પેન્શનરો દેશના કોઈપણ ખૂણામાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે



 એમ્પ્લોઈ પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો માટે સારા સમાચાર છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી, ઈઁજી પેન્શનરો દેશના કોઈપણ ખૂણામાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે. આ ર્નિણયથી લગભગ ૭૮ લાખ ઈઁજી પેન્શનરોને ફાયદો થશે.

શ્રમ અને રોજગાર મંત્રાલયે એક અખબારી યાદીમાં આ ર્નિણય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી, ઈઁહ્લના અધ્યક્ષ મનસુખ માંડવિયાએ કર્મચારી પેન્શન યોજના ૧૯૯૫ માટે સેન્ટ્રલાઈઝ્‌ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમને મંજૂરી આપી છે. સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે સેન્ટ્રલાઈઝ્‌ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની રચના સાથે, ભારતના કોઈપણ ખૂણામાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શનધારકોને પેન્શન આપી શકાય છે. ઈઁર્હ્લંના ૭૮ લાખ ઈઁજી પેન્શનરોને સેન્ટ્રલાઈઝ્‌ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો લાભ મળશે.

આ ઐતિહાસિક ર્નિણય પર શ્રમ અને રોજગાર મંત્રીએ કહ્યું કે, સેન્ટ્રલાઇઝ્‌ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની મંજૂરી ઈઁર્હ્લંના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. દેશમાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શનધારકોને પેન્શન આપવાથી પેન્શનધારકોની સમસ્યાઓ હલ કરવામાં મદદ મળશે જેનો તેઓ લાંબા સમયથી સામનો કરી રહ્યા હતા.

સેન્ટ્રલાઈઝ્‌ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ દેશમાં પેન્શન વિતરણમાં મદદ કરશે અને આ માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં. અગાઉ, જ્યારે પેન્શનરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા અથવા બેંકો અથવા શાખાઓ બદલતા ત્યારે પેન્શન પેમેન્ટ ઓર્ડર જારી કરવા પડતા હતા. નિવૃત્તિ પછી વતન જતા આવા પેન્શનરોને આનાથી મોટી રાહત મળશે. આગામી તબક્કામાં સેન્ટ્રલાઈઝ્‌ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમને આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ સાથે લિંક કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution