શ્રીજીની પ્રતિમાઓને ખંડિત કરનાર યુવક ગણતરીના કલાકોમાં ઝડપાયો

શહેરના રાજમહેલ રોડ પર ખાડિયાપોળ, દાંડિયાબજારમાં બુમિયા ડેરીની ગલી, હરદીકરના ખાંચામાં સ્થાપના કરાયેલા સાર્વજનિક ગણેશ પંડાલને ગત રાત્રે એક લાલ રંગની જર્સી પહેરેલા યુવકે નીશાન બનાવ્યા હતા. આ યુવકે ત્રણેય પંડોલોમાં ઘુસીને પુજાનો સામાન અને ડેકોરેશન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતુ તેમજ શ્રીજીના ચરણોમાં અને પુજાની થાળીમાં લોકોએ મુકેલા રોકડા નાણાંની તેમજ કળશ અને શ્રીજીના હાથમાં જાેડેલા અસલી ડમરુની ચોરી કરી હતી. ચોરી કરવાની સાથે તેણે પ્રતિમાઓ પણ ખંડિત કરી હતી જે બનાવની આજે સવાર જાણ થતાં જ શ્રીજી મંડળોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો.

બીજીતરફ આ બનાવની જાણ થતાં જ ચોંકી ઉઠેલી પોલીસે સમગ્ર બનાવની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફુટેજના આધારે આ બનાવમાં સંડોવાયેલા કૃણાલ વિનોદભાઈ ગોદડિયા (ગોદડિયાવાસ, નવાપુરા)ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આ અંગે ઝોન -૨ના ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે કૃણાલ ગોદડિયાએ જ ઉક્ત ત્રણેય પંડાલોમાં ઘુસીને ચોરી સાથે શ્રીજીની પ્રતિમાઓ ખંડિત કરી છે. છુટ્ટક મજુરી સાથે નાની મોટી ચોરીઓ કરતા

કૃણાલ ગોદડિયા વિરુધ્ધ શ્રીજી મંડળોના સંચાલકોએ ચોરી અને શ્રીજીની પ્રતિમા ખંડિત કરવાની ફરિયાદો આપતા પોલીસે ગુનો નોંધવાની પોલીસે તજવીજ શરૂ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution