લંડન-
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનસન એપ્રિલના અંત સુધીમાં ભારતની મુલાકાતે આવશે, યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાને જણાવ્યું છે. લાંબા સમયથી આ મુલાકાત કરવાનું આયોજન છે, બોરીસ જ્હોનસને જાન્યુઆરીમાં ભારતના પ્રજાસત્તાક દિવસ માટે ભારતની મુલાકાત લેવાની અપેક્ષા રાખી હતી, પરંતુ તેમના દેશમાં કોરોનાવાયરસના નવા સ્ટ્રેઈનને કારણે તે મુલાકાત શક્ય નહોતી બની.
યુકેના પીએમઓએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન આ ક્ષેત્રમાં તકોને હાંસલ કરવા માટે આવતા મહિનાના અંતમાં ભારતની મુલાકાત લેશે. બ્રેક્ઝિટ અથવા યુરોપિયન યુનિયનમાંથી યુકેના વિદાય પછી વિદેશમાં બોરિસની આ પ્રથમ મુલાકાત હશે.
Loading ...