રાજ અનડકટે એક વર્ષ પહેલા અસિત કુમાર મોદીની ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહ્યું હતુ. ટીવીમાંથી બ્રેક લીધા બાદ રાજ કમબેક કરવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. તો જાણો રાજ ક્યારે અને કઈ ટીવી ચેનલ પર જાેવા મળશે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મોટી સંખ્યામાં ચાહકો છે અને આ શોને લોકો ખુબ પ્રેમ પણ કરી રહ્યા છે. જેમાં કેટલાક કલાકારો તો એવા છે કે, તે તેના રિયલ નામ નહિ પરંતુ રિલ નામથી વધુ ફેમસ છે. જેમાં પછી બબિતા જી હોય કે પછી જેઠાલાલ, દયાભાભી કે પછી ટપ્પુ હોય. આ શોમાં અનેક કલાકારોએ ટીવી સિરીયલને અલવિદા કહી દીધી છે. પરંતુ આજે પણ તે ખુબ ફેમસ છે.
આજે આપણે વાત કરી રહ્યા છે ટપ્પુ એટલે કે, રાજ અનડકટ વિશે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ૫ વર્ષ સુધી કામ કર્યા બાદ રાજ અનડકટે સોની સબ ટીવીના આ પોપ્યુલર સીરિયલને અલવિદા કહ્યું હતુ.રાજ અનડકટ એક ગુજરાતી ટીવી સિરીયલની સાથે કમબેક કરી રહ્યો છે. કલર્સ ગુજરાતીના યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાતના નામની ટીવી સિરીયલમાં તે અમીન શેખ સાથે જાેવા મળશે. કૃષ્ણદાસી ફેમ સેનાએ આરજે તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. ટીવીની પોપ્યુલર અભિનેત્રીએ અત્યારસુધી ૩૦થી વધુ સીરિયલમાં કામ કરી ચુકી છે. રાજ આ સીરિયલમાં કેશવના પાત્રમાં જાેવા મળશે. તો સના આ શોમાં મળવાથી તેના ચાહકો પણ ખુશ છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમની કથામાં જાેવા મળેલા સીનિયર ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા પણ આ સીરિયલમાં મહત્વની ભુમિકામાં જાેવા મળશે.છેલ્લા કેટલાક સમયથી તે પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહ્યો હતો. તારક મહેતાના સેટ પર બબીતા જીનું પાત્ર નિભાવનારી અભિનેત્રી મુનમુન દત્તાની સાથે રાજના અફેરના સમાચાર ખુબ વાયરલ થયા હતા પરંતુ બંન્નેએ આ વાતને નકારી કાઢી હતી. ત્યારબાદ રાજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છોડવાનો ર્નિણય લીધો હતો.
Loading ...