શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલાની આઇકોનિક ફિલ્મ દિલ સેનું નિર્દેશન મણિ રત્નમે કર્યું હતું. આજે દિલ સે તેની રિલીઝના ૨૬ વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલાની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી પરંતુ આ પછી કલાકારોએ ફરી કામ કર્યું નથી. હવે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે શા માટે તે અને શાહરૂખ ૧૯૯૮ની હિટ ફિલ્મ પછી ફરી ક્યારેય સાથે જાેવા મળ્યા નથી. તેણીએ શાહરૂખ ખાન સાથેના તેણીના અનુભવ અને તેઓ ફરીથી સ્ક્રીન પર કેમ ન જાેવા મળ્યા તેના કારણો વિશે ખુલાસો કર્યો.
દિલ સે પછી મનીષા અને શાહરૂખ ખાને ગુડ્ડુ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મ વિશે ઘણા લોકો નથી જાણતા. ઝૂમ સાથેની વાતચીતમાં મનીષાએ કહ્યું, “આ ઈન્ડસ્ટ્રીમાં હીરો નક્કી કરે છે કે તેણે કોની સાથે કામ કરવું છે, હીરોઈન નહીં. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મનીષા કોઈરાલાએ ઈશારો કર્યો હતો કે શાહરૂખની પસંદગી આનું એક કારણ હતું. આ હોવા છતાં, તેણી મણિરત્નમની બોમ્બે અને સંજય લીલા ભણસાલીની ખામોશી અને હીરામંડી તેમજ દિલ સેમાં તેના શ્રેષ્ઠ અભિનય વિશે ગર્વથી વાત કરે છે.
એક પ્રિય ક્લાસિક ફિલ્મ હોવા છતાં, શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલાની દિલ સે તેની પ્રથમ રિલીઝ પર બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી. મણિરત્નમે આ માટે તેની હિન્દી કુશળતા પર દોષારોપણ કર્યો કારણ કે તેની હિન્દી સારી ન હતી અને તેણે દ્રશ્યો યોગ્ય રીતે મેળવવા માટે કલાકારો પર વિશ્વાસ કરવો પડ્યો હતો.
દિલ સેનો ૨૮.૪૦ કરોડથી વધુનો બિઝનેસ હતો. આ ફિલ્મમાં મનીષા કોઈરાલા અને શાહરૂખ ખાન સિવાય પ્રીતિ ઝિન્ટા જાેવા મળી હતી. મણિરત્નમે ભરત શાહ, રામ ગોપાલ વર્મા અને શેખર કપૂર સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. ફિલ્મની વાર્તા મણિરત્નમે પોતે લખી હતી.
Loading ...