કેદારનાથ: ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે. રાજ્યમાં ૪૮ કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ છે. આ કારણે દ્ગડ્ઢઇહ્લની ૧૨ ટીમો અને જીડ્ઢઇહ્લની ૬૦ ટીમો તૈનાત કરવામાં આવી છે. વરસાદના કારણે હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે. જ્યારે કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે ૨૦૦૦થી વધુ લોકો લિંચોલી અને ભીંબલી નજીક પગપાળા માર્ગ પર ફસાયેલા છે. તેમને બચાવવા માટે ૫ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. કેદારનાથ માર્ગ પર ફસાયેલા મુસાફરોને બચાવવા માટે જીડ્ઢઇહ્લ તૈનાત કરવામાં આવી છે. મુંકટિયાથી સોનપ્રયાગ સુધી ૪૫૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકીના લોકોને ચિનૂક અને સ્ૈં-૧૭ હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશના ૧૧ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે, જે આગામી ૪ દિવસ સુધી રહેશે.
કેદારનાથ માર્ગ પર ફસાયેલા મુસાફરોને બચાવવા માટે જીડ્ઢઇહ્લ તૈનાત કરવામાં આવી છે. મુનકટિયાથી સોનપ્રયાગ સુધી ૪૫૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકીના લોકોને ચિનૂક અને સ્ૈં-૧૭ હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશના ૧૧ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આગામી ૪ દિવસ સુધી રહેશે.
રુદ્રપ્રયાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એનકે રાજવારના જણાવ્યા અનુસાર, ગૌરીકુંડથી શરૂ થતા ૧૬ કિલોમીટર લાંબા કેદારનાથ ટ્રેકને ઘોડા પડાવ, લિંચોલી, બડી લિંચોલી અને ભીંબલીમાં નુકસાન થયું છે. રામબાડા પાસેના બે પુલ પણ ગઈરાત્રે ધોવાઈ ગયા હતા. કેદારનાથમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકારે એરફોર્સની મદદ લીધી છે. એનડીઆરએફની ૧૨ ટીમ, આઈએનએસ અને એસડીઆરએફની ૬૦ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. જિલ્લા વહીવટીતંત્રે બે હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે - ૭૫૭૯૨૫૭૫૭૨ અને ૦૧૩૬૪-૨૩૩૩૮૭ અને ઇમરજન્સી નંબર ૧૧૨.
૧ ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશમાં ૫ સ્થળોએ વાદળ ફાટવાને કારણે ૫૩ લોકો ગુમ થયા હતા. જેમાંથી ૫ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૪૮ લોકો હજુ પણ ગુમ છે. દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ, પોલીસ અને હોમગાર્ડના જવાનો તેની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. શિમલામાં રેસ્ક્યુ ટીમને હજુ સુધી સફળતા મળી નથી. અહીં ગુમ થયેલા ૩૬ લોકોમાંથી હજુ સુધી એક પણ સુરાગ મળ્યો નથી. વ્યક્તિના શરીરના કેટલાક અંગો ચોક્કસપણે મળી આવ્યા છે.મંડીના ચૌહારઘાટીના રાજબન ગામમાં પણ ૩ પરિવારના ૭ લોકો હજુ પણ લાપતા છે. ૩ મૃતદેહ મળી આવ્યા છે. કુલ્લુના બાગીપુલમાં પણ એક જ પરિવારના ૫ સભ્યો સહિત ૭ લોકો ગુમ થયા છે. જેમાંથી એક મહિલા સહિત ૨ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૫ હજુ લાપતા છે.
Loading ...