અંડરવર્લ્ડ ડોન છોટા રાજને કોરોનાને આપી માત,એઈમ્સથી ડિસ્ચાર્જ થઇને તિહાડ જેલમાં મોકલ્યો

ન્યૂ દિલ્હી

કોરોનાથી સંક્રમિત અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજને ઘણા દિવસોની સારવાર બાદ આખરે કોરોનાને માત આપ્યા બાદ સ્વસ્થ થયા પછી તેને મંગળવારે દિલ્હી એઇમ્સમાંથી રજા આપવામાં આવી હતી અને તિહાડ જેલમાં પરત મોકલવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે છોટા રાજન કોરોનામાં સપડાયા બાદ ૨૨ એપ્રિલે એઈમ્સમાં દાખલ થયો હતો. તાજેતરમાં તેના મૃત્યુના સમાચાર પણ ઝડપથી ફેલાયા હતા, જેને પાછળથી તિહાર જેલ વહીવટીતંત્રે નકારી કાઢ્યું હતું. હવે કોરોનાથી સ્વસ્થ થયા પછી તેણે એમ્સમાંથી રજા આપવામાં આવી છે. તેને ચુસ્ત સુરક્ષા વચ્ચે તિહાર જેલ નંબર -૨ માં રાખવામાં આવ્યો છે.

છોટા રાજન ઉપર અપહરણ અને હત્યાના ૭૦ થી વધુ કેસ છે. મુંબઇના વરિષ્ઠ પત્રકાર જ્ર્યોતિમય ડેની હત્યામાં દોષી ઠરતાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જો કે હનીફ કડાવાલાની હત્યાના કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે ૬૧ વર્ષનો છોટા રાજન ૧૯૯૩ માં મુંબઇમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે. અહેવાલો અનુસાર છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર નિકાજે છે. ૨૦૧૫ માં રાજનને ઈન્ડોનેશિયાની બાલીથી પ્રત્યાર્પણ પછી ભારત લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution