જાહેર ક્ષેત્રની બેંકોના માર્જિનમાં નાણાં વર્ષ ૨૦૨૩ની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૪માં ઘટાડો
નવી દિલ્હી,તા.૨૦
જાહેર ક્ષેત્રની બેંકોની ધિરાણ વૃદ્ધિ ઉદ્યોગ કરતાં પાછળ રહી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૪માં જાહેર ક્ષેત્રની બેંકોની ધિરાણ વૃદ્ધિ ૧૧થી ૧૩ ટકાની રેન્જમાં રહી હતી, જ્યારે એચડીએફસી લિમિટેડ અને એચડીએફસીના વિલીનીકરણની અસરને બાદ કરતાં બેન્કિંગ સેક્ટરે આ સમયગાળા દરમિયાન ૧૬ ટકાની વિક્રમી વૃદ્ધિ નોંધાવી હતી. જાહેર ક્ષેત્રની બેંકોમાં માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૫ ટકાથી વધુ ધિરાણ વૃદ્ધિ નોંધાવી હતી. આ બેંકોની ધિરાણ વૃદ્ધિના સંદર્ભમાં સાવચેતીનું કારણ નેટ ઈન્ટરેસ્ટ માર્જિન પર દબાણ હતું. મોટાભાગની જાહેર ક્ષેત્રની બેંકોના માર્જિનમાં નાણાં વર્ષ ૨૦૨૩ની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૪માં ઘટાડો થયો હતો. જાહેર ક્ષેત્રની બેંકો પણ ચિંતિત હતી કે જ્યારે વ્યાજ દરો બદલાય છે ત્યારે ધિરાણ દરો થાપણ દર કરતાં વધુ ઝડપથી ગોઠવાય છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, કુલ બાકી કન્વર્ટિબલ લોન દરોમાં એક્સટર્નલ બેન્ચમાર્ક-લિંક્ડ લોનનો હિસ્સો ડિસેમ્બર ૨૦૨૩ના અંતે વધીને ૫૬.૨ ટકા થયો છે, જે માર્ચ ૨૦૨૩માં ૪૯.૬ ટકા હતો. મોટાભાગની બેંકોએ રેપો રેટને એક્સટર્નલ બેન્ચમાર્ક તરીકે લીધો છે. જાહેર ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'વ્યાજ દરમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી. ભંડોળના ખર્ચમાં વધારો થયો છે. આ સિવાય રિઝર્વ બેંકએ રેપો રેટમાં ઘટાડો કરવાનું શરૂ કરી દીધું છે. ખાનગી ક્ષેત્રની મોટી બેંકોએ લોન ગ્રોથ ૧૬ ટકાથી વધુ નોંધ્યો છે. ધીમી થાપણ વૃદ્ધિને કારણે જાહેર ક્ષેત્રની બેંકોને તેમની બેલેન્સ શીટને વિસ્તૃત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. બેન્કિંગ સેક્ટરે ડિપોઝિટમાં ૧૨.૯ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી જ્યારે કેટલીક મોટી બેન્કોએ ડિપોઝિટ પર સિંગલ ડિજિટ વૃદ્ધિ નોંધાવી હતી.
Loading ...