‘ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં ‘બાબુજી’ના રોલ માટે આલોક નાથને ઓળખવામાં આવે છે. રીલ લાઈફમાં સંસ્કારી વ્યક્તિનો રોલ કરનાર તથા અન્યોમાં સંસ્કાર સિંચન કરવા તત્પર રહેનારા ‘બાબુજી’ રીયલ લાઈફમાં સાવ અલગ હોવાના દાવા અગાઉ થયેલા છે. આ અંગે વાત કરતાં આલોક નાથના કો-એક્ટર હિમાની શિવપુરીએ જણાવ્યુ હતું કે, બાબુજીએ દારૂ ના પીધો હોય, તો જ તેઓ સંસ્કારી રહે છે. દારૂ પીધા પછી તેમનું વર્તન સાવ બદલાઈ જાય છે. હિમાનીએ પોડકકાસ્ટ દરમિયાન આલોક નાથને સેટ પર સભ્ય અનેશિસ્ત પ્રિય વ્યક્તિ ગણાવ્યા હતા. તેમણે કહ્યુ હતું કે, મેં તેમની સાથે ઘણું કામ કર્યું છે. આલોક નાથે દારૂ ના પીધો હોય, ત્યાં સુધી જ તેઓ સંસ્કારી રહે છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની એક ઘટનાને બાદ કરવામાં આવે તો તેમના કારણે કોઈ સમસ્યા થઈ નથી. એક એવોર્ડ ફંક્શન માટે આલોક નાથ સાથે મુસાફરીના કિસ્સાની વાત કરતાં હિમાનીએ જણાવ્યું હતું કે, દારૂ પીધા પછી તે બેકાબૂ બની ગયા હતા. મેં તથા તેમની પત્નીએ શાંત કરવા પ્રયાસ કર્યો અને આખરે તેમને ધમકી આપવી પડી હતી કે, બહુ ધમાલ કરશો તો પ્લેનમાંથી ઉતરી દેશે. એક વખત ખરાબ વર્તનના કારણે તેમને પ્લેનમાંથી ઉતારી પણ દેવાયા હતા. જાે કે સેટ પર હોય ત્યાં સુધી તેઓ એકદમ શાંત અને પ્રોફેશનલ રહેતા હતા. ઘડિયાળમાં ૮ વાગી જાય તે પછી અલગ વ્યક્તિ બની જતા હતા. ૨૦૧૮-૧૯માં મી ટુ ઝુંબેશ દરમિયાન આલોક નાથ પર આરોપ લાગ્યા હતા. રાઈટર-પ્રોડ્યુસર વિનિતા નંદાએ તેમને જાતિય હુમલાના જવાબદાર ગણાવ્યા હતા. તે પછી નવનીત નિશાન, સંધ્યા મૃદુલ સહિત ‘હમ સાથ સાથ હૈં’ની ટીમે પણ આ જ પ્રકારના અનુભવો વર્ણવ્યા હતા. મી ટુને લગતા આરોપો બાદ આલોક નાથ લાંબો સમય લોકોની નજરથી દૂર રહ્યા હતા. હવે તેઓ એક્ટિંગમાં કમબેક કરવા જઈ રહ્યા છે ત્યારે તેમની સામેના જૂના આરોપો ફરી બહાર આવી રહ્યા છે.
Loading ...