રાજ્ય સરકારે એચ-ટાટ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા

ગાંધીનગર રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઇ છે. ગુજરાત સરકાર દ્વારા એક દાયકા બાદ સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે. સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક (એચ-ટાટ)ના બદલીના નિયમોને આજે જાહેર કરાયા છે. બદલીના નિયમોને જાહેર કરવા માટે રાજયભરના મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન કરાયું હતું. જેના પગલે આ મામલાનો આજે અંત આવ્યો છે. સરકાર દ્વારા ઘણાં લાંબા સમયથી એચ-ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો તૈયાર કરાયા હતા પરંતુ તેને જાહેર કરવામાં આવતા ન હતા. જાે કે, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આજે સોશિયલ મીડિયા પર ગુરુ પૂર્ણિમાએ શિક્ષકોને ભેટ, સરકારે બદલીના નિયમો જાહેર કર્યા તેવી પોસ્ટ મૂકીને જાહેરાત કરી હતી. રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ. આ દરમિયાનમાં સરકાર દ્વારા પણ એચ-ટાટ મુખ્ય શિક્ષકના બદલી અંગેના ઠરાવની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે કે, રાજય સરકારનો એચ-ટાટ મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ ર્નિણય. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા એચ-ટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર ક૨વામાં આવે છે.

• શિક્ષણ વિભાગના તા.૨૨/૦૬/૨૦૧૧ ના ઠરાવથી આરટીઇ એક્ટ ૨૦૦૯ હેઠળ એચ-ટાટ મુખ્ય શિક્ષકની નવી કેડર ઉભી ક૨વામાં આવેલ.

• આ દરમિયાન એચ-ટાટ મુખ્ય શિક્ષકની કેડ૨ને શિક્ષણ વિભાગના તાઃ- ૧૫/૦૩/૨૦૨૧ ના ઠરાવથી શૈક્ષણિક કેડર જાહે૨ ક૨વામાં આવેલ. તેથી મુખ્ય શિક્ષકોની માંગણી હતી કે તેઓને વહીવટી કર્મચારીના બદલીના સિદ્ધાંતો લાગુ પાડવા જાેઇએ નહી.

• આ બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી જેનો જરૂરી અભ્યાસ કરી સરકાર આજ રોજ એચ-ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરે છે. જેમાં (૧) મહેકમ ગણવાની પધ્ધતિ ઃ બાલવાટીકાથી ધો-૫ માં ૧૫૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય. જ્યારે ધો-૬ થી ૮ માં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય. જ્યારે બાલવાટીકાથી ધો-૮ માં ૧૫૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

(૨) જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ૩ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જાેઈશે.

(૩) જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી ૫ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જાેઇશે. ૫૦ % જગ્યાઓ અગ્રતાથી અને ૫૦ % શ્રેયાનતાથી ભ૨વાની ૨હેશે.

(૪) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નીની બદલીઓ, રાજયના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી/કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નિની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જાેગવાઈ કરાયેલ છે.

(૫) દ૨ વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે.

(૬) જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય, તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ઉ૫ર, તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ ઉપર, તે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ઉ૫૨ સમાવવામાં આવશે.

(૭) જિલ્લા ફેર/જિલ્લા આંતરિક અરસ પરસ બદલીના મામલામાં

• બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.

• આંતરિક /જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ ૫૬ વર્ષ અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જાેઇએ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution