધરાવતાં ઉધનાનાં યુવકને ફરી વેચાણે આપી ૨.૬૦ કરોડ રૂપિયા પડાવી લીધા હતાં. ભેસ્તાન પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઉધનાગામમાં મહાદેવ મંદિર પાસે ભરતભાઈ પ્રવીણભાઈ વશી તેમના પરિવાર સાથે રહે છે. તેઓ પાંડેસરામાં દક્ષેશ્વર મહાદેવ મંદિર પાછળ જીએચવી રોડ પર પેટ્રોલ પંપ ચલાવે છે. ભાણોદરા ગામના વતની અને હાલ સેન્ટ્રલ અમેરિકાના પનામા શહેરમાં રહેતા બદ્રેઆલમ ઇસ્માઇલ તથા તેના ભાઈઓ મકબુલ ઇસ્માઇલ, હનીફ અને રસીદ ઇસ્માઇલ વર્ષ ૨૦૧૨માં વતન આવ્યા હતાં. એ સમયે ઇકલેરા ગામના પાદર ફળિયામાં રહેતો મોહમ્મદ સોહેબ ઇબ્રાહીમ હાફેઝા ભરત વશી પાસે આવ્યો હતો. સોહેબ હાફેઝાએ બદ્રેઆલમ અને તેના ત્રણ ભાઇઓની ભાણોદ્રામાં આવેલી સર્વે નં-૨૨/૨,બ્લોક નં-૩૮ વાળી આશરે ૫.૧૯ વિઘા જમીન વેચાણે આપવાની હોવાની વાત કરી હતી. આ ચારેય ભાઈઓ અમેરિકા રહે છે. તેઓની આ જમીન ટાઇટલ ક્લિયર છે. સોહેબની વાતમાં ભરોસો મૂકી ભરતભાઇ વશી તેમના મિત્ર જેનીસ હિતેન્દ્ર લાડ તથા દલાલીનું કામ કરતાં આસીફભાઇ જોયતા સાથે આ જમીન અંગે બદ્રેઆલમ અને તેના ભાઇઓ મકબુલ ઇસ્માઇલ, હનીફ અને રસીદ ઇસ્માઇલને મળ્યા હતાં. આ મિટીંગમાં ૮,૮૨,૩૦,૦૦૦ રૂપિયા અવેજ નક્કી કરી જમીનનો સોદો કરાયો હતો. સોદા અંગે તેઓએ એડવોકેટ નોટરી હિતેશ જે. પટેલ પાસે લખાણ પણ કરાવ્યું હતું. ત્યારબાદ દલાલ મોહમ્મદ સોહેબ હાફેઝાની હાજરીમાં જમીન માલિક ભાઇઓને ચેક તથા રોકડથી કુલ ૨,૬૦,૦૦,૦૦૦ રૂપિયા ચુકવી દીધા હતાં. સોદો કરાયો એ સમયે નક્કી કરાયા અનુસાર જુલાઈ ૨૦૧૪ પછી સોળ મહિનામાં એક સાથે બાકીની રકમ ચુકવી દસ્તાવેજ કરવાનો હતો. આ સમય પુરો થતાં વશીએ બદ્રેઆલમ અને તેના ભાઇઓને કોલ કરી દસ્તાવેજ માટે ભારત ક્યારે આવો છો એ અંગે પૂછવા માંડ્યું હતું, જો કે, તેઓએ માત્ર વાયદા કર્યા હતાં. દરમિયાન બદ્રેઆલમ કોરોનાકાળ પહેલા વતન આવ્યો હતો. આ વાત જાણી ભરત વશી તેમને મળવા ગયા હતાં. બદ્રેઆમલે તેમને આ વખતે હું એકલો આવ્યો છું, થોડા સમયમાં બધા ભાઈઓ સાથે આવીશું એટલે દસ્તાવેજ કરી આપીશું એવો વાયદો કર્યો હતો. ત્યારબાદ બદ્રેઆલમ ફરી પનામા ચાલ્યો ગયો હતો. જાન્યુઆરી ૨૦૨૩માં બદ્રેઆલમ ફરી વતન આવ્યો અને વશી તેમને મળવા ગયા હતા. જો કે, એ સમયે પણ તેણે એકલો આવ્યો છું, બધા ભાઇઓ સાથે આવીશું ત્યારે દસ્તાવેજની કાર્યવાહી પૂરી કરીશું એવા વાયદા કર્યા હતાં. આ રીતે સમય પસાર થયો એ દરમિયાન જમીનના ભાવ વધી ગયા હતાં. જેથી પનામા રહેતાં ચાર ભાઇઓ અને અહીં દલાલી કરતાં તેમના કઝીન સોહેબે આ જમીન ફરીથી વેચાણ માટે તજવીજ કરવા માંડી હતી. એવામાં ૧૫ મે, ૨૦૨૪ના રોજ સુરતના અખબારોમાં વશીએ રાખી હતી એ જમીન અંગે જાહેર ચેતવણી છપાઈ હતી. વશીએ તેમના વકીલ મારફત જમીનના સોદા અને ચૂકવેલી રકમ અંગે માહિતી સાથે વાંધો નોંધાવ્યો હતો. એવામાં ૨૩ મે, ૨૦૨૪ના રોજ શૈલેષ દિનેશચંદ્ર પટેલે પણ જમીન પોતે ખરીદી હોવાની અખબારમાં જાહેર નોટિસ છપાવી હતી. આ વાંચી ભરતભાઇ વશીએ તેમનો સંપર્ક કર્યો હતો. જેમાં શૈલેષ પટેલે જમીનનો સોદો કરી ૩૫,૦૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યાની વાત જણાવી હતી. આ રીતે ચાર ભાઇઓએ તેમની જમીન શૈલેષ પટેલને વેચી ૩૫ લાખ રૂપિયા લીધા હોવા છતાં ફરીથી ભરત વશી સાથે સોદો કરી ૨.૬૦ કરોડ પડાવી ચીટિંગ કર્યાનું બહાર આવતાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.
ગુજરાત
30, માર્ચ 2025
ગાડીમાં દારૂ પીતા ઝડપાયેલાં રાંદેર પોલીસમથકનાં પીએસઆઇ પટેલ સસ્પેન્ડ
સુરત, રાંદેરમાં હિદાયત નગર પોલીસ ચોકી સામે જ ગાડી પાર્ક કરી દારૂનો નશો કરતા ઝડપાયેલા પીએસઆઇ પટેલને આખરે સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કે, પટેલની ગાડીમાં દારૂ ભરેલો ગ્લાસ અને વ્હીસ્કીની બોટલ પડી હોવાનો વિડીયો બન્યો અને વાયરલ થયો હોવા છતાં એ મામલે તેમની સામે ફોજદારી રાહે કોઇ કાર્યવાહી કરાઇ નથી, સામાન્ય પ્રજાના કાયદાનાં પાઠ ભણાવતી પોલીસ તેમના જ અધિકારીએ યુનિફોર્મમાં ચાલુ ફરજે કરેલા ગંભીર કૃત્યને છાવરવા આકાશ પાતાળ એક કરી રહી છે. રાંદેર પોલીસ સ્ટેશન તાબાની હિદાયત નગર પોલીસ ચોકીમાં છેલ્લા દોઢેક મહિનાથી પીએસઆઇ એ. એ. પટેલ ફરજ બજાવે છે. ૨૮મી માર્ચની રાતે પીએસઆઇ પટેલ તેમની આદત અનુસાર હિદાયત નગર પોલીસ ચોકીની બહાર જીજે ૦૨ સીએલ ૧૫૭૩ નંબરની લાલ રંગની મારુતિ બ્રિઝા ગાડીમાં બેઠા હતાં. આગળના કાચ પાસે પોલીસ લખેલું પાટિયું મૂકી કાર ચાલુ રાખી બેસેલા પટેલ છાંટોપાણી કરી રહ્યા હતાં. આ દરમિયાન ગાડી હટાવવા માટે તેમને સ્થાનિક રહેવાસીઓ સાથે માથાકૂટ થઇ હતી. આ વાત એટલી વધી કે ત્યાં ટોળું થઇ ગયું હતું. હોબાળો મચાવવા માંડેલા ટોળાએ ફોજદાર સાહેબને ગાડીમાંથી બહાર નીકળવા મજબૂર કરી દીધા હતાં. પટેલ ગાડીની બહાર પગ મૂકતાં જ લથડિયું ખાઈ ગયા હતાં. દરવાજો ખુલ્યો અને ટોળાએ ડોકિયું કર્યું તો કારમાં આગળની સીટ ઉપર દારૂ ભરેલો ગ્લાસ સાથે વ્હીસ્કીની બોટલ પણ દેખાય હતી. સાહેબ પોલીસ ચોકી સામે જ કારમાં બેસી દારૂ પી રહ્યાની વાત ફેલાઈ અને ટોળાને ફાવતું મળ્યું અને ભારે હોબાળો મચ્યો હતો. દરમિયાન કોઇકે કંટ્રોલમાં કોલ કરી દેતા રાંદેર પોલીસની પીસીઆર વાન ત્યાં ધસી આવી હતી. દરમિયાન પીએસાઇ રિક્ષામાં બેસી ત્યાંથી નીકળી ગયા હતાં. તેઓ પોલીસ મથકે જાઉ છું એમ કહી નીકળ્યા હોય લોકો પોલીસ મથકે ગયા હતાં, ટોળાએ પીએસઆઇ સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી. દબાણ ઊભું થતાં રાંદેર પોલીસે ઘરભેગા થઇ ગયેલા ફોજદાર પટેલ બોલાવી નવી સિવિલ લઇ જઇ એમએલસી અને બ્લડ ટેસ્ટ કરાવવા પડ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આખી ઘટનાનો ઉપરી અધિકારીઓને રિપોર્ટ પણ કરાયો હતો. આ બાબતને ગંભીરતાથી લઇ ઉપરી અધિકારીઓએ પીએસઆઇ પટેલને સસ્પેન્ડ કર્યા હતાં. જો કે, અધિકારીઓનું આ પગલુ વિવાદ ઠારવા માટેનું છે એવી ચર્ચા પણ ઉઠી છે. પટેલ યુનિફોર્મ પહેરી, પોલીસ ચોકીની સામે જ દારૂનો નશો કરે એ ખૂબ ગંભીર બાબત છે. પટેલની ગાડીમાં દારૂ ભરેલો ગ્લાસ અને વ્હીસ્કીની બોટલ હોવાનો વીડિયો વાયરલ થયો એટલે તેમણે ગેરકાયદે દારૂ સાથે રાખ્યાનું સાબિત થઇ જાય છે. આમ છતાં તેમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરાઇ નથી. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી ગુલબાંગો પોકારતાં અધિકારીઓ કાયદાના લીરેલીરા ઉડાવતાં તેમના અધિકારી સામે કાયદેસર કાર્યવાહી મુદ્દે પીછેહટ કરતાં જોવા મળી રહ્યા છે.
ગુજરાત
29, માર્ચ 2025
પ્રેમિકાનાં પડોશીની હત્યા કરીને ૧૯ વર્ષથી નાસતો ફરતો ઓરિસ્સાવાસી યુવક ઝડપાયો
સુરત, ઓડિશાનાં ગંજામ જિલ્લાનાં ડેન્ગાપાદર ગામનો વતની હીના ઉર્ફે રવિ હરિ પ્રધાન વર્ષ ૨૦૦૫-૦૬માં સુરતમાં ઉમરા વિસ્તારમાં રહેતો હતો. એ સમયે હીનાને તેના ઘર નજીક રહેતી સોની નામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ઓગસ્ટ ૨૦૦૬માં હીના પ્રધાન તેની પ્રેમિકા સોનીને લઇ ડુમસ ફરવા ગયો હતો. મોટર સાયકલ પર ફરતાં આ પ્રેમી પંખીડાને પાડોશી પ્રશાંત વાસુદેવ દાસ જાેઇ ગયો હતો. ત્યારબાદ સોનીનાં પરિજનોએ તેને બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેથી પ્રશાંત દાસે સોનીનાં પરિવારની ચઢામણી કરી હોવાની વાત હીના ઉર્ફે રવિના મનમાં ઘર કરી ગઇ હતી. પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ બન્યાની અદાવત રાખી રવિએ બદલો લેવાનું નક્કી કર્યું હતું. તે ૧૨મી ઓગસ્ટે તેના મિત્રો સાથે પ્રશાંતના ઘરે પહોંચી ગયો હતો. હથિયારો સાથે આવેલી ટોળકીએ પ્રશાંત અને તેના રૂમ પાર્ટનર ઉપર હુમલો કરી દીધો હતો. હીના ઉર્ફે રવિએ ચંદન કોડીને પેટના ભાગે ચપ્પુનો ઘા તથા શ્રીનિવાસને પગમાં તથા કમરના ભાગે ઘા ઝીંકવામા આવ્યા હતા, જ્યારે પ્રશાંતના ભાઈ સુકાંત ઉપર રવિ સાથે આવેલા યુવકોએ હુમલો કર્યો હતો. તેને પંજા તથા ડાબા હાથે તથા ડાબા કુલ્લાના ભાગે ચાપ્પુના બે ત્રણ ઘા મરાયા હતાં. આ ઉપરાંત પ્રશાંતને પણ માથામાં ચાકુનો ઘા મારવામાં આવ્યો હતો. જેમાં ચંદન કોડીનું મોત નીપજ્યું હતું. એક યુવકની હત્યા અને બે યુવકની હત્યાનો પ્રયાસ કરવા અંગે હીના ઉર્ફે રવિ તથા તેના સાગરિતો સામે ગુનો નોંધાયો હતો. જાે કે, તેઓ ફરાર થઇ ગયા હતાં. ૧૯ વર્ષથી નાસતા ફરતા હીના ઉર્ફે રવિને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી. જેમાં મળેલી માહિતીના આધારે ઓરિસ્સાના ભુવનેશ્વરથી હીના પ્રધાનને ઝડપી લેવાયો હતો. હીના પ્રધાનની પુછપરછ કરતા જણાવેલ કે આ હત્યામાં તેની સાથે વિજય ઉદય મહારાણા તથા રમેશ નામનો વ્યક્તિ હતો.આ બે પૈકી વિજય મહરાણાનું વર્ષ ૨૦૨૨માં ઇંજની ઇન્ડસ્ટ્રીઝમાં હત્યા કરાઇ હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
ગુજરાત
29, માર્ચ 2025
મોટાવરાછાની ગાયનેકોલોજિસ્ટનાં નામે પતિ અને સસરાએ બારોબાર ૧૪.૩૩ કરોડની લોન લઇ લીધી
સુરત, મોટાવરાછામાં નર્સિંગ હોમ અને આઇવીએફ ક્લિનિક ધરાવતી ડોક્ટરનાં નામે ડેન્ટિસ્ટ પતિ અને એકાઉન્ટન્ટ સસરાએ ૧૪.૩૩ કરોડની લોન લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ઉત્રાણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સિલ્વર પેલેસ રાસે સાંઇ હાઇટ્સમાં રહેતા નમ્રતા ગાયનેક ડોક્ટર છે. ઉત્રાણનાં આદિત્ય કોમ્પલેક્ષમાં આઈવીએફ સેન્ટર તથા નમ્રતા નર્સિંગ હોમ નામથી હોસ્પિટલ ચલાવતાં નમ્રતાનાં લગ્ન તુષાર પ્રકાશ ભારંબે સાથે થયા હતા. તુષાર સાથેનાં દાંપત્ય જીવનમાં બે સંતાનો થયા હતાં. તુષાર ભારંબે પહેલા વરાછા રોડ, અંબિકાવિજય સોસાયટીનાં નાકે તાપીબાગ શોપિંગ સેન્ટર ખાતે આસ્થા ડેન્ટલ નામનું દવાખાનું ચલાવતા હતા અને નમ્રતા આજ વિસ્તારની મધર કેર હોસ્પિટલમાં નોકરી કરતી હતી. એ સમયે નમ્રતા સાથે ગાયનેકોલોજિસ્ટ તરીકે કામ કરતાં ડો.પ્રકાશ ભટ્ટ સાથે તેણીએ ભાગીદારમાં પ્રકાશ ભટ્ટ નર્સિંગ હોમ નામથી હોસ્પિટલ શરૂ કરી હતી. ત્યારબાદ ૨૦૧૬માં તેણીએ ઉત્રાણ, આદિત્ય કોમ્પલેક્ષ, એ બિલ્ડીંગમાં ચોથા માળે ખાતે ત્રણ ગાળા ખરીદી નમ્રતા નસિંગ હોમ અને નમ્રતા આઇ. વી.એફ. સેન્ટર ચાલુ કર્યું હતું, હોસ્પિટલમાં કામ વધુ રહેવા ઉપરાંત ગૃહસ્થી પણ સંભાળતી નમ્રતાને સમય મળતો ન હોવાથી તેણીનાં બેંકને લગતા તમામ વ્યવહારો પતિ તુષાર સંભાળતો હતો. ફ્લેટ તથા હોસ્પિટલનાં લોનનાં હપ્તાનાં રોકડા રૂપિયા દર મહિને નમ્રતા આપતી હતી. ૨૦૨૦માં પતિ તુષારે બંને લોન ભરપાઇ થઇ ગયાની વાત કરી હતી. થોડા મહિના પછી હોસ્પિટલ તથા આઈવીએફ સેન્ટરની લોનની તમામ રકમ ભરપાઇ કરી દેવાયાનાં ડોક્યુમેન્ટ તેણીએ માંગતાં પતિ ગુસ્સે થવા માંડ્યો હતો. આ સમયગાળા દરમિયાન જયારે નમ્રતા ઓપીડીનાં કામમાં વ્યસ્ત હોય જેનો લાભ લઇ તુષાર કોઈને કોઈ કાગળોમાં સહી લઇ જતો હતો. આ દરમિયાન વર્ષ-૨૦૨૦માં ઉમરા પોલીસ સ્ટેશનથી મારા તુષાર ઉપર ફોન આવતા તેઓ ત્યાં ગયા હતાં. જ્યાં નમ્રતાને જાણવા મળ્યું કે તુષારે વી.આર.મોલની સામે આકાશ રીટેઇલ બિલ્ડિંગમાં જગ્યા રાખેલ છે જેનું મેઇન્ટેન્સ બાકી હોય તેઓએ અરજી કરી હતી. બિલ્ડર આકાશ તથા સમીરે જણાવ્યું હતું કે, તુષારે રાખેલા ત્રણ ગાળાનાં બે કરોડ રૂપિયા બાકી છે તે રૂપિયા તમારે ભરવાના છે. નમ્રતાની હોસ્પિટલમાં ૧૦ લાખની લોન સંદર્ભે નોટિસ આવી હતી. બાદમાં તુષારને આ અંગે પૂછાતાં તેણે કહ્યું કે, મેં આશરે ૧૬-૧૭ કરોડ રૂપિયાની લોન તથા હાથ ઉછીના લીધેલ છે. આ લોન નમ્રતાની જાણ બહાર તેણીનાં ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લેવાયો હતો. તુષારે ચીટિંગ અને વિશ્વાસઘાત કરેલાનું જણાતા નમ્રતાએ તેની સાથે મે-૨૦૨૨માં કસ્ટમરી છુટાછેડા કરાવવા સાથે ફેમિલી કોર્ટમાં પણ કેસ કર્યો હતો. ત્યારબાદ તુષાર ઔરંગાબાદ રહેવા જતો રહ્યો હતો. જાે કે, ત્યારબાદ જુદી જુદી બેંકોના માણસો નમ્રતાની હોસ્પિટલ અને ઘરે જઇ ઉઘરાણી કરવા આવવા માંડ્યા હતાં. નમ્રતાએ તપાસ કરતા તુષાર અને તેના પિતા પ્રકાશે તેણીનાં નામે ખોટી આવક બતાવીને આઈ.ટી રિટર્ન ભર્યા હોવાનું જણાયું હતું, આ ખોટા આઈ,ટી રિટર્નનાં આધારે એચ.ડી.એફ.સી, એચ.ડી.એફ.સી ફર્સ્ટ, આર.બી.એલ, એક્સીસ, બજાજ ફાયનાન્સ, ઈન્ડસઈન્ડ, સહિતની ૧૦ બેંકોમાંથી કુલ રૂપિયા ૧૪,૩૩,૩૪,૩૩૨ની લોન લીધી હતી. આ વાત બહાર આવતાં નમ્રતાએ પોલીસે તુષાર અને પ્રકાશ દગડુ ભારંબે સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By:
Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By:
Dalia Web & Soft Solution
Loading ...