વાતાવરણમાં ગઈકાલે આવેલા અણધાર્યા પરિવર્તન

મુંબઈ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોના વાતાવરણમાં ગઈકાલે આવેલા અણધાર્યા પરિવર્તનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. એસજી હાઈવે પર ધોળાં દિવસે વાહનચાલકોએ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ધૂળની ડમરીઓ અને ભારે પવનને કારણે અનેક ઠેકાણે ઝાડ પડી ગયા હતા. ક્યાંક હોર્ડિંગ્સ પણ તૂટી પડ્યાં હતા. વરસાદી વાતાવરણ વચ્ચે ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાે કે, અચાનક આવેલા વરસાદથી ઉનાળાની આકરી ગરમીમાં શેકાતા લોકોને રાહત મળી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution