નવીદિલ્હી: એક મોટો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આ સૂચના આપવામાં આવી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ સૂચના આપી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આગામી આદેશો સુધી દેશભરમાં ડિમોલિશન પર પ્રતિબંધ રહેશે. જાે કે, આ હુકમ જાહેર માર્ગ, શેરી, વોટર બોડી, ફૂટપાથ, રેલ્વે લાઇન વગેરે પર ગેરકાયદેસર અતિક્રમણને લાગુ પડશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં ન્યાયનું ગૌરવ અને બુલડોઝર દેખાડવાની મંજૂરી આપી શકાય નહીં.એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જ્યાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, તે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કરવામાં આવી છે. ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ ખોટો છે. ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. તેના પર જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે કોર્ટની બહાર જે કંઈ પણ થઈ રહ્યું છે તેની અમને અસર નથી થતી. અમે એ ચર્ચામાં નહીં જઈએ કે કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે કે નહીં. જાે ગેરકાયદેસર ડિમોલિશનનો એક પણ મુદ્દો હોય તો તે બંધારણની ભાવના વિરુદ્ધ છે.સુનાવણીમાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે અમે વર્ણનથી પ્રભાવિત નથી થઈ રહ્યા.
Loading ...