મુંબઇ:આ વર્ષે, જન્માષ્ટમી, કાન્હાના પૃથ્વી પર ઉતરવાની રાત, ૨૬ ઓગસ્ટના રોજ દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. દેશની સાંસ્કૃતિક ધરોહરના સૌથી મોટા સુપર હીરો અને જેલમાં જન્મેલા કાન્હાની કહાનીનું મુંબઈમાં મંચન થવા જઈ રહ્યું છે. ધનરાજ નથવાણી દ્વારા રચિત સંગીતમય કૃષ્ણલીલા ‘રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’ ૧૫મી ઓગસ્ટથી ૧સપ્ટેમ્બર દરમિયાન મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે મંચાવવા જઈ રહી છે.
ગીતકાર અને લેખક પ્રસૂન જાેશીએ શોને રોમેન્ટિક બનાવવાની જવાબદારી લીધી છે. ‘રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’માં ભગવાન કૃષ્ણની બાળપણની રમતોથી શરૂ થયેલી યાત્રા પ્રથમ તબક્કામાં બ્રજથી મેવાડ સુધી આવશે. બીજા તબક્કામાં આ યાત્રા મથુરાથી દ્વારકા સુધી પહોંચશે.ડિઝનીની વાર્તા ‘બ્યુટી એન્ડ ધ બીસ્ટ’ના ભવ્ય મ્યુઝિકલ થિયેટર પ્રેઝન્ટેશનનું દિગ્દર્શન કરનાર શ્રુતિ શર્માને ‘રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’ના નિર્દેશનની જવાબદારી મળી છે. આ સમગ્ર સ્ટેજીંગમાં ૬૦ ડાન્સર્સ અને ૪૦ એક્ટિંગ માસ્ટર્સ ભાગ લેશે. આ સ્ટેજ પ્રેઝન્ટેશનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં શ્રી કૃષ્ણની બે અલગ-અલગ યાત્રાઓ પહેલીવાર એકસાથે બતાવવામાં આવશે. પ્રથમ યાત્રા શ્રીનાથજીની છે અને બીજી યાત્રા રાજાધિરાજ દ્વારકાધીશ બનવાની છે.સમગ્ર થિયેટર પ્રેઝન્ટેશન માટે ૨૦ મૂળ ગીતો તૈયાર કરવામાં આવ્યા છે. જેને કંપોઝ કરવાની જવાબદારી મ્યુઝિક કમ્પોઝર જાેડી સચિન-જીગરને આપવામાં આવી છે.
Loading ...