મુઝફ્ફરનગર:કાવડયાત્રાની સુરક્ષા માટે કડક બંદોબસ્ત શરૂ કરી દેવામાં આવ્યો છે. આસ્થાનું કેન્દ્ર શિવચોક એટીએસને સોંપવામાં આવ્યો હતો. ટીમે મુલાકાત લઇ વ્યવસ્થા નિહાળી હતી. એસએસપી અભિષેક સિંહે કહ્યું કે આ વખતે યાત્રા સંવેદનશીલ છે, જેના કારણે સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસ ડ્રોન વડે નજર રાખી રહી છે. એટીએસની ટીમે પગપાળા કૂચ કરી સુરક્ષા વ્યવસ્થાની જાણકારી લીધી હતીે એસએસપી અભિષેક સિંહે કહ્યું કે સંવેદનશીલ સ્થિતિને જાેતા સુરક્ષાના કડક પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસ હેડક્વાર્ટર તરફથી સુરક્ષા એજન્સીની ટીમને તૈનાત કરવાનો પત્ર મળ્યા બાદ એટીએસ કમાન્ડોને શિવ ચોક, મીનાક્ષી ચોક, હોસ્પિટલ તિરાહા સહિત અનેક સંવેદનશીલ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે.મુઝફ્ફરનગરના શિવ ચોકથી હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી કાવડયાત્રા પરિક્રમામાં આગળ વધે છે. શહેરના લોકો રાત્રે અહીં ઝાંખી જાેવા આવે છે. સુરક્ષા એજન્સીની ટીમને તૈનાત કરવા માટે પોલીસ હેડક્વાર્ટર તરફથી પત્ર મોકલવામાં આવ્યો હતો.સુત્રો જણાવે છે કે ગુપ્તચર એજન્સીઓને આતંકવાદી હુમલા સાથે સંબંધિત ઈનપુટ પણ મળ્યા હતા. આ અંગે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેના કારણે જિલ્લાને હવે એટીએસ કમાન્ડોની ટીમ મળી છે. એસએસપી અભિષેક સિંહે શિવ ચોક પર તૈનાત એટીએસ કમાન્ડો ટીમને જરૂરી નિર્દેશો આપ્યા હતા. એસપી સિટી સત્ય નારાયણ પ્રજાપતે જણાવ્યું કે આ ટીમને શિવ ચોક, મીનાક્ષી ચોક, હોસ્પિટલ તિરાહા અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે.એસએસપી અભિષેક સિંહે જણાવ્યું હતું કે સુરક્ષાના દૃષ્ટિકોણથી, જિલ્લા પોલીસ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સની એક કંપની, પીએસીની છ કંપનીઓ અને ફ્લડ યુનિટ તૈનાત છે. આ ઉપરાંત એન્ટી સેબોટેજ ટીમ અને મ્ડ્ઢડ્ઢજી (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ) પણ જિલ્લામાં વિવિધ સ્થળોએ સતત ચેકિંગ કરી રહી છે. કોઈપણ ધાર્મિક યાત્રા પર આતંકવાદી હુમલાનો ખતરો હંમેશા રહે છે. આ વખતની કંવર યાત્રા ખૂબ જ સંવેદનશીલ છે.
Loading ...