સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે લાખોની છેતરપિંડી કરાઇ: ચાહકોને એલર્ટ કરતી પોસ્ટ શેર કરી

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. જે બાદ બધાને આશ્ચર્યમાં છે.સિદ્ધાર્થના પ્રશંસક મીનુ વાસુદેવના જણાવ્યા અનુસાર, તેની સાથે ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. તેના કહેવા પ્રમાણે તેને નકલી વાર્તાઓ કહેવામાં આવી હતી અને તેને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો અને પૈસાની છેતરપિંડી કરવામાં આવી હતી.હવે સિદ્ધાર્થે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ચાહકોને આ કૌભાંડ વિશે ચેતવણી આપતી એક નોંધ લખી છે અને કહ્યું છે કે જાે તેના નામે કોઈ છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તો કોઈ આવા લોકો પર ધ્યાન ન આપો.મીનુ વાસુદેવે કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે પત્ની કિયારા અડવાણીના કારણે સિદ્ધાર્થનો જીવ જાેખમમાં છે. હવે આ સમગ્ર મામલે સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમા તેણે કહ્યું સોશિયલ મીડિયા પર કેટલાક લોકો હું હોવાનો ખોટો દેખાડો કરી રહ્યા છે આ સાથે તે મારો પરિવાર અને મારા ચાહકો હોવાનો દાવો કરીને લોકોને પૈસાની છેતરપિંડી કરી રહ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક પોસ્ટ દ્વારા નોટ શેર કરી છે. આમાં તેણે ફેન્સને એલર્ટ કરતા ઘણી વાતો લખી છે. આવું કોઈની સાથે પણ થઈ શકે છે, તમે આ પોસ્ટથી સાવધાન થઈ શકો છો.સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે તે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘મારા તમામ ચાહકો માટેપ’ આ કેપ્શન સાથે સિદ્ધાર્થે એક લાંબી પોસ્ટ લખી છે જેમાં તેણે ફેન્સને સતર્ક રહેવા કહ્યું છે.સિદ્ધાર્થે આગળ લખ્યું, ‘હું તમને કહેવા માંગુ છું કે ન તો હું, ન મારા પરિવારના સભ્યો કે ન તો મારો કોઈ સમર્થક સોશિયલ મીડિયા પર આવું કોઈ કામ કરી રહ્યો છે. જાે તમારા સંપર્કમાં આવી કોઈ છેતરપિંડી થાય તો તેની ફરિયાદ કરો. ખોટી અફવાઓ ન ફેલાવો. મારા ચાહકો મારી સૌથી મોટી તાકાત છે. તમારો વિશ્વાસ અને તમારી સલામતી મારા માટે પ્રથમ આવે છે. મોટો પ્રેમ અને આલિંગન.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution