નવીદિલ્હી: મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગના રહેણાંક વિસ્તારમાં શુક્રવારે બપોરે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરાયેલા બોમ્બ હુમલામાં એક વૃદ્ધનું મોત થયું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ રોકેટ પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમ કોઈરેંગના નિવાસસ્થાનના પરિસરમાં પડ્યું હતું.શુક્રવારે જિલ્લામાં આ બીજું રોકેટ છોડવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું, “વૃદ્ધ વ્યક્તિ પરિસરમાં કેટલીક ધાર્મિક વિધિઓની તૈયારી કરી રહ્યો હતો ત્યારે બોમ્બ વિસ્ફોટ થયો. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું,” અધિકારીએ જણાવ્યું.મોબાઇલ ફોરેન્સિક યુનિટ, ડ્ઢહ્લજી, મણિપુરની ટીમે બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ ખાતે રોકેટ હુમલા બાદ પુરાવા એકત્રિત કર્યા. અત્યાર સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ હુમલો કયા રોકેટથી કરવામાં આવ્યો હતો. તે ક્યાં બનાવવામાં આવ્યું હતું અને તે હુમલાખોરો સુધી કેવી રીતે પહોંચ્યું?વિસ્ફોટમાં ૧૩ વર્ષની બાળકી સહિત અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. રોકેટ ૈંદ્ગછ હેડક્વાર્ટરથી લગભગ બે કિલોમીટર દૂર એક જગ્યાએ પડ્યું હતું. આ પહેલા દિવસે રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ ૪૫ કિમી દૂર ત્રોંગલાઓબી ખાતે રોકેટ છોડવામાં આવ્યું હતું.મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે સવારે શંકાસ્પદ આતંકવાદીઓએ બોમ્બ હુમલો કર્યો હતો. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પોલીસે જણાવ્યું કે બોમ્બ ચુરાચંદપુર જિલ્લામાં નજીકના પહાડી વિસ્તારોમાંથી ત્રંગલાઓબીના નીચાણવાળા રહેણાંક વિસ્તાર તરફ ફેંકવામાં આવ્યા હતા. ત્રોંગલાઓબી રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ ૪૫ કિલોમીટર દૂર છે.તેમણે કહ્યું કે હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ હુમલામાં એક સ્થાનિક કોમ્યુનિટી હોલ અને એક ખાલી રૂમને નુકસાન થયું છે. આ ઉપરાંત, શંકાસ્પદ આતંકવાદીઓએ પણ બિષ્ણુપુર જિલ્લા તરફ ગોળીબાર કર્યો, જેના પગલે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે ત્રોંગલાઓબીથી થોડા કિલોમીટર દૂર કુમ્બી ગામમાં તણાવ વધી ગયો હતો, જ્યારે કેટલાંક ડ્રોન જમીનથી ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઈએ ફરતા જાેવા મળ્યા હતા
Loading ...