મુંબઇ
આઈપીએલની ૧૭મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની સફર પૂરી થઈ ગઈ છે. આ સિઝન તેના માટે કંઈ ખાસ રહી નથી. ટીમ પોઈન્ટ ટેબલમાં ૧૦મા સ્થાને છે. હવે મુંબઈની માલિક નીતા અંબાણીએ ટીમના પ્રદર્શન વિશે વાત કરી છે.
તેઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આઈપીએલ ૨૦૨૪માં ખેલાડીઓને સંબોધિત કરતા જાેઈ શકાય છે. મુંબઈ ૧૪ માંથી માત્ર ચાર મેચ જીતી શક્યું હતું. તેનો નેટ રન રેટ (-૦.૩૧૮) પણ આ સિઝનમાં સૌથી ખરાબ હતો. હવે ટીમના માલિકે કહ્યું કે ખેલાડીઓએ તેમની ભૂલો પર ધ્યાન આપવાની જરૂર છે. નીતા અંબાણીએ કહ્યું, “આપણા બધા માટે નિરાશાજનક મોસમ. વસ્તુઓ અમે ઇચ્છતા હતા તે પ્રમાણે નથી થઈ, પરંતુ હું હજી પણ મુંબઈ ઈન્ડિયન્સની મોટી પ્રશંસક છું. માત્ર એક માલિક જ નહીં. મને લાગે છે કે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરવી એ એક મોટી બાબત છે. “ મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલું હોવું એ એક સન્માન અને વિશેષાધિકારની વાત છે. અમે પાછા જઈને તેના વિશે વિચારીશું.” આ દરમિયાન નીતા અંબાણીએ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેણે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને આગામી વર્લ્ડકપ માટે ખાસ સંદેશ આપ્યો હતો. તેણે આગળ કહ્યું, “રોહિત, હાર્દિક, સૂર્યા અને બુમરાહને વર્લ્ડકપ માટે શુભકામનાઓ. અમને આશા છે કે તમે ્૨૦ વર્લ્ડકપ ૨૦૨૪માં સારું પ્રદર્શન કરશો. ભારતીય ટીમ ૫ જૂનથી તેના ્૨૦ વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે.” આયર્લેન્ડ સામેની મેચમાંથી. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાશે. ૯ જૂને ટીમ ઈન્ડિયા આ મેદાન પર પાકિસ્તાન સામે મોટી મેચ રમશે. આ પછી ભારતે ૧૨મી જૂને યુએસએ અને ૧૫મી જૂને કેનેડા સામે રમવાનું છે.
Loading ...