રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર.માધવન ફિલ્મ ‘ધુરંધર’માં સાથે કામ કરશે

તેની બોલિવૂડના પ્રોડ્યુસર્સ જેને ટેકો ન આપી શક્યા તેવી અતિ મહત્વાકાંક્ષી ગણી શકાય તેવી ફિલ્મ ‘ઇમમોર્ટલ અશ્વત્થામા’ ન બની શકી તો શું?‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ જેવી ડિરેક્ટર તરીકે પહેલી જ અને બોલિવૂડની સૌથી મોટી બ્લોક બસ્ટર ફિલ્મ આપવા છતાં પાંચ વર્ષ સુધી બીજી ફિલ્મ ન આપી શક્યા તો પણ શું? આદિત્ય ધર નવી ફિલ્મ શરૂ કરવા માટે ઇન્ડસ્ટ્રીની અનિશ્ચિતતાઓથી ડગતા નથી અને અશ્વત્થામા જેવા જ નવા મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાથે પાછા ફરે છે. એવા અહેવાલો જાણવા મળી રહ્યા છે કે આદિત્ય ધરે પોતાની આગામી ફિલ્મ ‘ધુરંધર’ માટે રણવીર સિંહ, સંજય દત્ત, આર માધવન અને અર્જુન રામપાલ જેવી મોટી સ્ટાર કાસ્ટને તૈયાર કરી લીધી છે. આ ફિલ્મ સંદર્ભે હજુ કદાચ કોઈ કરાર થયા નથી પરંતુ તેઓ આ ફિલ્મ માટે સહમત થઈ ગયા હોવાનું જાણવા મળે છે, હવે તેઓ આ ફિલ્મ માટે આગળનું આયોજન કઈ રીતે કરવું તેના પર કામ કરી રહ્યા છે. આ એક મિશન આધારિત ફાસ્ટ થ્રિલર ફિલ્મ છે, જેમાં રણવીર સિંહ લીડ રોલમાં હશે, તેના સાથે આર માધવન, સંજય દત્ત અને અર્જુન રામપાલ પણ મહત્વના રોલમાં જાેવા મળશે. આદિત્ય આ કલાકારોને પહેલી વખત એક ફિલ્મમાં એક સાથે લાવશે. તે માત્ર એક સારી અને મજબૂત સ્ક્રિપ્ટના કારણે બધાને એક સાથે એક ફિલ્મમાં લેવામાં સફળ રહ્યા છે. આ નિખિલ અડવાણીની ‘ડી-ડે’ પ્રકારની એક ફિલ્મ હશે, જેમાં રણવીર સિંહ એક ઇન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં જાેવા મળશે, જ્યારે અન્ય પાત્રો અંગેની માહિતિ હજુ ખાનગી રાખવામાં આવી રહી છે. આદિત્ય અને તેનો ભાઈ લોકેશ ધર ‘બી૬૨’ સ્ટુડિયો બેનર હેઠળ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution