સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે મોટા ફેરફારો કરવાની તારીખ નક્કી કરી

 તારીખ નક્કી કરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે નવા ઇનસાઇડર ટ્રેડિંગ નિયમો ૧ નવેમ્બરથી અમલમાં આવવા જઇ રહ્યા છે. નવા નિયમોની મદદથી એસેટ મેનેજમેન્ટ કંપનીઓની કામગીરીમાં પણ સુધારો થશે. નવા નિયમો હેઠળ સંવેદનશીલ માહિતી ધરાવતા કર્મચારીઓ પર વિશેષ ધ્યાન રાખવું પડશે. ઉપરાંત આવા કર્મચારીઓએ પણ કરાર પર હસ્તાક્ષર કરવાના રહેશે.

બજારના નિષ્ણાતોના મતે, નવા નિયમો હેઠળ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ સંવેદનશીલ જાણકારી રાખનારા કર્મચારીઓ અંગે પારદર્શિતા જાળવવી પડશે. આવા કર્મચારીઓને નામિત વ્યક્તિ ગણવામાં આવશે. તેમને નામિત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવશે. નવા નિયમો હેઠળ તે કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓની યાદી રાખવી પડશે જેમની પાસે સંવેદનશીલ માહિતીની ઍક્સેસ છે. તે બધાએ ગોપનીયતા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે. તેની મદદથી સેબીને ઇનસાઇડર ટ્રેડિંગ રોકવામાં મદદ મળશે.

૨૬ જુલાઈના રોજ નોટિફિકેશન બહાર પાડતી વખતે સેબીએ કહ્યું હતું કે નવા ઈનસાઇડર ટ્રેડિંગ નિયમો ૧ નવેમ્બર, ૨૦૨૪થી અમલમાં આવશે. નવા નિયમો હેઠળ એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ સમયાંતરે તેમના આંતરિક નિયંત્રણોની સમીક્ષા કરવી પડશે. જૂલાઇ ૨૦૨૨માં સેબીએ ઇનસાઇડર ટ્રેડિંગ સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં ખરીદી અને વેચાણ અંગે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું. પરંતુ બજારના જાણકારોના મતે ઉદ્યોગોના વિરોધને કારણે નવા નિયમો લાગુ કરવામાં વિલંબ થયો છે.

સેબીના નોટિફિકેશન મુજબ, નવા ઇનસાઇડર ટ્રેડિંગ નિયમો હેઠળ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન રાખનારાઓને હવે મ્યુચ્યુઅલ ફંડ યુનિટની ટ્રેડિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ જાણકારી સ્કીમની નેટ એસેટ વેલ્યૂ પર અસર કરનારી સાથે જ યુનિટ હોલ્ડર્સના હિતને પણ પ્રભાવિત કરી શકે છે. ઇનસાઇડર ટ્રેડિંગ નિયમો લોકોને અનૈતિક લાભ મેળવવાની મંજૂરી આપશે નહીં. નવા નિયમ હેઠળ છસ્ઝ્રને સ્ટોક એક્સચેન્જ પર એએમસી, ટ્રસ્ટી અને તેમના સંબંધીઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પોતાના હોલ્ડિંગની વિગતો જાહેર કરવી પડશે. આ ઉપરાંત નામિત વ્યક્તિએ કરેલા ટ્રાન્જેક્શનની માહિતી પણ બે દિવસમાં આપવાની રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution