નવી દિલ્હી:કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલીગ્રસ્ત જિલ્લાની મુલાકાત પહેલા મણિપુરના જીરીબામ જિલ્લામાં ફાયરિંગની ઘટના નોંધાઈ હતી. મણિપુર જતા સમયે કોંગ્રેસના નેતાએ આસામના કચર જિલ્લામાં કેટલાક રાહત શિબિરોની પણ મુલાકાત લીધી હતી.કચર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મણિપુરના ચુરાચંદપુરમાં તુઈબોંગના મંડપ ખાતે રાહત શિબિરની મુલાકાત લીધી અને વંશીય હિંસાને કારણે વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરી હતી
આ પહેલા, તેમણે જીરીબામમાં અન્ય રાહત શિબિરની મુલાકાત લીધી, જ્યાં તેમણે ત્યાં વિસ્થાપિત લોકો સાથે વાત કરી અને સાંજે રાજ્યપાલ અનુસુયાને મળવાનું નક્કી કર્યું.અગાઉ મણિપુર જતા, ગાંધી આસામના કચર જિલ્લામાં કેટલાક રાહત શિબિરોમાં ગયા હતા, જ્યાં પડોશી રાજ્યના કેટલાક પીડિતો આશ્રય લઈ રહ્યા છે. ગાંધી આસામના કચર જિલ્લાના કુંભીરગ્રામ એરપોર્ટ પર સવારે લગભગ ૯.૧૫ વાગ્યે ઉતર્યા, ત્યારબાદ તેઓ રોડ માર્ગે મણિપુર જવા રવાના થયા હતા મણિપુરના જીરીબામની મુસાફરી કરતી વખતે, કોંગ્રેસના સાંસદે કચરના ફુલેર્ટલ વિસ્તારમાં કેટલાક રાહત શિબિરોની મુલાકાત લીધી, જ્યાં મણિપુર હિંસાનો ભોગ બનેલા લોકો આશ્રય લઈ રહ્યા છે. સિલચર (કુંભીરગ્રામ) એરપોર્ટ પર, છઁઝ્રઝ્રના નેતાઓ અને મણિપુરના ભૂતપૂર્વ સીએમ ઓકરામ ઇબોબી સિંહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છઁઝ્રઝ્ર પ્રમુખ ભૂપેન બોરા અને અન્ય નેતાઓએ તેમને આસામના પૂરનો રિપોર્ટ સોંપ્યો છે. જે બાદ તેણે જીરીબામ તરફનો પ્રવાસ શરૂ કર્યો.હતોગાંધીની મણિપુર મુલાકાત પહેલા આજે સવારે જીરીબામ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. અજાણ્યા બંદૂકધારીઓએ મેઇટી વિસ્તારમાં અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. પોલીસે ગોળીઓથી જવાબ આપ્યો અને શંકાસ્પદ કુકી આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો જે લગભગ ૩ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી ચાલુ રહ્યો. પોલીસે જણાવ્યું કે, બદમાશોએ ઘણા ઘરોને પણ આગ ચાંપી દીધી હતી.ગાંધી જીરીબામથી પરત ફર્યા હતા અને પછી સિલચર એરપોર્ટ પર એપીસીસી સભ્યોને મળ્યા હતા. અહીં, આસામના પૂર પર ચર્ચા કરી હતી
Loading ...