શાહરૂખ-રણબીર ૧૯ વર્ષ પછી બોક્સ ઓફિસ પર ફરી ટકરાશે

શાહરૂખ ખાન અને રણબીર કપૂર હિન્દી સિનેમાના બે એવા કલાકારો છે, જેમના અભિનયની ખૂબ પ્રશંસા થાય છે. આ સિવાય વર્ષ ૨૦૦૭માં જ્યારે રણબીર કપૂરે ફિલ્મ ‘સાવરિયા’થી ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેની ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ‘ સાથે ટકરાઈ હતી. આ પછી ફરી એકવાર તેમની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ટક્કર કરવા જઈ રહી છે.

વર્ષ ૨૦૨૬માં ઈદના અવસર પર બોક્સ ઓફિસ પર રણબીર કપૂર અને શાહરૂખ ખાન ફરી એકવાર ટક્કર કરવા જઈ રહ્યા છે. ૧૯ વર્ષ બાદ શાહરૂખ અને રણબીરની ફિલ્મો ફરી એકવાર ટક્કર થવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે તે સમયે પણ રણબીર કપૂરની ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલી જ હતા. આ વખતે પણ બે વર્ષ પછી જ્યારે શાહરૂખ તેની ‘કિંગ‘ અને રણબીર ‘લવ એન્ડ વોર’ સાથે ટક્કર કરશે ત્યારે રણબીરની ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલી હશે. આવી સ્થિતિમાં, કોણ જીતે છે તે જાેવું રસપ્રદ રહેશે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ‘ ખૂબ ચર્ચામાં છે. ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા પછી, અભિનેતાના ચાહકો ફરી એકવાર તેની પાસેથી બ્લોકબસ્ટરની અપેક્ષા રાખી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ફરી એકવાર ડોનના રોલમાં જાેવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ જાેવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સુજાેય ઘોષ કરી રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ આ ફિલ્મ ૨૦૨૬માં ઈદ પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution