વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસનો બેફામ લાઠીચાર્જ ઃ પોલીસે દોડાવી દોડાવીને માર માર્યો

  નવી દિલ્હી: દેશમાં નેટ યુજીમાં ગેરરીતિઓ અને યુજીસી નેટ પરીક્ષા રદ થવાને કારણે ઉભો થયેલો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વિદ્યાર્થીઓ સતત વિરોધ કરી રહ્યા છે. ગુરુવારે એનએસયુઆઈના કાર્યકરોએ જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. વિરોધીઓ ઓખલામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની હેડ ઓફિસની બહાર પહોંચી ગયા છે. પ્રદર્શનકારીઓ બિલ્ડીંગની અંદર પહોંચી ગયા હતા. પરંતુ સુરક્ષાકર્મીઓએ તેમને પહેલા માળે જતા રોક્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ભારે હંગામો થયો હતો. દિલ્હી પોલીસે ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીને કસ્ટડીમાં લીધા હતા. નીટ અને પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે સંસદનો ઘેરાવ કરી રહેલા ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે.નીટમાં કથિત ગેરરીતિઓ સામે બુધવારે જંતર-મંતર ખાતે વિરોધ કરીને, નેશનલ ટેસ્ટિંગ એજન્સી નાબૂદ કરવાની અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સહિત અન્ય માંગણીઓ સાથે અનિશ્ચિત હડતાલ શરૂ કરવામાં આવી હતી.ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્‌સ એસોસિએશન અને દિલ્હી યુનિવર્સિટીના ક્રાંતિકારી યુવા સંગઠન સહિત અન્ય વિદ્યાર્થી સંગઠનો વિરોધમાં જાેડાયા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોસ્ટર અને પ્લેકાર્ડ હાથમાં લીધા હતા જેના પર ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જાેઈએ અને એનટીએ નાબૂદ કરવું જાેઈએ જેવા સૂત્રો લખેલા હતા.વિરોધીઓએ નીટયુજી માટે ફરીથી પરીક્ષા લેવાની અને પરીક્ષાઓના કેન્દ્રીયકરણને સમાપ્ત કરવાની પણ માંગ કરી હતી. જેએનયુએસયુએ પીએચડીમાં પ્રવેશ માટે એનટીએ દ્વારા લેવામાં આવતી પરીક્ષાને નાબૂદ કરવાની માંગ કરી છે. જાે કે ગઈકાલે બપોરે પોલીસે જંતર-મંતર પહોંચીને વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા હતા. તેમને અન્ય સ્થળોએ છોડી દીધા.વિરોધકર્તા રહનુમાએ કહ્યું કે આ પરીક્ષાના આયોજનમાં પ્રશ્નપત્ર લીકનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું, જેના કારણે ૨૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા, પરંતુ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ મોટા કૌભાંડને મામૂલી ગણાવીને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.તેમણે માંગ કરી હતી કે એનટીએ દ્વારા આયોજિત વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક કૌભાંડોની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution