જાખરપુરા પાસે નર્મદાની નહેરની સેફટી એંગલ ન હોવાથી વાહન ચાલકોને જીવનુ જાેખમ



બોડેલી પાસે નર્મદાની મુખ્ય નહેર પસાર થતી હોય અને અને મોડાસર ના જાખરપુરા પાસે વિશાળ એક્વા ડેટ બનાવેલો હોય પણ જાખર પુરા પાસે કેનાલના અમુક જગ્યા પર સેફટી લોખંડની એંગલ ન લગાડતા બાઈક ચાલકો ને ખાસ કરીને જાેખમ જાેવા મળી રહ્યું છે દસ દિવસ પહેલા પણ એક બાઈક ચાલક તૂટેલી એંગલના અંદરથી બાઈક ચાલક બાઈક સાથે કેનાલમાં ખાબક્યો હતો અને એનું મૃત્યુ થયું હતું ત્યારે આઠ એક વર્ષ પહેલાં પણ અહીંથી જ એક ફોરવીલ ગાડી પણ કેનલમાં ખબકી હતી અને ચાર યુવાનોના મોત થયા હતા ત્યારે જે બનાવ બન્યા છે એનાથી બિલકુલ નજીક જ કેનલ ની લોખંડની સેફટી એંગલ અમુક જગા પર ન હોવાથી વાહન ચાલકોને જીવનું જાેખમ જાેવા મળી રહ્યું છે ત્યારે અહીંથી પસાર થતાં લોકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે અહીં એંગલ બનાવવામાં આવે જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution