ચંદ્રયાન-૩ની ઐતિહાસિક સિદ્ધિ બદલ વર્લ્ડ સ્પેસ એવોર્ડ અપાશે


નવી દિલ્હી:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ૈંજીઇર્ં)ના વિજ્ઞાનીઓએ ચંદ્રયાન-૩ને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચી દીધો હતો. આ અદ્વિતીય કાર્ય બદલ ઈસરોનો દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. ત્યારે હવે આ ચંદ્રયાન-૩ની ઐતિહાસિક સિદ્ધિ બદલ ઈન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન (ૈંજીહ્લ) દ્વારા વર્લ્ડ સ્પેસ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત સિવાય અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીનના યાન જ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે. ઈટાલીના મિલાનમાં ૧૪ ઓક્ટોબરે ૭૫મી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોન્ફરન્સ (ૈંછઝ્ર)ના ઉદ્‌ઘાટન સમારોહ દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. નોંધનીય છે કે ભારત ચંદ્રયાન-૩ને ૨૦૨૩ની ૨૩ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ (ર્જીેંર ર્ઁઙ્મી)ની ક સફળ લેન્ડિંગ કરવાનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. આ અંગે ફેડરેશને જણાવ્યું હતું કે, ‘ઇસરો દ્વારા ચંદ્રયાન-૩ મિશન વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને કોસ્ટ ઈફેક્ટિવ એન્જિનિયરિંગના સમન્વયનું ઉદાહરણ આપે છે. તે શ્રેષ્ઠતા માટે ભારતની પ્રતિબદ્ધતા અને અવકાશ સંશોધન માનવતાને પ્રદાન કરે છે તેવી પ્રચંડ સંભાવનાનું પ્રતીક છે. આ મિશન નવીનતાનું વૈશ્વિક પ્રમાણ છે.ચંદ્રયાન-૩ની અનેક સિદ્ધિઓમાંની એક ભારતના અવકાશ અને પરમાણુ ક્ષેત્રોનું સફળ સંકલન હતું. જેમાં મિશનનું પ્રોપલ્શન મોડ્યુલ પરમાણુ ટેક્નિક દ્વારા સંચાલિત હતું. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-૩ લેન્ડિંગની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution