બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ વર્તમાન સંસદ ભંગ કરવાની જાહેરાત કરી


ઢાંકા:બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ વર્તમાન સંસદના વિસર્જનની જાહેરાત કરી છે, જે જાન્યુઆરી ૨૦૨૪ માં ચૂંટણી પછી રચવામાં આવી હતી. વધુમાં, પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા પ્રેસ નિવેદન અનુસાર, વિરોધ પક્ષના સભ્યો સાથેની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો.આ બેઠકમાં ત્રણેય સેનાઓના વડાઓ અને વિપક્ષી રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, બાંગ્લાદેશમાં કોઈપણ વિલંબ કર્યા વિના વચગાળાની સરકાર બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં સર્વસંમતિથી બાંગ્લાદેશ જનતા પાર્ટી (મ્ત્નઁ)ના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયા અને અનામત આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા વિદ્યાર્થી નેતાઓ સહિત અન્ય તમામ રાજકીય કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.લોકોને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. લશ્કરને લૂંટફાટ અને કોઈપણ હિંસક ઘટના સામે કડક કાર્યવાહી કરવાનો ર્નિદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે એ પણ ર્નિણય લેવામાં આવ્યો કે મ્દ્ગઁ પ્રમુખ ખાલિદા ઝિયાને કોઈપણ વિલંબ કર્યા વિના મુક્ત કરવામાં આવે.બાંગ્લાદેશના વડા પ્રધાન પદ છોડ્યા પછી શેખ હસીનાએ તેમનો દેશ પણ છોડવો પડ્યો હતો, જે હાલમાં ભારતમાં છે. શેખ હસીનાનું વિમાન ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર રોકાઈ ગયું છે. બીજી તરફ બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ભીડ સડકો પર છે. જેમણે બપોરે પીએમ આવાસમાં ઘૂસીને ભારે લૂંટ ચલાવી હતી. જે બાદ અવામી લીગના ઘણા સાંસદો અને મંત્રીઓના ઘરો, ઓફિસો અને ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને આગ લગાવવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ચાર હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ સમયે સમગ્ર વિશ્વની નજર બાંગ્લાદેશ પર છે. ભારત પર પણ કારણ કે શેખ હસીના હજુ ભારતમાં છે.બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ થઈ રહેલી હિંસાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution