પેરિસ:ભારતીય બેડમિન્ટન ખેલાડી મનીષા રામદાસે એસયુ ૫ કેટેગરીમાં મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં પહોંચીને તેની મેડલની આશા જીવંત રાખી હતી, પરંતુ મનદીપ કૌર અને પલક કોહલી રવિવારે મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પોતપોતાની મેચ હાર્યા બાદ પેરાલિમ્પિક ગેમ્સમાંથી બહાર થઈ ગયા હતા. ૧૯ વર્ષની મનીષાને ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની મામીકો ટોયોડાને ૨૧-૧૩, ૨૧-૧૬થી હરાવવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. મનીષા સેમિફાઇનલમાં દેશબંધુ તુલસીમતી મુરુગેસનનો સામનો કરશે, જેનાથી આ ઇવેન્ટમાં ભારતનો મેડલ સુનિશ્ચિત થશે. તુલસીમતીએ શનિવારે ગ્રુપ એમાં પોર્ટુગલની બીટ્રિઝ મોન્ટેરોને હરાવ્યો હતો. બીજી ક્રમાંકિત ભારતીય ખેલાડીએ તેના બિનક્રમાંકિત હરીફને માત્ર ૩૦ મિનિટમાં બહાર કરી દીધી હતી., એસએલ૩ કેટેગરીમાં રમી રહેલો મનદીપ ત્રીજી ક્રમાંકિત નાઇજિરીયાની બોલાજી મરિયમ એનિઓલા સામે કોઈ પડકાર રજૂ કરી શકી ન હતી. અને ૨૩ મિનિટમાં ૮-૨૧, ૯-૨૧થી મેચ હારી ગઇ હતી.
Loading ...