આપણે બેન્કોની સંખ્યા વધારવાની જરૂર નથી પરંતુ મજબૂત અને તંદૂરસ્ત બેન્કની આવશ્યકતા ઃ શક્તિકાંત દાસ


 વેપાર ગૃહોને બેન્કો ચલાવવા દેવાની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (કોઈ દરખાસ્ત ધરાવતી નથી. વેપાર ગૃહોને બેન્કો ચલાવવા આપવાનો અર્થ હિતોના સંઘર્ષ જેવા જાેખમોને આમંત્રણ આપવા જેવું થાય છે એમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.હાલના તબક્કે આ દિશામાં કોઈ વિચારણા નથી, એમ તેમણે આ સંદર્ભમાં પુછાયેલા સ્પષ્ટ પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું. દાયકા પહેલા જ્યારે બેન્ક લાયસન્સ જારી કરવાની યોજના જાહેર કરાઈ હતી ત્યારે વેપાર ગૃહોની લાંબી યાદીને ટેન્ડર જારી કરવામાંથી રદ કરાઈ હતી.

વેપાર ગૃહોને જાે બેન્કો ચલાવવા આપવામાં આવે તો, હિતોના સંઘર્ષ ઉપરાંત રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝકશન્સ સંબંધિત મુદ્દા ઊભા થવાના જાેખમ રહેલા હોવાનું વિશ્વભરના અનુભવો જણાવે છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. ૧૯૬૦ના અંતિમ ચરણમાં જ્યારે બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું તે પહેલા ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે વેપાર ગૃહો પ્રવૃત્ત હતા. વિશ્વ ભરના અનુભવો જણાવે છે કે, નિરીક્ષણ અથવા નિયમન કરવાનું અને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝકશન્સ અટકાવવાનું કઠીન છે. આમાં મોટા જાેખમો રહેલા છે, એમ દાસે જણાવ્યું હતું. વિકાસ માટે અર્થતંત્રને સ્રોતોની આવશ્યકતા રહે છે, આમછતાં, વિકાસ માટે વધુ બેન્કોની આપણે આવશ્યકતા નથી. આપણે બેન્કોની સંખ્યા વધારવાની જરૂર નથી પરંતુ મજબૂત અને તંદૂરસ્ત બેન્કની આવશ્યકતા છે. થાપણમાં મંદ વૃદ્ધિ નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટીની સમશ્યા ઊભી કરી શકે છે. ભારતનું નાણાકીય લેન્ડસ્કેપ માળખાકીય પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને ભારતીય રિઝર્વ બેંક તેને વધુ સમાવિષ્ટ બનાવવા માટે નવીનતાઓને પ્રોત્સાહિત કરી રહી છે, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ડિપોઝિટ એકત્રીકરણ અને છેતરપિંડીઓને ટ્રક કરવામાં આવતા મુદ્દાઓ તરીકે સૂચિબદ્ધ કર્યા છે. થાપણોમાં ધીમી વૃદ્ધિ નાણાકીય પ્રણાલીને માળખાકીય પ્રવાહિતાના મુદ્દાઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. પરિવારો તેમના રોકાણને મૂડી બજારો અને અન્ય નાણાકીય મધ્યસ્થીઓમાં વધુને વધુ સ્થાનાંતરિત કરવાનું એક નોંધપાત્ર વલણ છે. આ વલણને કારણે બેંક ડિપોઝિટના શેરમાં ઘટાડો થયો છે.તેમણે ધિરાણ વૃદ્ધિની તુલનામાં ડિપોઝિટ મોબિલાઈઝેશનમાં વિલંબને 'નિર્ણાયક મુદ્દો' ગણાવ્યો અને બેંકોને મજબૂત ધિરાણ અન્ડરરાઈટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે ડિજિટલ છેતરપિંડીઓમાં વધારો, ખાસ કરીને કહેવાતા બોગસ એટલે કે ડુપ્લીકેટ બેંક ખાતાઓ સાથે સંકળાયેલા છેતરપિંડીઓમાં વધારો પર પ્રકાશ પાડયો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution