નવી દિલ્હી:વડાપ્રધાન મોદીનો રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ રવિવારે (૩૦ જૂન)થી ફરી શરૂ થયો. આ દરમિયાન પીએમ મોદીએ ઘણા મુદ્દાઓ પર વાત કરી. મન કી બાતની ૧૧૧મી આવૃત્તિમાં વડાપ્રધાને કહ્યું કે આજે એ દિવસ આવી ગયો છે જેની આપણે બધા ફેબ્રુઆરીથી રાહ જાેઈ રહ્યા હતા. હું ફરી એકવાર ‘મન કી બાત’ દ્વારા તમારી અને મારા પરિવારના સભ્યોની વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર કહેવત છે - ‘ઇતિ વિદા પુનર્મિલનય’, તેનો અર્થ પણ એટલો જ સુંદર છે, હું રજા લઉં છું, ફરી મળવાની. આ ભાવનાથી જ મેં તમને ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો પછી હું તમને ફરીથી મળીશ અને આજે ‘મન કી બાત’ સાથે હું તમારી વચ્ચે ફરી હાજર છું.તેમણે કહ્યું કે આજે હું દેશવાસીઓનો આભાર માનું છું કે તેઓએ આપણા બંધારણ અને દેશની લોકતાંત્રિક પ્રણાલીમાં તેમનો અતૂટ વિશ્વાસ પુનરાવર્તિત કર્યો છે. ૨૪ની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી. દુનિયાના કોઈપણ દેશમાં આટલી મોટી ચૂંટણી ક્યારેય થઈ નથી, જેમાં ૬૫ કરોડ લોકોએ મતદાન કર્યું હોય. હું આ માટે ચૂંટણી પંચ અને મતદાન પ્રક્રિયા સાથે જાેડાયેલા દરેકને અભિનંદન આપું છું.
તેમણે કહ્યું કે આજનો દિવસ ૩૦ જૂન ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આપણા આદિવાસી ભાઈઓ અને બહેનો આ દિવસને ‘હુલ દિવસ‘ તરીકે ઉજવે છે. આ દિવસ બહાદુર સિદ્ધો-કાન્હુની અદમ્ય હિંમત સાથે સંકળાયેલો છે, જેમણે વિદેશી શાસકોના અત્યાચારનો સખત વિરોધ કર્યો હતો. બહાદુર સિદ્ધો-કાન્હુએ હજારો સંથાલી સાથીઓને એક કર્યા અને અંગ્રેજાે સામે દાંત-નખની લડાઈ લડી, અને શું તમે જાણો છો કે આ ક્યારે બન્યું? આ ૧૮૫૫ માં થયું હતું, એટલે કે ૧૮૫૭ માં ભારતના પ્રથમ સ્વતંત્રતા યુદ્ધના બે વર્ષ પહેલાં, જ્યારે ઝારખંડના સંથાલ પરગણામાં આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોએ વિદેશી શાસકો સામે શસ્ત્રો ઉપાડ્યા હતા.
Loading ...