નેપાળમાં પુરને કારણે સ્થિતી વણસી:10ના મોત,40થી વધુ લાપતા

કાંઠમંડુ-

નેપાળમાં સતત વરસાદને કારણે કહેર સર્જાયો છે. વરસાદને કારણે નદીઓના પાણી છલકાઇ રહ્યા છે અને ડુંગરાળ વિસ્તારમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 40 થી વધુ લોકોનાં મોત થયાં છે. ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. આ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ છે.

અગાઉ, એવા અહેવાલો આવ્યા હતા કે નેપાળના સિંધુપાલચૌક જિલ્લામાં પૂરને કારણે ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયાં છે અને 18 લોકો લાપતા હોવાનું નોંધાયું છે. ગુરુવારે પોલીસે તેની પુષ્ટિ કરી છે. પૂર અને ભૂસ્ખલનથી નેપાળ અને ચીન વચ્ચેની ટાટોપાની-ઝાંગ્મુ સરહદ બિંદુને જોડતા માર્ગને પણ નુકસાન પહોંચ્યું છે.

સિંધુપાલચૌક જિલ્લા વહીવટી કચેરીના મુખ્ય જિલ્લા અધિકારી ઉમેશકુમાર ધાલે ગુરુવારે સવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે બારાહાબીસે પાલિકાના 11 મકાનો વહી જવાને કારણે 14 લોકો ગુમ થયા છે. આ સાથે 3 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, ભોટેકોશી પાલિકામાં બે મકાનો વહી જતા ચાર લોકો ગુમ થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા.

ઉમેશકુમાર ધાલે એમ પણ કહ્યું હતું કે, રાજધાની કાઠમંડુને નેપાળ-ચીન સરહદ બિંદુથી જોડતો અરનીકો હાઈવે પણ ઓછામાં ઓછા સાત સ્થળોએ ક્ષતિગ્રસ્ત થયો છે. ધાલે કહ્યું કે આનાથી થોડા દિવસો માટે ચીન સાથેના આપણા દેશના વેપારને અસર થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution