CM વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યુ..


સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સીએમ વડોદરામાં ચક્કર ખાઈને પડી ગયા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ યુ એન મહેતા લવાયા હતા જ્યાં તેમના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં આજે સવારે તેમનો RT-PCR ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.

આ પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હચું. સીએમ વિજય રૂપાણી હોસ્પિટલમાં કોરોનાના દર્દી તરીકે તેઓ સારવાર લઈ રહ્યા છે. હાલ તે સ્વસ્થ છે. હાલ તેમની યુએન મહેતા હોસ્પિટલમાં યુદધના ધોરણે સારવાર કરાઈ રહી છે. તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. કોરોનાનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમ રૂપાણી સહિત આ મોટા નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ભાજપના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution