રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ યસ બેંકમાં ૫૧ ટકા હિસ્સો વેચવાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની દરખાસ્તને નકારી


રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યસ બેંકમાં ૫૧ ટકા બહુમતી હિસ્સો વેચવા માંગે છે. પરંતુ જીમ્ૈંના આ પ્લાનમાં વિલંબ થઈ શકે છે. ઇમ્ૈં યસ બેંકમાં બહુમતી હિસ્સો વેચવાના પક્ષમાં નથી.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ યસ બેંકમાં ૫૧ ટકા હિસ્સો વેચવાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની દરખાસ્તને નકારી કાઢી છે. ઉપરાંત, આરબીઆઈ યસ બેંકમાં કોઈ વિદેશી રોકાણકારો દ્વારા હિસ્સો ખરીદવાની તરફેણમાં નથી. આ બાબતોને કારણે યસ બેંકમાં હિસ્સો ખરીદનારાઓ સાથે જીમ્ૈંની ચાલી રહેલી વાતચીત પણ અટકી ગઈ છે.

રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યસ બેંકમાં ૫૧ ટકા બહુમતી હિસ્સો વેચવા માંગે છે. પરંતુ જીમ્ૈંના આ પ્લાનમાં વિલંબ થઈ શકે છે. ઇમ્ૈં યસ બેંકમાં બહુમતી હિસ્સો વેચવાના પક્ષમાં નથી. ઇમ્ૈં તરફથી ફિટ એન્ડ પ્રોપર મંજૂરી મળવાની બાકી છે. રિપોર્ટ અનુસાર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કોઈપણ વિદેશી રોકાણકાર દ્વારા યસ બેન્કમાં ૫૧ ટકા હિસ્સો ખરીદવાના પક્ષમાં પણ નથી. યસ બેંકમાં જીમ્ૈંનો ૨૩.૯૯ ટકા હિસ્સો છે. યસ બેંકમાં હિસ્સો વેચવાની દરખાસ્ત પર હજુ સુધી જીમ્ૈંના બોર્ડ સ્તરે ચર્ચા થવાની બાકી છે, હિસ્સો વેચવાની સમય મર્યાદા પણ હજુ નક્કી કરવામાં આવી નથી . એસબીઆઈ ઉપરાંત, અન્ય બેંકોનો પણ યસ બેંકમાં હિસ્સો છે, જેણે માર્ચ ૨૦૨૦ માં યસ બેંકને નાદારીમાંથી બચાવી હતી.

જે બેંકોએ યસ બેંકમાં હિસ્સો ખરીદીને બેલઆઉટ મેળવ્યા હતા તેમના રોકાણ માટેનો ત્રણ વર્ષનો લોક-ઇન સમયગાળો માર્ચ ૨૦૨૩માં જ સમાપ્ત થઈ ગયો છે. માર્ચ ૨૦૨૦ માં, આઠ મોટી નાણાકીય સંસ્થાઓએ યસ બેંકમાં ૧૦ રૂપિયા પ્રતિ શેરના દરે ૧૦,૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું અને બેંકને કટોકટીમાંથી બહાર લાવી હતી..આ રીતે થાપણદારોના મહેનતથી કમાયેલા નાણાં ડૂબતા બચ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution