કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ખરી પડીઃતપાસનો આદેશ

નવી દિલ્હી: શુક્રવારે મોડી રાત્રે બે ટ્રેન અકસ્માત સર્જાયા હતા. પહેલો અકસ્માત કાનપુરમાં થયો હતો, જ્યાં સાબરમતી એક્સપ્રેસ રાત્રે લગભગ ૨ઃ૩૦ વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. કાનપુરમાં શુક્રવારે મોડી રાત્રે ટ્રેન અકસ્માત થયો હતો. જ્યાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. એવું કહેવાય છે કે સાબરમતી એક્સપ્રેસ કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે પહોંચતા જ પાટા પરથી ઉતરી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ટ્રેન દુર્ઘટના શુક્રવારે રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે થઈ હતી. ટ્રેન નંબર ૧૯૧૬૮ કાનપુર અને ભીમસેન સ્ટેશનો વચ્ચે પહોંચી ત્યારે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જવા પાછળનું કારણ એન્જિન સાથે પથ્થરની અથડામણ હોવાનું કહેવાય છે.ટ્રેન પાટા પરથી ઉતરતાની સાથે જ રેલ્વે વિભાગના ઘણા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution