નાગા ચૈતન્ય-શોભિતા ૨૦૨૫માં રાજસ્થાનમાં સાત ફેરા લઈ શકે છે

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ ૮ ઓગસ્ટના રોજ સગાઈ કરી હતી. ત્યારથી બંનેના લગ્નના પ્લાનને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. હાલમાં જ કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે આવતા વર્ષે એટલે કે ૨૦૨૫માં રાજસ્થાનમાં સાત ફેરા લઈ શકે છે.હવે આ અફવાઓ પર અભિનેતાની પ્રતિક્રિયા સામે આવી છે. લગ્ન અંગેની અટકળો અંગે વાત કરતાં તેણે તાજેતરમાં કહ્યું હતું કે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. નાગા ચૈતન્યએ નવી ક્લોથિંગ બ્રાન્ડના વેડિંગ કલેક્શન લોન્ચ દરમિયાન વાતચીત કરતી વખતે તેના લગ્નની યોજનાઓ વિશે વાત કરી. તેણે જણાવ્યું કે સગાઈ બાદ તે પોતાના જીવનના આ નવા અધ્યાયનો આનંદ માણી રહ્યો છે.જ્યારે અભિનેતાને ઇવેન્ટમાં પૂછવામાં આવ્યું કે શું આ શોભિતા સાથેના તેના આગામી લગ્ન માટે રિહર્સલ છે, તો તેણે જવાબ આપ્યો, “એવું કહી શકાય કે મારા લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.” તે જ સમયે, જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે શું તે ભવ્ય રીતે લગ્ન કરવા માંગે છે કે સાદગીથી? આ અંગે તેમણે કહ્યું કે આ ભવ્ય લગ્ન નહીં હોય, પરંતુ લોકોએ સંસ્કૃતિ અને પરંપરાઓને ધ્યાનમાં રાખવી જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution