જગજીત સિંઘની એક પ્રખ્યાત ગઝલ છે, ‘તુમ ઇતના જાે મુસ્કરા રહે હો, ક્યા ગમ હૈ જીસકો છુપા રહે હો...’
ઘણી વખત કોઈ વ્યક્તિ ખુબ ખુશમિજાજ જણાતો હોય, હસતો રહેતો હોય અને બધાને હસાવતો રહેતો હોય, ત્યારે લોકોના મનમાં એવો ખયાલ બંધાતો હોય છે કે આ માણસને કોઈ ડિપ્રેશન આવે જ નહીં. તે તો હંમેશા આનંદી જ બની રહે.
પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે તે વ્યક્તિ અંદરથી ખુબ દુઃખી હોય અને પોતાનું દુઃખ કોઈ જાણી ન જાય એ માટે હંમેશા હસતો ચહેરો લઈને ફરતો હોય!
જાેકે બધા જ ખુશમિજાજી લોકો માટે આ વાત લાગુ પડતી નથી. ઘણા લોકો એવા હોય છે જે ખરેખર ખુશ રહેતા હોય છે અને જીવનને વાસ્તવિક રીતે માણતા હોય છે. પરંતુ ઘણા એવા પણ હોય છે જે મનમાં કોઈ પીડા સંઘરીને બેઠા હોય છે અને બહાર કોઈને તે દેખાડતા નથી. આવા હસતા ચહેરા પાછળની વેદના જાણવી બહુ અઘરી હોય છે. મનોવિજ્ઞાનની ભાષામાં આવી મનોસ્થિતિને ‘સ્માઈલિંગ ડિપ્રેશન’ કહેવામાં આવે છે.
લાંબા સમય સુધી આ સ્થિતિમાં રહેવું કોઈના પણ માટે જાેખમી બની શકે છે.
સામાન્ય રીતે એવી ધારણા છે કે ડિપ્રેશન કે તણાવથી ઘેરાયેલા લોકો શાંત, એકલા અને મૌન રહે છે. તેઓ એકાંતમાં રહેવાનું પસંદ કરે છે, પોતાને અન્ય લોકોથી અલગ રાખે છે. જાણે કે હસવાનું અને હસવાનું સંપૂર્ણપણે ભૂલી ગયા હોય તેમ ઉદાસ રહે છે. પરંતુ સ્માઈલિંગ ડિપ્રેશનની સમસ્યાથી પીડિત વ્યક્તિ ઉદાસ અને નિરાશ થવાને બદલે ડિપ્રેશનમાં પણ દરેક ક્ષણે હસતી રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વિશ્વભરમાં અંદાજે ૨૬૫ મિલિયન લોકો ડિપ્રેશનથી પીડાય છે. તેમાના ઘણા સ્માઈલિંગ ડિપ્રેશન ધરાવતા હોય છે. આ સમસ્યાથી પીડિત લોકોમાં ઘણા પ્રકારના સંકેતો જાેવા મળે છે. આવા લોકો સમુહમાં હોય ત્યારે નોર્મલ રહેતા હોય છે અને બધા સાથે વધુને વધુ મિલનસાર થવાની કોશીશ કરતા હોય છે. પરંતુ તે એકલા પડે છે ત્યારે દુઃખ અને હતાશાના વિચારોથી ઘેરાઈ જાય છે. એકલા રહેતી વખતે તે ઊંડી ઉદાસી અનુભવે છે, પોતાની જાત પ્રત્યે હિણપતનો ભાવ તેમને ઘેરી વળે છે.
સ્માઈલિંગ ડિપ્રેશન શું છે? આ અંગે ડો. આરતી આનંદ જણાવે છે કે જીવનમાં દુઃખ અને પરેશાનીઓ હોવા છતાં માસ્કીંગ દ્વારા પોતાની સ્થિતિ અન્ય લોકોથી છુપાવવી તેને સ્માઈલિંગ ડિપ્રેશન કહેવાય છે . આ પ્રકારની સ્થિતિને વૉકિંગ અને હાઇ ફંક્શનિંગ ડિસઓર્ડર પણ કહેવાય છે. જે લોકો, તણાવ હોવા છતાં, તેમની માનસિક સ્થિતિ અન્ય લોકોથી છુપાવવાનો પ્રયાસ કરે છે, તેમને ગંભીર ડિપ્રેશનનું જાેખમ વધી જાય છે. આવા લોકોએ પોતાની સમસ્યાઓ બીજાને જણાવવી જ જાેઈએ. તેમ જ, પોતાના મનોભાવોને છુપાવવા ન જાેઈએ. આવી પરિસ્થિતિ જાે ગંભીર સ્વરૂપ ધારણ કરે તો ઘણી વખત ન બનવાનું બની જતું હોય છે.
જીવનમાં ઉતાર-ચઢાવથી પરેશાન આવા લોકો નિરાશ થવાને બદલે પોતાના ચહેરા પર સ્મિત રાખે છે. અન્ય લોકોની સામે દુઃખ વ્યક્ત ન કરી શકવાને કારણે વ્યક્તિએ હસતાં હસતાં ડિપ્રેશનનો સામનો કરવાની ફિલોસોફી ધરાવતા હોય છે. પરંતુ મનોવિજ્ઞાનનો એક નિયમ છે કે કોઈ વ્યક્તિના મનમાં નકારાત્મક ભાવો કોઈની સામે વ્યક્ત થયા વિના લાંબો સમય સુધી મનમાં ધરબાયેલા રહે તો એક દિવસ એવો પણ આવી શકે જ્યારે વ્યક્તિ અચાનક ભાંગી પડે છે, અને પછી તે તેમાંથી બહાર નીકળવા ગમે તેટલા પ્રયાસો કરે તો પણ ભાગ્યે જ સફળ થાય છે.
ગહન ઉદાસી અને તણાવને કારણે આવા લોકોની ખાવાની આદતોમાં ફેરફાર દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં કોઈ વધુ પડતું ખાવાનું શરૂ કરે છે, તો કોઈ ખાવા-પીવાનું બંધ કરી દે છે. તેનાથી વજનમાં ફેરફાર થાય છે, જે અન્ય સમસ્યાઓનું કારણ બને છે.
આવા મોટાભાગના લોકોને અનિંદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેઓ આખી રાત પાસા પલટતા રહે છે, પણ ઊંઘી શકતા નથી. આવા લોકો આખી રાત જાગતા રહે છે અને દિવસ દરમિયાન સૂઈ જાય છે. તેમની ઊંઘની પેટર્ન બદલાવા લાગે છે.
આવા મનોભાવની અસર આત્મવિશ્વાસમાં ઘટાડો કરે છે. આત્મવિશ્વાસના અભાવને કારણે આવા લોકો અન્ય પ્રવૃત્તિઓથી દૂર રહે છે. ચહેરા પર ખુશ દેખાતા આવા લોકો પોતાની લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા નથી. તેઓ પોતાનું અંગત જીવન અન્ય લોકો સમક્ષ જાહેર કર્યા વિના દરેક ક્ષણે ખુશ દેખાવા માટે કોશીશ કરતા રહે છે.
તણાવને લીધે આવા વ્યક્તિ પોતાની જાતને જ દોષ દેવાનું શરૂ કરે છે અને અપરાધભાવથી પીડાવા માંડે છે. તે પોતે પોતાનું મૂલ્ય સમજી શકતા નથી. તેઓ અન્ય લોકોની સરખામણીમાં પોતાને નબળા માનવા લાગે છે અને થાક પણ અનુભવે છે.
આ સ્થિતિમાં વ્યક્તિ તણાવ અને અપરાધ બંને વહન કરે છે. આવા લોકો અન્ય લોકોને તેમની મુશ્કેલીઓ અને સંઘર્ષમાં સામેલ કરવા માંગતા નથી. તેઓ દરેક ક્ષણે બીજાની સામે હસતા રહે છે અને તેમના દુઃખ અને દર્દને તેમના સુધી સીમિત રાખવા માંગે છે.
કેટલાક લોકો તણાવને નબળાઈની નિશાની માને છે. આ કારણે પણ તેઓ તેમના ચહેરા પર હાસ્યનો માસ્ક લગાવીને ફરે છે. તેઓ તેમની લાગણીઓ કોઈની સમક્ષ વ્યક્ત કરી શકતા નથી જેથી કરીને અન્ય લોકોને તેમની સમસ્યા વિશે ખબર પડતી નથી.
ઘણા લોકો બીજાની સામે પોતાની જાતને મજબુત દેખાડવા માટે દુઃખમાં પણ હસતા રહે છે. તેમને દરેક સાથે વાત કરવી, હસવું અને બહાર ફરવા જવું ગમે છે. તેઓ સામાજિક વર્તુળમાં રહેવાનું પસંદ કરે છે . પરંતુ તેઓ દિલથી ઉદાસ રહે છે.
આ સમસ્યામાંથી બહાર આવી શકાય છે પહેલા તો સમસ્યાનું કારણ શું છે તે શોધવાનો પ્રયાસ કરો. જીવનમાં સંબંધોની ઘણી સમસ્યાઓ અથવા કામમાં કોઈપણ નિષ્ફળતા સમસ્યાઓનું કારણ બને છે. સમસ્યાની ઓળખ કર્યા પછી, તેનાથી છુટકારો મેળવવા માટે મનોચિકિત્સકની મદદ લો,જેથી સમસ્યાનો સમયસર ઉકેલ આવી શકે.
આ ઉપરાંત કોઈને કોઈ ખૂબ જ નજીકના મિત્ર સાથે તમારી લાગણીઓ વિશે વાત કરો અને સમસ્યામાંથી કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરો. વાત કરવાથી સમસ્યા ઉકેલવામાં મદદ મળે છે અને તણાવ પણ ઓછો થાય છે. આ સિવાય કોઈપણ સમસ્યા અંગે તમારા માતા-પિતા સાથે પણ ચર્ચા કરી શકાય છે.
Loading ...