ઘૂસણખોરને બીએસએફએ ઠાર માર્યા


નવી દિલ્હી:ફરી એકવાર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને સરહદ પર તહેનાત બીએસએફ જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. બીએસએફના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, સોમવારે રાત્રે લગભગ ૯.૧૫ વાગ્યે અમૃતસર જિલ્લાના રતન ખુર્દ ગામ વિસ્તારમાં એક ઘૂસણખોર સરહદ પાર કરતા જાેવા મળ્યો હતો અને તે સરહદની વાડની નજીક પહોંચી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, સૈનિકો દ્વારા ઘૂસણખોરને ચેતવણી આપ્યા બાદ પણ ઘુસણખોર આગળ વધતો રહ્યો હતો અને ભારતીય સૈનિકો સમક્ષ આક્રમક વલણ બતાવી રહ્યો હતો. ફરજ પરના સૈનિકોએ આગળ વધી રહેલા ઘૂસણખોર પર ગોળીબાર કર્યો હતો અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું.બીએસએફના જણાવ્યા અનુસાર ઘૂસણખોર પાસેથી પાકિસ્તાની ૨૭૦ રૂપિયાનું ચલણ અને એક ૧૦ રૂપિયાની ફાટેલી નોટ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે ઘૂસણખોરના મૃતદેહને સ્થાનિક ઘરિંડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ પહેલા સેનાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં એલઓસી પર ઘૂસણખોરીનું કાવતરું ઘડી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, ત્યારબાદ સમગ્ર એલઓસી પર સતર્કતા વધારી દેવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે-૪૭ રાઈફલ, નાઈટ વિઝન સાથે એમ-૪ કાર્બાઈન, પિસ્તોલ અને આઠ ગ્રેનેડ મળી આવ્યા છે.પાકિસ્તાન સતત ઘૂસણખોરીની અવનવી રણનીતિ અપનાવી રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution