મણિપુરમાં ફરી હિંસા ભડકી રહી છે. હુમલામાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓએ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર અહીં હસ્તક્ષેપ નહીં કરે અને મેઇતેઇ અને કુકી-ઝોમી પક્ષો વચ્ચે વાતચીત શરૂ ન થાય ત્યાં સુધી શાંતિ પાછી આવવી મુશ્કેલ છે. નાગા નેતા અને બીજેપી વિધાનસભ્ય ડીંગાલુંગ ગંગમેઈનું કહેવું છે કે સમસ્યાનો ઉકેલ વાતચીતથી જ આવશે. આ નાગા નેતાની નિમણૂક મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ દ્વારા કરવામાં આવી છે જેથી તેઓ મેઇતેઈ અને કુકી-ઝોમી સાથે વાતચીત કરી શકે.
ભાજપના ધારાસભ્ય ગંગમેઈએ કહ્યું કે તેઓ બંને પક્ષોના ધારાસભ્યો અને નાગરિક સમાજ જૂથોના સંપર્કમાં હોવા છતાં, કોઈપણ અર્થપૂર્ણ વાટાઘાટો માટે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવાની જરૂર છે. તેમણે કહ્યું, “અમે ગુવાહાટી અને ઈમ્ફાલમાં ઘણી વખત મળ્યા છીએ પરંતુ કેટલીકવાર વસ્તુઓ અમારા નિયંત્રણની બહાર થઈ જાય છે. ત્યાં બાહ્ય પ્રભાવો છે જેને આપણે નિયંત્રિત કરી શકતા નથી. આ સમગ્ર સંઘર્ષ પાછળ બંને પક્ષે બાહ્ય પરિબળો છે. જરૂરી એ છે કે કેન્દ્ર સરકાર વાટાઘાટોની જવાબદારી સંભાળે. આ માટે હું છેલ્લા ૧૪-૧૫ મહિનાથી પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ મારી પાસે કોઈપણ વાટાઘાટો માટે સંદર્ભની નક્કર શરતો નથી.”
બીજેપીના વરિષ્ઠ ધારાસભ્ય રાજકુમાર ઈમો સિંહે પણ આવી જ વાત કહી. તેઓ સીએમ એન બિરેન સિંહના જમાઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં રાજકુમારે લખ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે તમામ પક્ષો વચ્ચે રાજકીય સંવાદ શક્ય તેટલી વહેલી તકે શરૂ થવો જાેઈએ. તેમણે લખ્યું કે સંઘર્ષ શરૂ થયાના ૧૬ મહિના પછી એવી આશા હતી કે સ્થાયી અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે રાજકીય વાટાઘાટો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઈમો સિંહે પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કેન્દ્રીય સુરક્ષા દળોને હટાવવાની વિનંતી કરી હતી, જેમના પર તેમણે હિંસા થઈ ત્યારે મૌન પ્રેક્ષક હોવાનો આરોપ મૂક્યો હતો. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ પર વિપક્ષી પાર્ટીઓ નિષ્ફળ મુખ્યમંત્રી હોવાનો અને ભત્રીજાવાદ ફેલાવવાનો આરોપ લગાવી રહી છે.
મણિપુરની સત્તામાં તેમના જમાઈની નિયમિત દખલગીરી છે. એ જ જમાઈ હવે કેન્દ્રીય સુરક્ષા દળોને હટાવવાની વાત કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી બંને પક્ષોને એકબીજા સાથે ટેબલ પર બેસાડવામાં નહીં આવે ત્યાં સુધી દુશ્મનાવટને દુર કરી શકાતી નથી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “સેના, પોલીસ અને ઝ્રછઁહ્લ(સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ) મર્યાદિત સમય માટે શાંતિ પુનઃસ્થાપિત કરી રહ્યાં છે. પરંતુ વાસ્તવિક ઉકેલ વાતચીત દ્વારા જ આવી શકે છે. પરંતુ તેની શરૂઆત પણ થઈ નથી
અન્ય એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ ડ્રોનના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હવે ડ્રોનમાંથી સૂતળી બોમ્બ છોડવામાં આવી રહ્યા છે. અગાઉ તેનો ઉપયોગ બંને પક્ષો દ્વારા વીડિયો બનાવવા અને જાસૂસી માટે કરવામાં આવતો હતો. બોમ્બ અને ડ્રોન ક્યાંથી ખરીદવામાં આવ્યા તે તપાસનો વિષય છે. હિંસાનું નવું કેન્દ્ર આસામની સરહદે આવેલા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા જીરીબામમાં આવી ગયું છે. લોકસભાની ચૂંટણી દરમિયાન એપ્રિલમાં આ સરહદ વિસ્તારોમાં લગભગ બે અઠવાડિયા સુધી હિંસક ઘટનાઓ બની હતી. જે પછી ૪૦ દિવસ સુધી સાપેક્ષ શાંતિ રહી. વર્તમાન મણિપુર સરકારના વિરોધમાં ૧લી સપ્ટેમ્બરના રોજ કુકી-ઝોમી સમુદાયો દ્વારા કાઢવામાં આવેલી રેલી દરમિયાન હિંસાની તાજેતરની ઘટનાઓ બની હતી.
Loading ...