ઢાકા: બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે જણાવ્યું હતું કે ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ “ખૂબ જ મહત્વપૂર્ણ” છે અને નવી સરકાર હેઠળ ચાલુ રહેશે. સરકારના નાણા સલાહકાર સેલાહુદ્દીન અહેમદે આ વાત કહી. તેમણે ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્મા સાથેની મુલાકાત દરમિયાન ભારત સાથે “સહકાર વધારવા”ની આશા વ્યક્ત કરી હતી.સેલાહુદ્દીન અહેમદે કહ્યું, “ભારત સાથે અમારી પાસે જે પ્રોજેક્ટ છે તે મોટા પ્રોજેક્ટ છે અને અમે તેને ચાલુ રાખીશું, કારણ કે તે નાના પ્રોજેક્ટ નથી. અમે અમારા ફાયદા માટે બીજાે મોટો પ્રોજેક્ટ લઈશું.” તેમણે એમ પણ કહ્યું કે જે પ્રોજેક્ટ્સ પહેલાથી ચાલી રહ્યા છે તેને અમે રોકીશું નહીં અને તેના ફંડિંગ અને અમલીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.વચગાળાની સરકારના સલાહકારે જણાવ્યું હતું કે શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકારના પતન પછી ભારતની ત્રણ ક્રેડિટ લાઇન હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવા અંગે ચિંતા છે.ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ જણાવ્યું હતું કે નવી દિલ્હીએ બાંગ્લાદેશ માટે તેના કોઈ પણ ક્રેડિટ લાઈન પ્રોજેક્ટને રોક્યા નથી. “આ પ્રોજેક્ટ્સ ચાલુ છે અને તે ખૂબ મોટા પ્રોજેક્ટ્સ છે. કોન્ટ્રાક્ટરો પાછા આવશે અને પ્રોજેક્ટ્સ શરૂ કરશે,” તેમણે જણાવ્યું હતું.સેલાહુદ્દીન અહેમદે કહ્યું હતું કે, “અમે ભવિષ્યના સહયોગની પણ રાહ જાેઈ રહ્યા છીએ.” તેમણે કહ્યું કે ભારતીય ભંડોળથી ચાલતા પ્રોજેક્ટ્સ બાંગ્લાદેશની પોતાની જરૂરિયાતો પર આધારિત છે. “જાે કે, ડિલિવરીમાં કેટલીક સમસ્યાઓ છે અને અમે તેને ઉકેલવાની પ્રક્રિયામાં છીએ,” તેમણે કહ્યું.બેઠકમાં બંને પક્ષોએ વર્તમાન દ્વિપક્ષીય આર્થિક સહયોગને વધારવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી. અહેમદે કહ્યું કે ભારત બાંગ્લાદેશનો “મોટો પાડોશી” છે અને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને વેપારના ઘણા ક્ષેત્રો છે.ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશમાં રોકાણ અને આર્થિક સહયોગ માટે ભારતીય પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું, “અમે સરકાર સાથે ખૂબ જ નજીકના સંપર્કમાં છીએ, અને સલાહકાર સાથેની મારી મુલાકાત તેનો પુરાવો છે.”
Loading ...