દશા સુધારનારી માં દશામાંના વ્રતનો રવિવારથી પ્રારંભ થયો છે. ભક્તોએ આસ્થાભેર માં દશામાંની મૂર્તિ પ્રસ્થાપિત કરી પૂજન અર્ચન શરૂ કર્યું છે. ત્યારે શહેરના લાલબાગ બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવાર દ્વારા પણ માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. એક તરફ પાલિકાની ઊભરાતી ગટરોનું પાણી આસપાસ ફેલાયું છે અને તેની વચ્ચે બાળ-બચ્ચાં સાથે રહેતો આ પરિવાર માં દશામાને પોતાની દશા હરવા માટેની પ્રાર્થના કરી રહ્યું છે.