ગઢચિરોલીમાં છત્તીસગઢ સરહદ પરના જંગલમાં પોલીસે ૧૨ માઓવાદીઓને ઠાર કર્યા


મુંબઇ, તા.૧૮

મહારાષ્ટ્રમાં ગઢચિરોલી પોલીસે એક મોટા ઓપરેશનમાં છત્તીસગઢ સરહદ પરના જંગલમાં એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા ૧૨ માઓવાદીઓને ઠાર કર્યા છે. પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું કે, છત્તીસગઢ સરહદ પાસેના વંડોલી ગામમાં અથડામણ થઈ હતી અને છ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. પોલીસને વિશ્વસનીય બાતમી મળી હતી કે લગભગ ૧૨-૧૫ માઓવાદીઓ ગામની નજીક કેમ્પ કરી રહ્યા છે. સવારે લગભગ ૧૦ વાગ્યે સીઆરએસીકે સી-૬૦ કમાન્ડોની સાત ટીમ ત્યાં પહોંચી હતી. આ પછી તરત જ ભારે ગોળીબાર શરૂ થઈ ગયો. સાંજ સુધી પખંજૂરના જંગલોમાં તૂટક તૂટક ગોળીબાર ચાલુ હતો. એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળોએ વિસ્તારની શોધખોળ કરી અને ૧૨ માઓવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા. જાે કે હજુ વધુ લોકો માર્યા ગયા હોવાની શક્યતાને નકારી શકાઈ નથી.

પોલીસે ત્રણ એકે-૪૭, બે ઇન્સાસ રાઇફલ્સ, એક કાર્બાઇન અને એક એસએલઆર સહિત સાત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે. માર્યા ગયેલા માઓવાદીઓમાં ખતરનાક અને વોન્ટેડ ડીવીસીએમ લક્ષ્મણ આત્રામ ઉર્ફે વિશાલ આત્રામનો સમાવેશ થાય છે, જે ટીપાગઢ દલમના પ્રભારી હતા. એન્કાઉન્ટર દરમિયાન સી-૬૦ના એક પીએસઆઇ અને એક જવાનને ગોળી વાગી હતી. તેને નાગૌર લઈ જવામાં આવ્યો, જ્યાં હવે તે ખતરાની બહાર હોવાનું કહેવાય છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જેમની પાસે હોમ પોર્ટફોલિયો પણ છે, તેમણે સફળ ઓપરેશન માટે સી-૬૦ કમાન્ડો અને ગઢચિરોલી પોલીસને ૫૧ લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે.

નીલોત્પલે કહ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓમાંના એકની ઓળખ ‘ડિવિઝનલ કમિટી મેમ્બર’ (ડીવીસીએમ) લક્ષ્મણ અત્રામ ઉર્ફે વિશાલ અત્રામ તરીકે કરવામાં આવી છે, જે પ્રતિબંધિત સંગઠનમાં ટીપગઢ દલમના પ્રભારી હતા. અધિકારીએ કહ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઓપરેશનમાં, છત્તીસગઢની સરહદ નજીકના ગાઢ વંડોલી જંગલોમાં ભારે વરસાદ વચ્ચે ૨૦૦ પોલીસ કમાન્ડોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution