સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપી છે. ઝ્રમ્ૈં કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. ઈડ્ઢ કેસમાં તેને પહેલા જ જામીન મળી ચૂક્યા છે. જાેકે, કેજરીવાલને કેટલીક શરતો સાથે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામીન દરમિયાન તેમની ઓફિસમાં જઈ શકશે નહીં. આ ઉપરાંત, તમે કોઈપણ પ્રકારની ફાઇલો પર સહી કરી શકશો નહીં. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને ૧૦ લાખ રૂપિયાના બોન્ડ અને બે જામીન પર જામીન આપ્યા છે. પત્ની સુનિતા કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન તિહાર જેલ પહોંચ્યાં હતા અને જેલના ગેટ બહાર તેમણે બન્નેએ કેજરીવાલનું સ્વાગત કર્યું હતું. કેજરીવાલ ચાંદગી રામ અખાડાથી રોડ શો કરીને પોતાના ઘેર ગયાં હતા. આ દરમિયાન કાર્યકરો અને લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. કેજરીવાલની એક ઝલક જાેવા માટે લોકો ખૂબ આતુર જાેવા મળ્યાં હતા.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં કેજરીવાલની બે અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો. કેજરીવાલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ અને જામીન નકારવાને પડકારતી બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે બંને અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. બેંચમાં જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા પણ સામેલ છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે, દલીલોના આધારે અમે ૩ પ્રશ્નો તૈયાર કર્યા છે. શું ધરપકડ ગેરકાયદેસર હતી, શું અપીલકર્તાને નિયમિત જામીન આપવા જાેઈએ, શું ચાર્જશીટ દાખલ કરવી એ ્‌ઝ્ર પર ચાર્જ લગાવવા સંજાેગોમાં પૂરતો ફેરફાર છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પહેલાથી જ કસ્ટડીમાં રહેલા વ્યક્તિની ધરપકડ કરવામાં કોઈ અવરોધ નથી. અમે નોંધ્યું છે કે, સીબીઆઈએ કારણો નોંધ્યા છે કે, તેણે શા માટે આ જરૂરી માન્યું, કલમ ૪૧છ(ૈૈૈ) નું કોઈ ઉલ્લંઘન નથી.

અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ તે આજે જ થોડા સમય પછી તિહાર જેલમાંથી બહાર આવશે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલના રીલીઝ ઓર્ડરના લગભગ એક કલાકની અંદર અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી જશે. તિહાર જેલમાં ફિઝીકલ અને મેઈલ દ્વારા રીલીઝ ઓર્ડર આવે છે. અરવિંદ કેજરીવાલ હાલમાં જેલ નંબર ૨ ના વોર્ડમાં કેદ છે.અરવિંદ કેજરીવાલને જામીન મળતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે, આજે ફરી અસત્ય અને ષડયંત્ર સામેની લડાઈમાં સત્યની જીત થઈ છે. ફરી એકવાર હું બાબા સાહેબ આંબેડકર જીની વિચારસરણી અને દૂરંદેશીને સલામ કરું છું, જેમણે ૭૫ વર્ષ પહેલા ભવિષ્યના સરમુખત્યાર સામે સામાન્ય માણસને મજબૂત બનાવ્યો હતો.અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલ આ જામીન હરિયાણાની ચૂંટણીના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. હવે આમ આદમી પાર્ટી હરિયાણાની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે લડી શકશે. આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ૯૦ સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ સાથે તેનું ગઠબંધન સફળ રહ્યું નથી. જણાવી દઈએ કે, ૧૨ જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જાેકે, સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તે જેલમાંથી બહાર આવી શક્યા ન હતા. આ દરમિયાન, દિલ્હીની એક કોર્ટે બુધવારે સીએમ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૫ સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આ અગાઉની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થયા બાદ તેને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આ મામલો દિલ્હી સરકારની આબકારી નીતિ ૨૦૨૧-૨૨ની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. આ નીતિ પાછળથી રદ કરવામાં આવી હતી. ઈડ્ઢ એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં મની લોન્ડરિંગનો એક અલગ કેસ નોંધ્યો હતો. ઝ્રમ્ૈં અને ઈડ્ઢ મુજબ, દિલ્હી લિકર પોલિસીમાં સુધારો કરીને અનિયમિતતા આચરવામાં આવી હતી અને લાઇસન્સધારકોને અયોગ્ય લાભો આપવામાં આવ્યા હતા. ૧૨ જુલાઈએ સુપ્રીમ કોર્ટે ઈડ્ઢ કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution