મુંબઇ:દુલીપ ટ્રોફીની આગામી સિઝન શાનદાર રહેવાની છે કારણ કે આ ટુર્નામેન્ટમાં ભારતની સિનિયર મેન્સ ટીમના ઘણા મોટા નામો રમતા જાેવા મળશે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને આર અશ્વિન જેવા વરિષ્ઠ સ્ટાર્સને આરામ આપવામાં આવ્યો છે.જ્યારે ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, શુભમન ગિલ દુલીપ ટ્રોફીમાં રમનારા ખેલાડીઓમાં સામેલ છે. જાે કે, બેટ્સમેન રિંકુ સિંહને દુલીપ ટ્રોફી માટે ચારમાંથી કોઈપણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, જેના કારણે ચાહકો હજુ પણ આશ્ચર્યચકિત છે, કોલકાતા નાઈટ રાઈડર્સના આ બેટ્સમેને આઈપીએલ ૨૦૨૩માં પોતાના શાનદાર પ્રદર્શનથી ઘણી ખ્યાતિ મેળવી હતી. આ પછી જ તેને ભારતની વ્હાઈટ બોલ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું, જેમાં તે ઘણી મેચોમાં ટીમ માટે મેચ વિનર સાબિત થયો. જાેકે, તે મ્ઝ્રઝ્રૈં દ્વારા દુલીપ ટ્રોફી માટે પસંદ કરાયેલા ૬૦ ક્રિકેટરોમાં સ્થાન મેળવી શક્યો ન હતો. હાલમાં જ આ ૨૬ વર્ષના બેટ્સમેને આ અંગે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે તેની પાછળનું મુખ્ય કારણ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનું ખરાબ પ્રદર્શન છે, ‘કંઈ નહીં... મેં ડોમેસ્ટિક સિઝનમાં એટલું સારું પ્રદર્શન કર્યું નથી. મેં રણજી ટ્રોફીમાં ઘણી મેચ રમી નથી. હું માત્ર બે-ત્રણ મેચ રમ્યો હતો. મને પસંદ કરવામાં આવ્યો ન હતો કારણ કે હું તેટલું સારું રમી શક્યો ન હતો. આગામી રાઉન્ડની મેચો માટે મારી પસંદગી થઈ શકે છે. રિંકુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૪૭ મેચ રમી છે અને ૭૧.૫૯ના સ્ટ્રાઈક રેટથી ૩૧૭૩ રન બનાવ્યા છે. તેણે શુભમન ઉપરાંત ૭ સદી અને ૨૦ અડધી સદી ફટકારી છે, દુલીપ ટ્રોફી ૨૦૨૪માં યશસ્વી જયસ્વાલ, અગ્રણી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કાંડા સ્પિનર કુલદીપ યાદવ અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સામેલ છે. ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ રમનાર ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવની પણ પસંદગી કરવામાં આવી છે. સૂર્યા સિવાય અન્ય ખેલાડીઓએ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે ભારતીય ખેલાડીઓને દુલીપ ટ્રોફીમાં ઘણી મેચ રમવાની જરૂર નથી. તેઓ એક કે બે મેચ પછી દુલીપ ટ્રોફીમાંથી પાછા ખેંચી લેવામાં આવશે અને તેથી કોહલી, રોહિત, બુમરાહ અને અશ્વિનને મુક્તિ આપવામાં આવી હતી. ભારતે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે જે ૧૯ સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં અને ૨૭ સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.
Loading ...