મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.
– ધૂની માંડલિયા
સિક્કાની જેમ બે બાજુ હોય છે તેમ દરેક વસ્તુ પરિસ્થિતિ કે પછી ઘટનાની બે બાજુઓ હોય છે. વ્યક્તિ પોતે ક્યારેય એકલો રહી શકતો જ નથી. વ્યક્તિ જ્યારે એકલો હોય અને પોતાની જાત સાથે વાતો કરે ત્યારે પોતાના ને પોતાના બે વ્યક્તિત્વનો તેને પરિચય થાય છે. નાનપણથી જ વ્યક્તિને પોતાનાં જ બે વ્યક્તિત્વ બનાવી લેવાની આદત પડી જાય છે. ઔપચારિક અને અનૌપચારિક વ્યક્તિત્વ. એટલે કે એક આદર્શ કલ્પનાનું વ્યક્તિત્વ અને એક વાસ્તવિક અને અંદરનું વ્યક્તિત્વ. જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ વ્યક્તિ પોતે જ પોતાના આ બે વ્યક્તિત્વના પ્રતિબિંબમાં વહેંચાઈ જાય છે. પછી શરૂ થાય છે પોતાના જ બનાવેલા નિયમો, ધારણાઓ અને માન્યતાઓ વચ્ચેનું શીતયુદ્ધ... અલ્બર્ટ આઇન્સ્ટાઇન કહે છે કે, “જીવનમાં સૌથી મોટો દ્વંદ્વ સારા અને ખરાબ વિચારો વચ્ચે થાય છે. આ વિચારશક્તિનું સંતુલન જ સાચું વિજ્ઞાન છે.”
‘દ્વંદ્વ’નો શાબ્દિક અર્થ છે આંતરિક સંઘર્ષ અથવા દ્વિધા. તે એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ એકસાથે બે વિરોધાભાસી વિચારધારાઓ, ભાવનાઓ, અથવા ર્નિણયો વચ્ચે ફસાયેલી હોય.
દ્વંદ્વ મનમાં સામાન્ય રીતે ક્યારે જાગે છે? વ્યક્તિ કોઈ મહત્ત્વપૂર્ણ ર્નિણય લેતા સમયે વિવિધ વિકલ્પો વચ્ચે ફસાય છે અથવા એ નક્કી કરવામાં મુશ્કેલી અનુભવતી હોય કે કઈ દિશામાં આગળ વધવું. મનમાં દ્વંદ્વ એ સમયે થાય છે.
જાે બે અથવા વધુ વિચારો કે માન્યતાઓ વચ્ચે ટકરાવ થાય, તો મનમાં ઉહાપોહ અને અસ્વસ્થતા આવે છે.
જ્યારે વ્યક્તિનાં વિચાર, માન્યતાઓ અથવા મૂલ્યો અને વ્યવહાર વચ્ચે અસંમતતા હોય, તો આંતરિક સંઘર્ષ અને દ્વંદ્વ સર્જાય છે.
મોટા અથવા મહત્ત્વપૂર્ણ ર્નિણયો લેવાના હોય, જેમ કે જીવનનાં રોકાણ, નોકરી, સંબંધો કે નૈતિક બાબતોમાં, વ્યક્તિને સ્પષ્ટતા નહીં હોવાને કારણે દ્વંદ્વ અનુભવાય છે.
અનિશ્ચિતતા, પરિણામના ભય અથવા ખોટનો ડર પણ બે વિકલ્પોમાંથી એક વિકલ્પ નક્કી કરવામાં દ્વંદ્વ ઉપજાવે છે.
મનનો દ્વંદ્વ, જાે સકારાત્મક રીતે જુઓ તો, ઘણી બધી રીતે લાભકારી પણ હોઈ શકે છે. આ દ્વંદ્વ અનુસંધાન અને સ્વ-મૂલ્યાંકન માટેનો એક મહત્ત્વપૂર્ણ તબક્કો બની શકે છે. દ્વંદ્વના કેટલાક ફાયદા પણ છે.
દ્વંદ્વ વ્યક્તિને અલગ-અલગ વિકલ્પો વિશે ઊંડાણપૂર્વક વિચારવાનો મોકો આપે છે. તે વ્યક્તિને દરેક દિશામાં વિચારવા માટે મજબૂર કરે છે, જેના કારણે વ્યકિત દ્વારા વધુ સચોટ અને જ્ઞાનપૂર્ણ ર્નિણય લેવામાં આવે છે.
દ્વંદ્વ દરમિયાન, વ્યક્તિ પોતાનાં મૂલ્યો, માન્યતાઓ અને લક્ષ્યોને ફરીથી તપાસે છે, જેના કારણે પોતાને વધુ સારી રીતે ઓળખવા અને સમજવામાં મદદ મળે છે.
સંઘર્ષને કારણે વ્યક્તિ વિરોધાભાસી વિચારો અથવા લાગણીઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. આના દ્વારા વ્યક્તિ ધીરજ, સહનશીલતા અને પરિસ્થિતિને ગંભીરતાથી જાેવાની કળા શીખે છે.
દ્વંદ્વ પર પ્રતિક્રિયા આપતા અને તેનો સામનો કરતા સમયે, વ્યક્તિએ પોતાના આંતરિક સામર્થ્યનો ઉપયોગ કરવાની પ્રૅક્ટિસ થાય છે, જેના પરિણામે તેને જટિલ પરિસ્થિતિઓમાં સુધારેલ સંકલન અને સહનશક્તિ મળે છે.
દ્વંદ્વની સ્થિતિમાં, વ્યક્તિને મોટાભાગે નવા દૃષ્ટિકોણોથી વિચાર કરવાની તક મળે છે, જે તેમની આદર્શીકૃત વિચારસરણીનો વિકાસ કરે છે.
જાે દ્વંદ્વને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવે, તો તે વ્યક્તિને વધુ મજબૂત અને સ્પષ્ટતાવાળો ર્નિણય લેવાની ક્ષમતા પ્રદાન કરે છે, કારણ કે તે વ્યકિત બધાં પાસાંઓ પર વિચાર કરીને ર્નિણય લે છે.
આ રીતે, દ્વંદ્વ નકારાત્મક લાગતા હોવા છતાં, એ વ્યક્તિના આંતરિક અને બૌદ્ધિક વિકાસ માટે જરૂરી પ્રક્રિયા બની શકે છે. જીવનમાં ઙ્ઘીષ્ઠૈર્જૈહજ માટે હંમેશાં દ્વંદ્વ થાય છે, પણ જે રસ્તો પડકારો આપે છે, તે જ અંતે તમને વધુ પ્રગતિ આપશે. દ્વંદ્વમાં હંમેશાં તે પસંદ કરવું, જે તમારા હૃદયને શાંતિ આપે.
Loading ...