મહિનાની શરૂઆત સાથે ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમો બદલાયા


સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે. આ મહિનાની શરૂઆત સાથે, ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમો બદલાયા છે. જાે તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે તેમના વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે. શું તમે પણ ક્રેડિટ કાર્ડનો યુઝ કરો છો? તો આ નિયમ જાણી લેજાે નહીં તો ભરવા પડશે વધારાના પૈસા. આજથી ઘણા નિયમો બદલાયા છે, તેની સીધી અસર ખિસ્સા પર પડશે. આજથી નવા મહિનાનો પ્રારંભ થયો છે. સપ્ટેમ્બરની શરૂઆત થતાની સાથે જ નિયમોમાં થયો છે મોટો બદલાવ. સપ્ટેમ્બરની શરૂઆત સાથે, ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમો બદલાયા છે. જાે તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે તેમના વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે. આ નિયમો ઇેઁટ્ઠઅ ક્રેડિટ કાર્ડ તેમજ ૐડ્ઢહ્લઝ્ર બેંક અને ૈંડ્ઢહ્લઝ્ર ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડ્‌સ સાથે સંબંધિત છે. ચાલો જાણીએ કે આજથી એટલે કે ૧લી સપ્ટેમ્બરથી ક્રેડિટ કાર્ડના કયા નિયમો બદલાયા છે.

૧ સપ્ટેમ્બરથી ઇેઁટ્ઠઅ ક્રેડિટ કાર્ડ ગ્રાહકો માટે રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (દ્ગઁઝ્રૈં) અનુસાર, હવેથી ઇેઁટ્ઠઅ ક્રેડિટ કાર્ડને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સની જેમ ેંઁૈં વ્યવહારો માટે રિવોર્ડ પોઈન્ટ્‌સ મળશે. દ્ગઁઝ્રૈંએ આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો, જેમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધારવા માટે રિવોર્ડ પોઈન્ટનું મહત્વ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ૐડ્ઢહ્લઝ્ર બેંકે ૧ સપ્ટેમ્બરથી નવા રિવોર્ડ પોઈન્ટ કેપ્સ લાગુ કર્યા છે. આ અંતર્ગત એક મહિનામાં બેંક યુટિલિટી અને ટેલિકોમ ટ્રાન્ઝેક્શન્સથી પ્રાપ્ત રિવોર્ડ પોઈન્ટ્‌સની સંખ્યા ૨૦૦૦ પોઈન્ટ્‌સ સુધી મર્યાદિત કરવામાં આવી છે. જ્યારે તમે ઝ્રઇઈડ્ઢ, ઝ્રરીઊ અને સ્ર્હ્વૈદ્ભુૈા જેવી તૃતીય-પક્ષ એપ્લિકેશન દ્વારા શાળાની ફી ચૂકવો છો, તો તમને તેના માટે રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. જાે કે, શાળાઓને તેમની વેબસાઈટ અથવા પોઈન્ટ ઓફ સેલ (ર્ઁંજી) ઉપકરણ દ્વારા ચૂકવણી કરવા બદલ રિવોર્ડ પોઈન્ટ્‌સ મળશે.

ૈંડ્ઢહ્લઝ્ર ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડને લઈને નિયમોમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સૌપ્રથમ, બેંકે સ્ટેટમેન્ટ જનરેશન પછીની નિયત તારીખ ઘટાડીને ૧૫ દિવસ કરી છે, જે પહેલા ૧૮ દિવસ હતી. મતલબ કે અગાઉ સ્ટેટમેન્ટ જનરેટ થયા બાદ ગ્રાહકોને પેમેન્ટ માટે ૧૮ દિવસનો સમય મળતો હતો, જ્યારે હવે તેમને ૧૫ દિવસનો સમય મળશે. બીજી તરફ, બેંકે લઘુત્તમ બાકી રકમની મર્યાદા ૫ ટકાથી ઘટાડીને મૂળ રકમના ૨ ટકા કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution