આર્થિક મોરચે ભારતને આંચકો!, જાણો શું છે તેની પાછળના કારણો
11, એપ્રીલ 2025 નવી દિલ્હી   |  

અમેરિકન ટેરિફ : મૂડીઝે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડ્યો

મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથમાં ઘટાડો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, અમેરિકા સાથે વેપારમાં ભારતનો હિસ્સો સૌથી વધારે માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારતમાંથી નિકાસ થતી ચીજવસ્તુઓ પર ૨૬ ટકા ટેરિફ વેપાર સંતુલનને સંપૂર્ણપણે બગાડશે. ટેરિફ પર વૈશ્વિક તણાવ વચ્ચે આ સમાચાર આર્થિક મોરચે ભારત માટે આંચકો આપવાના છે. આંતરરાષ્ટ્રીય સંશોધન કંપની મૂડીઝે હવે ભારતના જીડીપી વૃદ્ધિ દરના ૬.૪ ટકાના અગાઉના અંદાજને ઘટાડીને ૬.૧ ટકા કર્યો છે. જાેકે, મૂડીઝે આ અંદાજ અમેરિકા દ્વારા ટેરિફ પર લાદવામાં આવેલા ૯૦ દિવસના વિરામ પહેલા લગાવ્યો છે.

ભારતનો જીડીપી વુદ્ધી દર ૬.૪ ટકાથી ઘટાડી ૬.૧ ટકા કરાયો

રિપોર્ટમાં કહેવાયું છેકે, ભારતના ૨૦૨૫ના જીડીપી વૃદ્ધિ દર માટે અમારા અનુમાનને માર્ચમાં ૬.૪ ટકાથી સુધારીને ૬.૧ ટકા કરીએ છીએ. મૂડીઝ એનાલિટિક્સે તેના અહેવાલ ‘એપીસી આઉટલોકો : યુએસ બનામ ધેમ’માં ઘટાડો જાહેર કર્યો છે. તેમ છતાં, અમે અપેક્ષા રાખીએ છીએ કે એકંદર વૃદ્ધિ આ આંચકાથી પ્રમાણમાં અસુરક્ષિત રહેશે, કારણ કે બાહ્ય માંગ જીડીપીમાં પ્રમાણમાં નાનો હિસ્સો રજૂ કરે છે.

આરબીઆઇ વર્ષના અંત સુધીમાં રેપો રેટ ૫.૭૫ કરે તેવી આશા

મૂડીઝે વધુમાં જણાવ્યું હતું કે, એકંદર ફુગાવો સારી ગતિએ ઘટી રહ્યો હોવાથી, અમે અપેક્ષા રાખીએ છીએ કે આરબીઆઇ રેપો રેટમાં ઘટાડો કરશે, જે કદાચ ૦.૨૫ ટકાના ઘટાડાના સ્વરૂપમાં હશે. આનાથી વર્ષના અંત સુધીમાં પોલિસી રેટ ૫.૭૫ ટકા પર રહેશે. આ વર્ષે જાહેર કરાયેલા કર પ્રોત્સાહનો સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને અન્ય નબળા અર્થતંત્રોની તુલનામાં એકંદર વિકાસ પર ટેરિફની અસર ઘટાડવામાં મદદ કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution