ગાંધીનગર, ગુજરાતમાં મંદિરોને તોડવા માટે સરકાર દ્વારા નોટિસો અપાઈ છે તે મુદ્દે અમારા પક્ષ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવશે તેમ ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીના રાષ્ટ્રિય પ્રમુખ અમિત ચતુર્વેદીએ અમદાવાદ ખાતે જણાવ્યું હતું. ગુજરાતમાં રાજકીય પક્ષો મત બેન્ક ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે ન્યૂ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા ગુજરાતમાં પક્ષની સ્થાપનાના ૬ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરાઇ હતી. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે આયોજિત કાર્યક્રમમાં ન્યૂ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ અમિત ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટી ગુજરાતમાં વિવિધ મુદ્દાઓ અને ખાસ હિંદુત્વના મુદાઓને લઈને કાર્યશીલ રહે છે. આ ઉપરાંત લોકોની સમસ્યા અને સ્થાનિકોને પડતી તકલીફોને લઈ તમામ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકી નિવારણ લાવવાનું કાર્ય કરી રહી છે.
Loading ...