નવીદિલ્હી,તા.૨૭
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રથમ પૂર્ણ બજેટ ૨૨ જુલાઈએ આવી રહ્યું છે. આગામી બજેટમાં આ વખતે મધ્યમવર્ગને ખુબ આશા છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે સરકાર આ બજેટમાં ઘર ખરીદનારાઓને મોટી ભેટ આપી શકે છે. એનડીએ સરકારનું પૂર્ણ બજેટ જુલાઈના મહિનામાં આવવાનું છે. ૨૨ જુલાઈએ દેશના નાણામંત્રી ર્નિમલા સીતારમણ એનડીએ સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. મોદી ૩.૦ (સ્ર્ઙ્ઘૈ ૩.૦) ના આગામી બજેટથી આ વખતે મધ્યમ વર્ગને ઘણી આશાઓ છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું કે આ બજેટમાં સરકાર ઘર ખરીદનારાને ભેટ આપી શકે છે. આ બજેટમાં સરકાર નવી હાઉસિંગ સ્કીમની જાહેરાત કરી શકે છે.
સૂત્રો પ્રમાણે આ વખતે બજેટમાં ઘર ખરીદનારાને મોટી રાહત મળી શકે છે. બજેટમાં સરકાર નવી હાઉસિંગ સ્કીમની જાહેરાત કરી શકે છે. આ સિવાય ઘર ખરીદવા કે બનાવવા પર હોમ લોનના વ્યાજમાં છૂટ મળી શકે છે. આ સિવાય હોમ લોનના વ્યાજ પર ૩-૬% સુધીની વ્યાજ સબવેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી શકે છે. નવી સ્કીમમાં ૫૦ લાખ રૂપિયા સુધીના મકાનો પર વ્યાજ સબવેન્શન સ્કીમની જાહેરાત કરી શકાય છે, આ પહેલા ૧૮ લાખ રૂપિયા સુધીના મકાનો પર વ્યાજ સબવેન્શન સ્કીમ હતી. વ્યાજ સબવેન્શન સ્કીમ હેઠળ ઘરના કદ અંગે મુક્તિ પણ શક્ય છે. સરકાર સપ્ટેમ્બરથી નવી સ્કીમ શરૂ કરી શકે છે. નોંધનીય છે કે દેશમાં બધાની પાસે પાક્કુ મકાન હોય તે પહેલાથી સરકારની પ્રાથમિકતામાં સામેલ છે. એનડીએ સરકારે પોતાની પ્રથમ બેઠકમાં લોકોને આ વાતનો ઈશારો કર્યો છે. મોદી ૩.૦ ની પ્રથમ કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ કિસાનો અને સામાન્ય લોકોની જરૂરીયાત સાથે જાેડાયેલા ર્નિણય લીધા, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩ કરોડ ઘર બનાવવાની યોજનાને મંજૂરી આપી હતી. સરકારે જૂન ૨૦૧૫માં ઁસ્છરૂ ને લોન્ચ કરી હતી. આ સ્કીમ ગ્રામીણ ભારત અને શહેરી ભારત બંને જગ્યાએ ચલાવવામાં આવે છે. ગ્રામીણ ભારતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (ઁસ્છરૂ-ય્) અને શહેરમાં તેને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (ઁસ્છરૂ-ેં) તરીકે ચલાવવામાં આવે છે. પીએમ આવાસ યોજના હેઠળ સરકાર સબસિડી આપે છે. આ સબસિડી તેના ઘરના આકાર અને આવક પર ર્નિભર રહે છે. આ યોજના હેઠળ બેન્કોને ઓછા વ્યાજ દર પર હોમ લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્કીમ હેઠળ હોમ લોન ચુકવવાનો મહત્તમ પીરિયડ ૨૦ વર્ષ છે. આંકડા જણાવે છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ઁસ્છરૂ હેઠળ ૪.૧ કરોડથી વધુ ઘર બનાવવામાં આવ્યા છે.
જે લોકોની વાર્ષિક આવક ૧૮ લાખ રૂપિયા સુધી છે, તે આ સ્કીમનો ફાયદો લઈ શકે છે. ઈઉજી થી જાેડાયેલા લોકો જેની આવક વર્ષે ૩ લાખથી ઓછી છે તે પાત્ર છે. યોજનાનો લાભ લેવા માટે ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જાેઈએ. સાથે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. પરંતુ આ યોજનાનો લાભ ત્યારે આપવામાં આવે છે જ્યારે તમારી પાસે કોઈ મકાન ન હોય. જાે તમારા પરિવારમાં કોઈ પાસે સરકારી નોકરી છે તો આ સ્કીમનો ફાયદો ન લઈ શકાય. આ સિવાય યોજનાનો લાભ તે પરિવારોને નહીં મળે જેણે ભારત સરકાર કે રાજ્ય સરકારની કોઈ આવાસ યોજનાનો લાભ લીધો હશે.
યોજનાનો લાભ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લઈ શકાય છે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ રંંॅજઃ//ॅદ્બટ્ઠઅદ્બૈજ.ર્ખ્તદૃ.ૈહ/ પર જવું પડશે. તો ઓફલાઈન અરજી કરવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં જવું પડશે. અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજાેની પણ જરૂર પડે છે. જેમાં ઓળખ પત્ર, એડ્રેસ, આવકનું પ્રમાણ પત્ર, પાસપોર્ટ ફોટો અને સંપત્તિનો દસ્તાવેજ.
Loading ...