વડોદરામાં સત્તાધીશોની હૂંસાતૂસી અને મિસમેનેજમેન્ટને કારણે છેલ્લાં એક મહિનામાં પ્રજાએ ભયંકર યાતના વેઠવી પડી છે. પૂરની ઈતિહાસની સૌથી કપરી સ્થિતિનો સામનો બરોડિયન્સે કર્યો છે. આજે પણ પૂરના પાણી અનેક સ્થળોએ ઓસર્યાં નથી. દર વર્ષે વડોદરા જે ઉત્સવની કાગડોળે રાહ જૂએ છે એ ગણેશોત્સવ આવી ગયો છે. વિઘ્નહર્તાની સવારી મોટાભાગના ઘરોમાં આવી ચૂકી છે. આજથી દસ દિવસ ગણેશ સ્થાપન કરીને આ ઉત્સવપ્રિય નગરી વિઘ્નહર્તાને એક જ અરજ કરશે - હે પ્રભુ અમને આ કાદવ-કીચડ અને ગંદકીમાંથી ઉગારો...
Loading ...