માલદીવ: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ વિપક્ષો પર આર્થિક બળવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. મુઈઝુનું કહેવું છે કે તેમની સરકારને તોડી પાડવાનું કાવતરું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.અહેવાલ મુજબ, રવિવારે, સરકારી માલિકીની બેંક ઓફ માલદીવ્સ (મ્સ્ન્) એ સ્ફઇ એકાઉન્ટ્સ સાથે જાેડાયેલા વર્તમાન અને નવા ડેબિટ કાડ્ર્સથી વિદેશી વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે, સ્ટાન્ડર્ડ અને ગોલ્ડ ક્રેડિટ કાર્ડની માસિક મર્યાદા પણ ઘટાડીને ઇં૧૦૦ કરવામાં આવી છે. જાે કે, આ ર્નિણય થોડા કલાકોમાં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.મુઈઝુએ સોમવારે રાત્રે સત્તાધારી પીપલ્સ નેશનલ કોંગ્રેસની બેઠકમાં જણાવ્યું હતું કે જેવી પરિસ્થિતિથી તેઓ વાકેફ થયા, તેમણે તેમના મંત્રીઓ સાથે મળીને બેંકના મુદ્દાનો ઉકેલ શોધવા માટે કામ કર્યું. બેંકનો ર્નિણય તેમની સલાહ વિરુદ્ધ હતો. તેમના આદેશ છતાં બેંક ઓફ માલદીવનો ર્નિણય જાહેર કરવામાં આવ્યો હતો. હવે તેની તપાસ કરવામાં આવી રહી છે.પ્રમુખ મુઇઝુએ કહ્યું કે કેટલાક પસંદ કરેલા લોકોએ સંપૂર્ણ વ્યૂહરચનાનાં ભાગરૂપે આર્થિક બળવાનો પ્રયાસ કર્યાે. અહીં જે કાંઈ થયું છે, તે આખો મામલો થોડો વિચાર કર્યા પછી સમજાશે. આ, કોઈ શંકા વિના, બળવાનો પ્રયાસ હતો.તેમણે કહ્યું કે ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે સરકાર નિયંત્રિત બેંકે આવો ર્નિણય કેમ લીધો? પરંતુ તેઓ જાણતા નથી કે મ્સ્ન્ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સરકાર પાસે બહુમતી નથી. હાલમાં માત્ર ચાર સરકારી ડિરેક્ટરો છે. બાકીના પાંચ ડિરેક્ટરો સરકાર સાથે સંકળાયેલા નથી તેથી અમારી પાસે બહુમતી નથી. અમે બે ડિરેક્ટર્સ નોમિનેટ કર્યા છે. પરંતુ તેમની નિમણૂકમાં થોડા અઠવાડિયા લાગશે.દરમિયાન, મુખ્ય વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ, ફૈયાઝ ઇસ્માઇલે કહ્યું કે આ ઘટનાક્રમ દર્શાવે છે કે રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુની સરકારમાં બળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાહ્ય શક્તિઓની આમાં કોઈ ભૂમિકા હોય તેવું લાગતું નથી.જાે કે, તેમણે વિપક્ષ પર તખ્તાપલટનો આરોપ લગાવવાના મુઈઝુના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે સમસ્યા સરકારમાં જ છે. અંદર કંઈક થઈ રહ્યું છે. અમે આગામી થોડા દિવસોમાં બળવો જાેઈ શકીએ છીએ.
Loading ...