નિતેશ તિવારી અને રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણ આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. રિપોટ્ર્સ અનુસાર, સાઉથનો સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણનો રોલ કરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં લંકાપતિ રાવણના પોશાક વાસ્તવિક સોનામાંથી બનાવવામાં આવ્યા છે. મતલબ કે ફિલ્મમાં યશ સોનાના કપડા પહેરીને જાેવા મળશે. કહેવાય છે કે રાવણની લંકા સોનાની હતી.ફિલ્મની નજીકના એક સૂત્રનું કહેવું છે કે વાસ્તવિક સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે રાવણ લંકાનો રાજા હતો અને તે સમયે સોનાની જાેગવાઈ હતી. જે કપડાંનો ઉપયોગ કરવામાં આવશે તે તમામ વાસ્તવિક સોનામાંથી બનાવવામાં આવશે. ર્નિદેશક નિતેશ તિવારી રામાયણને ૩ ભાગમાં બનાવી રહ્યા છે. તેના પહેલા ભાગનું બજેટ રૂ.૮૩૫ કરોડ છે.
Loading ...